Friday, June 6News That You Want to Read

વલસાડમાં ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે હવાઈ હુમલાની સફળ Mock drill

વલસાડ જિલ્લામાં જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની તૈયારી ચકાસવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ‘Operation Shield’ અંતર્ગત તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે શનિવાર, તા. 31 મેના રોજ સાંજે 5 વાગ્યે હવાઈ હુમલાની Civil Defense Mock Drill (દ્વિતીય)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ જિલ્લા કલેકટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

મોકડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. હુમલા બાદ મંદિરે દર્શનાર્થે આવેલા પાંચ ઈજાગ્રસ્તોને યુદ્ધના ધોરણે એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોએ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચીને હુમલામાં ફસાયેલા 20 લોકોને બસ મારફત સર્કિટ હાઉસમાં સલામત સ્થળે ખસેડવાની કામગીરી બખૂબી પૂર્ણ કરી. ફાયર ફાયટર ટીમે પણ સમયસર પહોંચીને આગ બુઝાવવાનું કાર્ય કર્યું.

બુલેટપ્રૂફ જેકેટમાં સજ્જ હથિયારધારી પોલીસ અને કમાન્ડો ટીમે ઘટનાસ્થળે પહોંચી મંદિર પરિસરને ચારે બાજુથી કોર્ડન કરી, પર્યટકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી.

જિલ્લા કલેકટર ભવ્ય વર્માએ ઘટનાસ્થળની મુલાકાત લઈ મોકડ્રીલની સમીક્ષા કરી અને તંત્રની તૈયારીનું મૂલ્યાંકન કર્યું.

વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ અને જિલ્લા પુરવઠા અધિકારી દિપક બારીયાએ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં મુલાકાત લીધી.

વલસાડ ડીવાયએસપી એ. કે. વર્મા, વલસાડ સિટી પીઆઈ ડી. ડી. પરમાર અને રૂરલ પીઆઈ બી. ડી. જીત્યાએ મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત

વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે, આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સુરક્ષા માટે વહીવટી તંત્રની તૈયારી ચકાસવાનો અને કોઈપણ ઈમરજન્સીમાં ઝડપી કાર્યવાહીની જાગૃતિ લાવવાનો હતો. મોકડ્રીલ દરમિયાન બચાવ કામગીરી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવ્યો. સંબંધિત તમામ સરકારી વિભાગોએ સમયમર્યાદામાં પોતાની ફરજ બજાવી, જેના પરિણામે આ મોકડ્રીલ સંપૂર્ણ સફળ રહી.

ઉલ્લેખનીય છે કે, ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત યોજાયેલી આ મોકડ્રીલ વલસાડ જિલ્લા વહીવટની કટોકટીની પરિસ્થિતિમાં ત્વરિત અને સંકલિત કામગીરીની ક્ષમતાને રજૂ કરે છે. આવા આયોજનો નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *