Saturday, June 21News That You Want to Read

National

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે (વર્ચુઅલ) વલસાડ-દાહોદ ટ્રેન ને લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે (વર્ચુઅલ) વલસાડ-દાહોદ ટ્રેન ને લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવાઇ

Gujarat, National
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૈન્યની વીરગાથા "ઓપરેશન સિંદૂર" બાદ પ્રથમ વખત આજથી બે દિવસય ગુજરાતના પ્રવાસે આવ્યા છે, કેન્દ્ર રાજ્ય સરકાર ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું આજરોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વલસાડ-દાહોદ ટ્રેનને વડાપ્રધાને (વર્ચ્યુઅલ) લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું, વલસાડ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્ર સરકારના રેલવે રાજ્ય મંત્રી વી.સોમનના, લોકસભા ના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે વલસાડ રેલવે સ્ટેશન ખાતે, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ સહિત વિવિધ મંડળના પ્રમુખો, હોદ્દે...
શનિ જયંતિ નિમિત્તે વલસાડના હનુમાનજી મંદિર શનિધામ ખાતે હોમ-હવન સાથે ભવ્ય ઉજવણી, ભક્તોએ શનિદેવના કર્યા દર્શન

શનિ જયંતિ નિમિત્તે વલસાડના હનુમાનજી મંદિર શનિધામ ખાતે હોમ-હવન સાથે ભવ્ય ઉજવણી, ભક્તોએ શનિદેવના કર્યા દર્શન

Gujarat, National
અંગ્રેજી મહિના મુજબ 26મી મેં 2025 અને હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવત 2081 વૈશાખ વદ સોમવતી અમાસના શુભ દિને કર્મફળ દાતા શનિદેવની જન્મ જયંતિ હોય આ નિમિત્તે વલસાડના શનિધામમાં શનિ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે તારીખ 26 મેં ના બપોરે 12 વાગ્યાથી 27 મી મેં બપોર સુધીનો સમયગાળો વિ. સં. મુજબ અમાસ છે. જેથી સોમવારે બપોર બાદ શનિદેવના દર્શને ભીડ જોવા મળી હતી. શનિ જયંતીના પવિત્ર અવસરે, વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં આવેલા શ્રી હનુમાનજી મંદિર (શનિધામ) ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ શનિદેવ અને હનુમાનજીના દર્શન કર્યા. મંદિર પરિસરમાં હોમ-હવન સહિતના વિશેષ આયોજનોએ ભક્તોની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવી હતી. શનિ જયંતીનો આ પવિત્ર દિવસ શનિદેવની કૃપા અને હનુમાનજીના આશિર્વાદ મેળવવા માટે ખાસ મહત્વ ધરાવે છે. વલસાડનું શ્રી હનુમાનજી મંદિર, જે શનિધામ તરીકે પ્રસિદ્ધ છે, તેના પ્રાંગણમાં શનિદેવનું મંદિર આવ...
AT Explaines: #Monsoon 2025: વહેલું આગમન, ભારત માટે અસરો

AT Explaines: #Monsoon 2025: વહેલું આગમન, ભારત માટે અસરો

Gujarat, National, News
Vihar Vaishnav:  વર્ષ 2025નું ચોમાસુ ગત 16 વર્ષમાં ચોમાસાનું સૌથી વહેલું આગમન છે. આ વહેલા આગમનને કારણે દેશના અનેક ભાગોમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસુ વહેલું કેમ પહોંચ્યું? આ વર્ષે ચોમાસાના વહેલા આગમનમાં આબોહવાના ઘણા પરિબળોએ કારણભૂત છે :   અલ નીનો નબળો પડવો અને લા નીનાની ઉભરતી પરિસ્થિતિઓ: અલ નીનોથી લા નીનામાં સંક્રમણ વાતાવરણીય પેટર્નને પ્રભાવિત કરે છે, જેના કારણે વહેલા અને વધુ વ્યાપક ચોમાસાના વરસાદને પ્રોત્સાહન મળે છે. હિંદ મહાસાગરની દ્વિધ્રુવીય (IOD) પોઝિટીવ ઈફેક્ટ: અનુકૂળ IOD એ ચોમાસાની શક્તિ અને વહેલી શરૂઆતને વધારી છે. નીચા હિમાલય અને યુરેશિયન બરફ આવરણ: આ પ્રદેશોમાં બરફ આવરણમાં ઘટાડો ઐતિહાસિક રીતે ભારતમાં મજબૂત ચોમાસાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. ઓછા દબાણવાળી પ્રણાલીઓ: અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા વિસ્તારોના વિકાસને ક...
#Covid19: ભારતમાં ૧૦૦૯ સક્રિય કેસ, ગુજરાત ત્રીજા ક્રમે, ગભરાશો નહિં, જોકે સાવચેત રહો; નિષ્ણાતો

#Covid19: ભારતમાં ૧૦૦૯ સક્રિય કેસ, ગુજરાત ત્રીજા ક્રમે, ગભરાશો નહિં, જોકે સાવચેત રહો; નિષ્ણાતો

National, News
Vihar Vaishnav: આરોગ્ય અને પરિવાર મંત્રાલયના ડેટા મુજબ, સોમવાર, 26 મે સવારે 8 વાગ્યા સુધીમાં, ભારતમાં 1009 સક્રિય કોવિડ 19 કેસ નોંધાયા છે. જોકે, આરોગ્ય નિષ્ણાતો અને સંસ્થાઓના મતે ગભરાવાની જરૂર નથી જોકે સાવચેતી રાખવાની સલાહ આપીને વિનંતી કરી છે. સમગ્ર દેશમાં, કેરળમાં સૌથી વધુ સક્રિય 430 જેટલા કોવિડ19 કેસ નોંધાયા, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 209 અને દિલ્હીમાં 104 કેસ નોંધાયા. ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 સક્રિય કેસ નોંધાયા. નોંધપાત્ર સક્રિય કેસ ધરાવતા અન્ય રાજ્યોમાં આંધ્રપ્રદેશ (૪), છત્તીસગઢ (૧), ગોવા (૧), હરિયાણા (૯), મધ્યપ્રદેશ (૨), રાજસ્થાન (૧૩), તેલંગાણા (૧), ઉત્તર પ્રદેશ (૧૫) અને પશ્ચિમ બંગાળ (૧૨)નો સમાવેશ થાય છે. પુડુચેરીમાં ૯ સક્રિય કેસ નોંધાયા છે, જ્યારે સિક્કિમમાં ૧.બાકીના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ સક્રિય કેસ નોંધાયા નથી, જે દર્શાવે છે કે તે પ્રદેશોમાં COV...
પેટા ચૂંટણી 2025 :- ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા-ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું

પેટા ચૂંટણી 2025 :- ચૂંટણી પંચે ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા-ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું

Gujarat, National
ચૂંટણી પંચે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં પેટા-ચૂંટણીનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. પેટા-ચૂંટણીની બેઠકોમાં ગુજરાતની 2 બેઠકોનો સમાવેશ થાય છે. 1 બેઠક કડી છે. આ (SC) બેઠક પરથી જીત મેળવનાર  કરસનભાઈ સોલંકીનું અવસાન થતા આ બેઠક ખાલી હતી. 2જી બેઠક વિસાવદર છે. જ્યાંથી જીત મેળવનાર ભૂપેન્દ્રભાઈ ભાયાણીએ રાજીનામું આપી દેતા આ બેઠક પણ ખાલી પડી હતી. એ જ રીતે કેરળમાં નિલામ્બુર બેઠક પરથી પી. વી. અનવરનું રાજીનામું. પંજાબમાં લુધિયાણા પશ્ચિમ બેઠકના ગુરપ્રીત બસ્સી ગોગીનું અવસાન. પશ્ચિમ બંગાળમાં કલીગંજ બેઠક પરના નસીરુદ્દીન અહમદનું અવસાન થતા આ તમામ બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. સમયપત્રક............ સૂચના 26 મે, 2025 નામાંકન 2 જૂન, 2025 ચકાસણી 3 જૂન, 2025 નામાંકન પાછું ખેંચવું 5 જૂન, 2025 મતદાન 19 જૂન, 2025 મત ગણતરી 23 જૂન, 2025 ચૂંટણી પૂર્ણ તમામ મતદાન મથકો પર EVM અને VVPATનો ઉપયોગ ...
મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ

મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ

Gujarat, National
શનિવારે 24મી મેં ના વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા (IAS) તથા મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં છે. પોલીસ કાફલા સાથેની આ કાર્યવાહીએ બલિઠામાં કરેલી ડિમોલિશનની કાર્યવાહી બાદ ફરી એકવાર ભંગારીયાઓમાં ફફડાટ ફેલાવ્યો છે. મનપા એ આપેલી વિગતો મુજબ આ ગોડાઉનો રહેણાંક ઝોનમાં હતા. આસપાસમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો હતાં. છેલ્લા 4 મહિનામાં ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે. તથા ભંગારના ગોડાઉનોના માલિકોએ GPCB ની NOC પણ લીધેલ નથી. તેથી અનધિકૃત ભંગારના ગોડાઉનોના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દુર કરવા અપીલ કરી હતી. પરંતુ, તેઓ દ્વારા મનપાની આખરી નોટીસની અવગણના કરતા શનિવારે નોટિસ પિરિયડ પૂર્ણ થયા પછી કોર...
बेमौसम बारिश से वापी GIDC में मौज ही मौज, जल और वायु प्रदूषण फैलाने वालों ने उठाया पूरा फायदा?

बेमौसम बारिश से वापी GIDC में मौज ही मौज, जल और वायु प्रदूषण फैलाने वालों ने उठाया पूरा फायदा?

Gujarat, National
मौसम विभाग के पूर्वानुमान के अनुसार 24 मई को वापी सहित वलसाड जिले में बेमौसम बारिश हुई। सुबह-सुबह तेज हवाओं के साथ लगभग एक घंटे तक हुई भारी बारिश के दौरान, वापी GIDC की कई इकाइयों ने अपना एफ्ल्यूएन्ट नाले में बहा दिया। जिसके कारण अधिकांश स्ट्रोम वॉटर ड्रेन में रंगीन पानी बहता नजर आया। तो, कई स्ट्रोम वॉटर ड्रेन में मानसून-पूर्व कार्य पूरा नहीं होने से, कचरा, मिट्टी और झाड़ियां चारों ओर पड़ी देखी गईं। शनिवार की सुबह वापी एरिया में तेज हवा और बिजली की गड़गड़ाहट के साथ 35 MM बेमौसम बारिश हुई। यह बारिश सुबह-सुबह में हुई थी। जिसका फायदा उठाते हुए GIDC की कई इकाइयों ने वर्षा जल के साथ अपना एफ्ल्यूएन्ट भी छोड़ दिया। वर्षा जल के साथ निकले एफ्ल्यूएन्ट के कारण GIDC के अधिकांश वर्षा जल नालों और सार्वजनिक सड़कों पर लाल, हरा, पीला, भूरा रंग का पानी बहता देखा गया। इस बीच कई कंपनियों ने गैस भी छोड़ी औ...
MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ 

MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ 

Gujarat, National
ગુજરાતની MSME ઇકો સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલું તરીકે ગણાતી ગુણવતા યાત્રા વાપી ખાતે આવી પહોંચી હતી, જેમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોને એક સાથે લાવી સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં Back-to-back technical સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI) NBQPના સંયુક્ત નિર્દેશક મોહિત સિંહ દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. QCIના સલાહકાર જગત પટેલ દ્વારા ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે QCI દ્વારા ઓફર કરવામાં આવતી NABL Accreditations અંગે માર્ગદર્શન આપ્યું હતું. ક્યૂસીઆઈના ટેકનિકલ નિષ્ણાત હિરેન વ્યાસ દ્વ...
વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો PGDMLT ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

વાપીના કેબીએસ એન્ડ નટરાજ કોલેજનો PGDMLT ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

Gujarat, National
વાપીના ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી, પી.જી.ડી.એમ.એલ.ટી.ના વિઘાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં સૌથી વઘુ ગુણ મેળવી કોલેજનું ગૌરવ વઘાર્યુ છે. જેમાં પ્રથમ ક્રમે આવનાર વિધાર્થીઓમાં (1) પ્રજાપતિ પ્રિયંકા ભુપેન્દ્ર ના 8.15 (SGPA), (2) ખાન દાનીય મજબર રહેમાન ના  7.92 (SGPA),  (3) સોલંકી મહિમા કિરણભાઈના  7.92 (SGPA) પ્રાપ્ત કરી  કોલેજના ટોપર  બની ગૌરવ વઘાર્યુ છે. આમ, કોલેજનું નામ રોશન કરવા બદલ્ આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણે તથા ટ્રસ્ટીગણે  વિઘાર્થીઓને અભિનંદન આપી ભવિષ્યમાં પણ ઉચ્ચ સિદ્ધિ હાસંલ કરવા શુભેચ્છા પાઠવી હતી....
એક અંદાજ મુજબ આગામી 5 વર્ષ માટે ભારતનો વિકાસ દર 6.4 ટકા સુધી વધશે : ફિચ રેટિંગ્સ

એક અંદાજ મુજબ આગામી 5 વર્ષ માટે ભારતનો વિકાસ દર 6.4 ટકા સુધી વધશે : ફિચ રેટિંગ્સ

National, News
Vihar Vaishnav:  ફિચે જણાવ્યું હતું કે, "ભારતના ટ્રેન્ડ વૃદ્ધિ માટે અમારો અંદાજ 6.4 ટકા છે, જે અગાઉ 6.2 ટકા હતો. અમારું માનવું છે કે TFP વૃદ્ધિ તાજેતરના વર્ષોથી ધીમી પડશે અને 1.5 ટકાના લાંબા ગાળાના સરેરાશ સાથે સુસંગત રહેશે,". કુલ-પરિબળ ઉત્પાદકતા (TFP), જેને બહુ-પરિબળ ઉત્પાદકતા પણ કહેવાય છે, તે સામાન્ય રીતે કુલ ઉત્પાદન (GDP) અને કુલ ઇનપુટ્સના ગુણોત્તર તરીકે માપવામાં આવે છે. વૈશ્વિક રેટિંગ એજન્સીએ ચીનના વિકાસ દરનો અંદાજ 0.3 ટકા ઘટાડીને 4.3 ટકા કર્યો છે જે અગાઉ 4.6 ટકા હતો. આ ફેરફાર આગામી પાંચ વર્ષમાં 10 ઉભરતા બજાર અર્થતંત્રો માટે સંભવિત GDP વૃદ્ધિના ફિચના સુધારેલા મૂલ્યાંકનનો એક ભાગ છે. ફિચે નોંધ્યું હતું કે ભારત માટેના સુધારેલા અંદાજો શ્રમ ઉત્પાદકતા કરતાં શ્રમ ઇનપુટ (મુખ્યત્વે કુલ રોજગાર) માંથી વધુ યોગદાન દર્શાવે છે. રેટિંગ એજન્સીએ શ્રમ દળના ડેટાના સુધારેલા મૂલ્યાંકનના આધારે તેના અ...