
રણછોડરાયજી થી પ્રેરિત, ગુજરાતના આ AMRIT રેલવે સ્ટેશનનું વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન
Vihar Vaishnav: દેશમાં રેલ માળખાગત સુવિધાઓમાં સતત સુધારો અને વૃદ્ધિ કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 86 જિલ્લાઓમાં રૂ. 1,100 કરોડથી વધુના ખર્ચે 103 પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું આગામી 22મી મે એ ઉદ્ઘાટન કરશે.
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, પ્રાદેશિક સ્થાપત્યને પ્રતિબિંબિત કરવા અને મુસાફરોની સુવિધાઓ વધારવા માટે 1,300 થી વધુ સ્ટેશનોને આધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં ગુજરાતનું ડાકોર સ્ટેશન રણછોડરાયજી મહારાજ દ્વારા પ્રેરિત છે. કરણી માતા મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સેવા આપતું દેશનોક રેલવે સ્ટેશન મંદિર સ્થાપત્ય, કમાન અને સ્તંભ થીમથી પ્રેરિત છે. આ ઉપરાંત તેલંગાણાનું બેગમપેટ રેલવે સ્ટેશન કાકટિયા સામ્રાજ્યના સ્થાપત્યથી પ્રેરિત છે. બિહારના થાવે સ્ટેશનમાં 52 શક્તિપીઠોમાંથી એક મા થાવેવાળીનું ...