વાપી, 21 જૂન, 2025: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, સલવાવ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન અને પીટી શિક્ષક તેમજ તમામ શિક્ષકોના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8, 9 અને 11ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ફાર્મસી કોલેજના આચાર્ય શ્રી સચિન સરે વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવ્યું અને વિવિધ યોગાસનો કરાવ્યા હતાં.
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર યોગ કરીને સમગ્ર વાતાવરણને યોગમય બનાવ્યું. કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક અને માનસિક ફાયદાઓ અંગે વિવિધ ઉદાહરણો સાથે માહિતી આપવામાં આવી.
આ અવસરે મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીજી, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, એડમિન ડિરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ તથા શાળાના શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.