Saturday, June 21News That You Want to Read

Gujarat

NSTEDB ભારત સરકાર દ્બારા પ્રાયોજીત રોફેલ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે મહિલા ઉદ્યોગ વિકાસ માટે 28 દિવસીય વર્કશોપ યોજાયો

NSTEDB ભારત સરકાર દ્બારા પ્રાયોજીત રોફેલ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટે મહિલા ઉદ્યોગ વિકાસ માટે 28 દિવસીય વર્કશોપ યોજાયો

Gujarat, National
રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી જી. એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી, વાપી ખાતે EDII અમદાવાદ સાથે સંકળાયેલ અને NSTEDB, ભારત સરકાર દ્બારા પ્રાયોજિત 28 દિવસીય મહિલા ઉધોગ સાહસ વિકાસ કાર્યક્રમ તા. 3 માર્ચ, 2025 થી 31 માર્ચ, 2025 સફળતા પૂર્વક યોજાયો. આ કાર્યક્રમમાં બી. ફાર્મ અને એમ. ફાર્મની કુલ 33 વિધાર્થીનીઓએ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ઉધોગ અને શૈક્ષણિક પૃષ્ઠભૂમિવાળા 25 જેટલા  નિષ્ણાંતો દ્બારા કુલ 42 સત્રો યોજાયા હતા. ભાગ લેનાર તમામ વિધાર્થીનીઓને  મંગલમ્‌ ડ્રગ્સ એન્ડ ઓર્ગેનિકસ લિમિટેડ ખાતે મુલાકાતનું પણ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમના સમાપન સમારંભમાં શ્રી પાર્થીવ મહેતા (સ્ટાર્ટઅપ વાપી પેટ્રોન), શ્રી કૃષીત શાહ (સ્ટાર્ટ વાપી પેસિડન્ટ), શ્રી પંતજલી ચૌધરી EDII, રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીનાં પ્રો.વોસ્ટ અને ડીન ડો. અરિન્દમ્‌ પાલ, યુનિવર્સિટીનાં રજીસ્ટાર ડો. પ્રિ...
हवेली इंस्टीट्यूट ऑफ लीगल स्टडीज एंड रिसर्च, सिलवासा में आयोजित दीक्षांत समारोह–2025 हुआ सम्पन्न, गुजरात राज्य के पूर्व शिक्षा मंत्री भूपेन्द्रसिंह चूड़ासमा उपस्थित रहे।

हवेली इंस्टीट्यूट ऑफ लीगल स्टडीज एंड रिसर्च, सिलवासा में आयोजित दीक्षांत समारोह–2025 हुआ सम्पन्न, गुजरात राज्य के पूर्व शिक्षा मंत्री भूपेन्द्रसिंह चूड़ासमा उपस्थित रहे।

Gujarat, National
मुंबई यूनिवर्सिटी से संबद्ध हवेली इंस्टीट्यूट ऑफ लीगल स्टडीज एंड रिसर्च लॉ कॉलेज में दिनांक 01 अप्रैल 2025 को डिग्री वितरण समारोह का आयोजन भव्य रूप से किया गया। इस गरिमामयी अवसर पर मुख्य अतिथि के रूप में गुजरात राज्य के पूर्व शिक्षा मंत्री भूपेन्द्रसिंह चूड़ासमा उपस्थित रहे। कार्यक्रम की अध्यक्षता लायंस क्लब ऑफ सिलवासा चैरिटेबल ट्रस्ट के अध्यक्ष फतेहसिंह एम. चौहान द्वारा की गई। इस समारोह में कई छात्रों ने अपनी डिग्री प्राप्त की और अपने नए करियर की ओर कदम बढ़ाया। समारोह में अन्य विशिष्ट अतिथियों द्वारा विद्यार्थियों को दीक्षांत शपथ दिलाई गई, जिसमें छात्रों ने अपनी डिग्री के प्रति निष्ठावान रहने की शपथ ली। एलएलबी विभागाध्यक्ष एकता तोमर ने 98 छात्रों को डिग्रियाँ प्रदान कीं, वहीं बीएएलएलबी विभाग के प्रमुख निर्नेश नायडू ने 27 बीएएलएलबी विद्यार्थियों का प्रतिनिधित्व किया। IQAC समन्वयक लक्...
ટ્રાન્સપોર્ટ નગરનો મુદ્દો ફરી ગાજયો:- વલવાડા ગામમાં આવેલ સંઘાડી પાડા ફળિયામાં 70 વર્ષ પહેલાં સંપાદિત થયેલ જમીન પર કબ્જો મેળવવા GIDC દ્વારા માપણી પ્રક્રિયા હાથ ધરી હોય, તેના વિરોધમાં આદિવાસી ખેડૂતોએ GIDC અને વહીવટીતંત્ર ને આવેદનપત્ર સોંપ્યું

