
શનિ જયંતિ નિમિત્તે વલસાડના હનુમાનજી મંદિર શનિધામ ખાતે હોમ-હવન સાથે ભવ્ય ઉજવણી, ભક્તોએ શનિદેવના કર્યા દર્શન
અંગ્રેજી મહિના મુજબ 26મી મેં 2025 અને હિન્દુ કેલેન્ડર મુજબ વિક્રમ સંવત 2081 વૈશાખ વદ સોમવતી અમાસના શુભ દિને કર્મફળ દાતા શનિદેવની જન્મ જયંતિ હોય આ નિમિત્તે વલસાડના શનિધામમાં શનિ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે તારીખ 26 મેં ના બપોરે 12 વાગ્યાથી 27 મી મેં બપોર સુધીનો સમયગાળો વિ. સં. મુજબ અમાસ છે. જેથી સોમવારે બપોર બાદ શનિદેવના દર્શને ભીડ જોવા મળી હતી.
શનિ જયંતીના પવિત્ર અવસરે, વલસાડના હનુમાન ભાગડા વિસ્તારમાં આવેલા શ્રી હનુમાનજી મંદિર (શનિધામ) ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ શનિદેવ અને હનુમાનજીના દર્શન કર્યા. મંદિર પરિસરમાં હોમ-હવન સહિતના વિશેષ આયોજનોએ ભક્તોની શ્રદ્ધાને વધુ ગાઢ બનાવી હતી.
શનિ જયંતીનો આ પવિત્ર દિવસ શનિદેવની કૃપા અને હનુમાનજીના આશિર્વાદ મેળવવા માટે ખાસ મહત્વ ધરાવે છે. વલસાડનું શ્રી હનુમાનજી મંદિર, જે શનિધામ તરીકે પ્રસિદ્ધ છે, તેના પ્રાંગણમાં શનિદેવનું મંદિર આવ...