રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે 1.76 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ના મેનેજિંગ ડિરેકટર (MD) યોગેશ ચૌધરીએ હાલમાં જ DGVCL ને દેશમાં મળેલ પ્રથમ સ્થાન અંગે ખુશી વ્યક્ત કરી હતી.
MD યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, DGVCL ને જે પ્રથમ સ્થાન મળ્યું છે. તેમાં મહત્વની બાબત એ છે કે, સેન્ટ્રલમાં Ministry of Power દર વર્ષે ભારતના દરેક સ્ટેટને ખાસ Integrated Rating આપે છે. દરેક સ્ટેટમાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. આ વીજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય કંપનીઓ છેલ્લા 2 વર્ષથી વિશેષ નફો કરે છે. જે પૈકી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ને પ્રથમ સ્થાન મળ્યું છે.
આ પ્રથમ સ્થાન માત્ર Ministry of Power તરફથી જ નહીં પરંતુ Indian Chambers of Commerce, India Power Purchasers Association of India (IPPAI) તરફથી પણ DGVCL ને પ્રથમ રેન્ક આપવામાં આવ્યો છે.
ડીજીવીસીએલને મળેલું આ પ્રથમ સ્થાન DGVCL ના કર્મચારીઓ માટે ગૌરવની વાત છે. સારા કામને કારણે આ પ્રથમ સ્થાન મેળવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ડીજીવીસીએલ હંમેશા પ્રોફિટમાં રહ્યું છે. ગુજરાતના ચારેય ડિવિઝનોમાં પણ DGVCL 2000 કરોડનું પ્રોફિટ કરનાર એકમ બન્યું છે. એટલે જ DGVCLએ CSR ફંડ હેઠળ પણ પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. CSR હેઠળ DGVCL તરફથી આરોગ્ય સેવા માટે 4 એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. 12 જેટલી આંગણવાડીઓના ટેન્ડર બહાર પાડી તેને કામગીરી શરૂ કરી છે. જિલ્લાના PHC સેન્ટરમાં પણ સબ કાઉન્ટર મશીન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રથમ સ્થાન મેળનાર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી (CSR) હેઠળ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.71.64 લાખના ખર્ચે કુલ 4 એમ્બ્યુલન્સને મંત્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.