
હૈદરાબાદમાં ચારમીનાર નજીક આગની મોટી દુર્ઘટના, 17ના મોત
Vihar Vaishnav : હૈદરાબાદમાં રવિવારે વહેલી સવારે ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને લગભગ ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે.મૃતકોમાં બે બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ પર્લ્સની બિલ્ડિંગ સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે અગિયાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.કૉમર્શિયલ વિસ્તારમાં ભીડભાડવાળી ગલીમાં આવેલી ગ્રાઉન્ડ+1 ઇમારતમાં ફસાયેલા કેટલાક લોકોને ફાયરફાઈટરોએ બચાવી લીધા હતા. પરિસરમાં ફેલાયેલા ગાઢ ધુમાડાને કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા. મોતીના વેપારી અને તેના કર્મચારીઓના પરિવારના લગભગ 30 લોકો ત્યાં હતા. મોતીના વેપારીની દુકાન, મોદી પર્લ્સ, ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, જ્યારે તેમનો પરિવાર અને કેટલાક કામદારોના પરિવારો પહેલા માળે રહેતા હતા. આગને કાબુમાં લેવા માટે 11 ફાયર એન્જિન કામે લાગ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે...