
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે (વર્ચુઅલ) વલસાડ-દાહોદ ટ્રેન ને લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવાઇ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૈન્યની વીરગાથા "ઓપરેશન સિંદૂર" બાદ પ્રથમ વખત આજથી બે દિવસય ગુજરાતના પ્રવાસે આવ્યા છે, કેન્દ્ર રાજ્ય સરકાર ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું આજરોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વલસાડ-દાહોદ ટ્રેનને વડાપ્રધાને (વર્ચ્યુઅલ) લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું,
વલસાડ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્ર સરકારના રેલવે રાજ્ય મંત્રી વી.સોમનના, લોકસભા ના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ તબક્કે વલસાડ રેલવે સ્ટેશન ખાતે, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડેલ સહિત વિવિધ મંડળના પ્રમુખો, હોદ્દે...