Saturday, June 21News That You Want to Read

MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ 

ગુજરાતની MSME ઇકો સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલું તરીકે ગણાતી ગુણવતા યાત્રા વાપી ખાતે આવી પહોંચી હતી, જેમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોને એક સાથે લાવી સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ વર્કશોપમાં Back-to-back technical સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI) NBQPના સંયુક્ત નિર્દેશક મોહિત સિંહ દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

QCIના સલાહકાર જગત પટેલ દ્વારા ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે QCI દ્વારા ઓફર કરવામાં આવતી NABL Accreditations અંગે માર્ગદર્શન આપ્યું હતું. ક્યૂસીઆઈના ટેકનિકલ નિષ્ણાત હિરેન વ્યાસ દ્વારા MSME માટે ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતા લાવવા માટે QCI દ્વારા ZED અને લીન પ્રમાણપત્રો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના અધિકારીઓ દ્વારા ભારત સરકારના ફૂડ સેફ્ટી ઓફિસર જે. કે. ચૌધરી અને ભારત સરકારના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના ડેપ્યુટી ડિરેક્ટર સંજય બી બોસમિયા દ્વારા મુખ્ય નિયમનકારી અનુપાલન માર્ગદર્શન અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના વિરલ ચૌધરી દ્વારા પર્યાવરણના નિયમો અને પડકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર દ્વારા એમએસએમઈ માટે યોજનાઓ અને લાભો અંગે વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર વાય. ટી. પાવાગઢી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત નવા ક્ષેત્રોમાં અગ્રણી પરિબળ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે હવે ગુણવત્તાયુક્ત ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવાની જવાબદારી વધુ છે, જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે.

ગુણવત્તા યાત્રા રાજ્યભરમાં 55 દિવસ સુધી ચાલુ રહેશે. સુરત, વડોદરા, વિદ્યાનગર, ગાંધીનગર વગેરે જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો સહિત અન્ય 7 જિલ્લાઓ સુધી પહોંચશે અને ગુજરાતના ઉદ્યોગોમાં ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.

આ યાત્રાથી રાજ્યભરમાં MSME ને ZED, ISO અને લીન સર્ટિફિકેશન અને NABL એક્રેડિટેશન જેવી યોજનાઓ અને પ્રમાણપત્રોને પ્રોત્સાહન મળશે અને તેમને વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047 માટે સક્ષમ બનાવશે. ગુણવત્તા યાત્રાએ ગુણવત્તાયુક્ત ઉત્કૃષ્ટતાની યાત્રાની નવી શરૂઆત છે.

આ પ્રસંગે શ્રી સતિષ પટેલ, પ્રમુખ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી કલ્પેશ વોરા, માનદ સચિવ, વાપી ઉદ્યોગ સંઘ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *