Sunday, May 4News That Matters

National

सिलवासा में प्रशासक द्वारा पुस्तक मेले का शुभारंभ, प्रसिद्ध गुजराती लेखक एवं वक्ता जय वसावडा उपस्थित रहे।

सिलवासा में प्रशासक द्वारा पुस्तक मेले का शुभारंभ, प्रसिद्ध गुजराती लेखक एवं वक्ता जय वसावडा उपस्थित रहे।

Gujarat, National
केंद्रशासित प्रदेश दादरा नगर हवेली के सिलवासा मैं प्रशासक प्रफुल पटेल ने भव्य पुस्तक मेले का विधिवत प्रारंभ किया। इस अवसर पे प्रसिद्ध गुजराती लेखक एवं वक्ता जय वसावडा उपस्थित रहे। पुस्तक का जीवन की सकारात्मकता में महत्वपूर्ण योगदान है। संघ प्रदेश में शिक्षा के सकारात्मक माहौल के निर्माण में प्रशासक प्रफुल पटेल का भगीरथ प्रयास रहा हैं l उन्होंने अपनी कार्य कुशलता एवं दीर्घदृष्टि से इस प्रदेश में शैक्षणिक क्रांति लाने का कार्य किया है। स्थानीय जनता में शिक्षा के प्रति रुचि जागृत करने एवं सामाजिक रूप से पुस्तकों की महत्वता का प्रचार-प्रसार करने के उद्देश्य से यह आयोजन किया गया है। इस पुस्तक मेले के अंतर्गत विभिन्न साहित्य क्षेत्र की प्रसिद्ध व्यक्तियों को भी ज्ञान एवं साहित्य के प्रचार प्रसार हेतु आमंत्रित किया गया है। इसी श्रेणी में पुस्तक मेले के उद्घाटन समारोह में प्रसिद्ध गुजराती...
આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સંસ્થાપક નાનજી ગુર્જરના ધર્મપત્ની સ્વ. લીલાબેન ગુર્જરની 2જી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા રક્તદાન કેમ્પ યોજાશે

આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સંસ્થાપક નાનજી ગુર્જરના ધર્મપત્ની સ્વ. લીલાબેન ગુર્જરની 2જી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા રક્તદાન કેમ્પ યોજાશે

Gujarat, National
પર્યાવરણ પ્રેમી અને આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સંસ્થાપક નાનજીભાઈ ગુર્જર દ્વારા તેમના ધર્મપત્ની સ્વર્ગીય લીલાબેન ગુર્જરની 2જી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ 5મી મેં 2025ના વાપીમાં નેશનલ હાઇવે સ્થિત PTC કોલેજ ખાતે યોજાશે. જેમાં વધુમાં વધુ રક્તદાતાઓ રક્તદાન કરે એ માટે અપીલ કરવામાં આવી છે. આ રક્તદાન કેમ્પ અંગે નાનજીભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે, તેમના પત્નીના અવસાન બાદ 5મી મેં 2025ના 2 વર્ષ પૂર્ણ થશે. જેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આ બીજી પુણ્યતિથિ નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે તમામ આયોજકોના સહયોગથી વાપીમાં પુરુષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ આ રક્તદાન કેમ્પ યોજાશે. આ સ્થળે જ આગામી 13મી મેં થી 19મી મેં દરમ્યાન વાપી કથા સમિતિ...
IPS અંકિતા મિશ્રાની અનોખી પહેલ, ડુંગરા વિસ્તારમાં બાળકોના સુરક્ષિત ભવિષ્યની ચિંતા કરી માત્ર 7 દિવસમાં તૈયાર કર્યો ચિલ્ડ્રન ટ્રાફીક પાર્ક…!

IPS અંકિતા મિશ્રાની અનોખી પહેલ, ડુંગરા વિસ્તારમાં બાળકોના સુરક્ષિત ભવિષ્યની ચિંતા કરી માત્ર 7 દિવસમાં તૈયાર કર્યો ચિલ્ડ્રન ટ્રાફીક પાર્ક…!

