
વિશ્વ યોગ દિવસ 2025: વાપીમાં યોગશિબિરનું ભવ્ય આયોજન, રાજ્યના નાણામંત્રી રહ્યા ઉપસ્થિત
વાપી, 21 જૂન 2025: આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજવાડી, વાપીના હોલ ખાતે સવારે 6:00 થી 7:00 દરમિયાન એક ભવ્ય યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. પતંજલી યોગ વિદ્યાપીઠના યોગ ગુરુઓ દ્વારા આ શિબિરમાં ઉપસ્થિત તમામ લોકોને યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી. યોગના આસનો દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું.
આ પ્રસંગે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, "યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ તે જીવન જીવવાની એક કળા છે. યોગ અનેક રોગોના નિવારણમાં લાભદાયી છે અને તે આપણને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવામાં મદદ કરે છે.
તેમણે વધુમાં ઉમેર...