Gujarat, National
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, પ્રો. IPS અંકિતા મિશ્રા દ્વારા વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બાળકો અને મોટેરાઓ માટે બનાવેલ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કનું બાળકોના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અટકાવવા તેમજ બાળકોના સર્વાગી વિકાસ અને જાગૃતિ લાવવા પોલીસ અધિક્ષક વલસાડની અધ્યક્ષતામાં “ચિલ્ડ્રન ટ્રાફીક પાર્ક”નુ આયોજન કરવામાં આવ્યું છે. આ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કમાં બોક્ષ ક્રીકેટ, વોલીબોલ, ઓપન જીમ, સ્લાડીંગ, સ્વીંગ, જીગ જેગ, રનીંગ ટ્રેક, સી શો, ટ્રાફીક, સાયબર અવરનેસ લોગો વિગેરે બનાવવામાં આવેલ છે. શુક્રવાર 2જી મેં 2025ના આ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાના બાળકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસ મથકનો વિસ્તાર ક્રાઈમ મામલે અતિસંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તા...
વાપીના ચણોદમાંથી વલસાડ SOGએ 4.42 લાખના 44 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, આરોપી પાસેથી કુલ 13.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાપીના ચણોદમાંથી વલસાડ SOGએ 4.42 લાખના 44 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, આરોપી પાસેથી કુલ 13.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીના ચણોદ વિસ્તારમાંથી SOGની ટીમે મોટી માત્રામાં ગાંજા નો જથ્થો જપ્ત કર્યો. કુલ 44.222 કિલોગ્રામ ગાંજાની કિંમત 4,42,220 રૂપિયા છે. જે 7 લાખની કારમાં સંતાડયો હતો. પોલીસની આ રેઇડમાં આરોપી પાસેથી 1,14,900 રૂપિયા રોકડા પણ મળ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત 13,47,620 રૂપિયા છે. ચણોદમાં શ્રી બાલ કૃષ્ણ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા ફ્લેટમાંથી મળી આવેલ ગાંજા ના જથ્થા સાથે પોલીસે રામઅવતાર અંતુભાવ ગુપ્તા નામના ઇસમની ધરપકડ કરી છે. વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ. યુ. રોઝની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી રામઅવતાર અંતુભાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઇન પાસેથી આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી આ નશીલા પદાર્થોની હેરફેર કરતો હતો. જે વાપી, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો....
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં “Felicitation Programme” યોજાયો

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં “Felicitation Programme” યોજાયો

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 1 મે, 2025 ના રોજ ધોરણ-1 થી 12 ના આચાર્ય પ્રવીણ પવાર માર્ગદર્શન હેઠળ આખા વર્ષ દરમ્યાન થયેલ હાઉસ પ્રમાણેની સ્પર્ધાઓ, વર્ગમાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓ અને વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વર્ગને ઈનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓને સન્માન આપીને બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહી માનનીય મેનેજમેંટ કૉરઙીનેટર ગોહિલ સર અને કેમ્પસ ના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ એ કાર્યક્રમની શોભા વધારી. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાતઃ વંદના થી કરવામાં આવી અને સાથે સાથે બાળકો દ્વારા સુંદર પ્રાર્થના-ગીતો અને વિવિધ ડાંસ પણ રજૂ કરવામાં આવ્યા. માનનીય ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવારે તમામ...
દમણ કલેક્ટર કચેરી ખાતે 1લી મે 2025 ના મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

દમણ કલેક્ટર કચેરી ખાતે 1લી મે 2025 ના મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ કલેકટર કચેરી ખાતે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, 1લી મે 2025 ના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ જિલ્લામાં વસતા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના લોકોને અધિક્ષક, કલેક્ટર કચેરી, દમણ દ્વારા પુષ્પગુચ્છ, મોમેન્ટો આપી મીઠાઈ ખવડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોએ તેમના રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, સંગીત અને વારસા વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. અધિક્ષક, કલેક્ટર કચેરી, દમણએ મહેમાનોને જણાવ્યું હતું કે ભારત તેના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા પર ગર્વ અનુભવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનો હેતુ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્ર...
ભડકમોરા વિસ્તારમાં 55 વર્ષીય વૃદ્ધાની હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા

ભડકમોરા વિસ્તારમાં 55 વર્ષીય વૃદ્ધાની હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા

Gujarat, National
વર્ષ 2022માં એક 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને વાપી નામદાર કોર્ટે આજીવન કારવાસની સજાનો આદેશ કર્યો છે. આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ વર્ષ 2022માં GIDC પોલીસ મથક ખાતે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ફરીયાદી સતિષ વિષ્ણુભાઇ સોલંકેએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની કૌટુંબિક દાદી સુંદરબાઇ રધુનાથ સોલંકેની આરોપી પોપટ પવારે હત્યા કરી નાખી હતી. વાપી ભડકમોરા હનુમાનજી મંદિર આસપાસ બનેલ આ ઘટનામાં વૃદ્ધાની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. ઉપરોકત ગુનાની તપાસ જેતે વખતના તત્કાલીન GIDC પોલીસ સ્ટેશનના PI વી. જી. ભરવાડે સંભાળી હતી. જેઓએ આરોપી પોપટ ઉર્ફે શીવા ઉર્ફે રાજુ ઉર્ફે મામા મહાદેવ પવારને ઝડપી લીધો હતો. આ ગુન્હાના કામે આરોપી વિરૂધ્ધમાં જરૂરી પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરૂધ્ધમાં મે. ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટ વાપી ખાતે કેસ ચલાવ્યો હતો. સરકારી વકીલ રાકેશ ચાંપા...
बिहार चुनाव के प्रचार के लिए वापी आए बिहार के राज्यसभा सांसद और भाजपा नेता ने बिहार वेलफेयर एसोसिएशन और भूमिहार ब्रह्मर्षि समाज चैरिटेबल ट्रस्ट के साथ बैठक कर इस मामले पर चर्चा की।

बिहार चुनाव के प्रचार के लिए वापी आए बिहार के राज्यसभा सांसद और भाजपा नेता ने बिहार वेलफेयर एसोसिएशन और भूमिहार ब्रह्मर्षि समाज चैरिटेबल ट्रस्ट के साथ बैठक कर इस मामले पर चर्चा की।

Gujarat, National
आने वाले दिनों में बिहार में बड़ा चुनावी महापर्व है। इसे ध्यान में रखते हुए बिहार राज्य के मतदाता जो रोजगार और व्यवसाय के लिए गुजरात में बसे हैं। वो इस चुनाव में बिहार आये और भाजपा के पक्ष में अपना मतदान करे ऐसी अपील करने बिहार से राज्यसभा सांसद धर्मशीला गुप्ता और बीजेपी नेता सी.के. डी. शर्मा वापी आये थी। यहां उन्होंने बिहार वेलफेयर एसोसिएशन और भूमिहार ब्रह्मर्षि समाज चैरिटेबल ट्रस्ट के पदाधिकारियों और सदस्यों के साथ अलग-अलग समय पर बैठक की और मतदाताओं से बिहार आकर भाजपा को वोट देने की अपील की। उन्होंने एनडीए सरकार के दौरान और वर्तमान में नरेंद्र मोदी द्वारा बिहार में किए गए विकास की गाथा भी प्रस्तुत की। गुजरात दौरे पर आईं बिहार की राज्यसभा सांसद धर्मशीला गुप्ता और भाजपा नेता सी. डी. शर्मा ने सबसे पहले वापी स्थित बिहार वेलफेयर एसोसिएशन कार्यालय का दौरा किया। यहां संगठन के नेता विपुल सिंह...
પરશુરામ જયંતિ નિમત્તે વિપ્ર ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

પરશુરામ જયંતિ નિમત્તે વિપ્ર ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat, National
વાપીમાં છેલ્લા 4 વર્ષથી પરશુરામ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિપ્ર ફાઉન્ડેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા આ પ્રયાસ કરવામાં આવે છે. વિપ્રો ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 131 યુનિટ રક્ત જમા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના ફર્સ્ટ ડોનર મહર્ષિ ભરતભાઈ ઠક્કર અને રાજવીર કૌશિકે રક્તદાન કરી પ્રારંભ કરાવ્યો હતો. આ રક્તદાન શિબિર અંગે વિપ્ર ફાઉન્ડેશન વલસાડ જિલ્લાના પ્રમુખ નવ રતન મિશ્રાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે 150 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવમાં આવે છ...
વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરી, ચાર રસ્તાને ભગવાન પરશુરામ ચોક નામ આપ્યું, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી

વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરી, ચાર રસ્તાને ભગવાન પરશુરામ ચોક નામ આપ્યું, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી

Gujarat, National
વાપીથી તાપીની ભૂમિને પરશુરામ ની ભૂમિ માનવામાં આવે છે. ત્યારે, 29મી એપ્રિલે પરશુરામ જયંતિ નિમિત્તે વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન પરશુરામની પ્રતિમાને ફુલહાર પહેરાવી આરતી ઉતારી આ ચોક ને ભગવાન પરશુરામ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાન સંજય શુક્લાએ જણાવ્યું હતું કે, વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ ઉજવવામાં આવી હતી. વાપીમાં ચાર રસ્તા ખાતે આવેલ પરશુરામ ભગવાનની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમની આરતી ઉતારી આ ઉજવણી કરવામાં આવી હતી. તો, સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આ વાપી ચાર રસ્તાના આ ચોકને પરશુરામ ચોક નામ આપવામાં આવ્યું છે. હાલમાં જ પહેલગામ હુમલામાં મોતને ભેટેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદને ભગવાન પરશુરામ ખતમ કરે આતંકવાદીઓની માનસિકતાને ખતમ ...