ટ્રાન્સપોર્ટ નગરનો મુદ્દો ફરી ગાજયો:- વલવાડા ગામમાં આવેલ સંઘાડી પાડા ફળિયામાં 70 વર્ષ પહેલાં સંપાદિત થયેલ જમીન પર કબ્જો મેળવવા GIDC દ્વારા માપણી પ્રક્રિયા હાથ ધરી હોય, તેના વિરોધમાં આદિવાસી ખેડૂતોએ GIDC અને વહીવટીતંત્ર ને આવેદનપત્ર સોંપ્યું

Gujarat, National
વાપી GIDC કચેરી ખાતે ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડી પાડા ફળિયાના આદિવાસી ખેડૂતોએ એકત્ર થઈ ધારાસભ્ય રમણલાલ પાટકરની આગેવાનીમાં અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે ખેડૂતોએ વાપીના પ્રાદેશિક અધિકારીઓ દ્વારા આદિવાસી ખેડૂતો અને મૂળ કબજેદારોની જમીનો પર કાયદાની યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા વિના ગેરકાયદેસર રીતે કબજો મેળવવાના વારંવારના પ્રયાસો અંગેની ફરિયાદ અને સુનાવણીની તક આપવાની અરજી કરી હતી..  વલસાડ વહીવટીતંત્ર અને GIDC ને સંબોધિત આ આવેદનપત્ર માં ગામલોકોએ રજુઆત કરી છે કે, અમે આદિવાસી ખેડૂતો વલવાડા ગામન કાયમી રહેવાસી છીએ. અમે અમારા જન્મથી અહીં રહીએ છીએ અને અમારી ત્રીજી પેઢી પણ અમારી સાથે રહે છે. ખેતી અને અન્ય કામો કરીને અમારૂ ગુજરાન ચલાવીએ છીએ. અમે દમણ ગંગા નદીના કિનારે દક્ષિણ બાજુએ આવેલા જમીન ગુમાવનારાઓ પણ છીએ, જેમણે તેમની જમીનો તેમના ઉદ્દેશ્ય અને ધ્યેયો અનુસાર જાહેર હેતુ માટે GI...
નાહુલી ફાટક પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં કાર્યરત કંપની વરસાદી ગટરમાં છોડી રહી છે કંપનીનું ગંદુ પાણી

નાહુલી ફાટક પાસે ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માં કાર્યરત કંપની વરસાદી ગટરમાં છોડી રહી છે કંપનીનું ગંદુ પાણી

Gujarat, National
વાપી નજીકના વલવાડા ગામ વિસ્તારમાં આવતા અને નાહુલી ફાટક નજીક ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે. આ પાર્કમાં પેપર પ્રોડક્ટ અને એન્જીનીયરીંગના અનેક ઉદ્યોગો ધમધમે છે. જેમાં એક ઉદ્યોગ Paper and Paper Product, Merchant Wholesalers , Pulp, Paper, and Paperboard Mills, Converted Paper Product Manufacturing આવેલ છે. જેનું ગંદુ પાણી નજીકમાં વરસાદી ગટરમાં છોડી દેવામા આવતું હોય ભર ઉનાળે આ વરસાદી પાણીની ગટર કાળા કડદાથી ભરાઈ ગઈ છે. Riddhi Print & Pack Pvt. Ltd. નામની આ કંપની Industrial and personal service paper, Paperboard mills Bags, plastic, laminated, and coated પ્રોડકટનું ઉત્પાદન કરે છે. કંપનીના સંચાલકો મોટેભાગે મુંબઇ જ રહેતા હોય અહીં આ કંપનીનો કારભાર માત્ર કર્મચારીઓ સંચાલિત છે. જેના ફળ સ્વરૂપે છેલ્લા ઘણા સમયથી આ કંપનીનું ગંદુ કાળા રગડા જેવું પ્રવાહી કંપનીની પાછળના ભાગે વરસાદી ગટરમાં છોડી દેવ...
“જીવો અને જીવવા દો” ના સિધ્ધાંત પર કાર્ય કરતા અને પારિવારિક સદ્દભાવના ને પ્રોત્સાહિત કરતા JSG-BSF ના નવા પ્રમુખની વરણી માટે યોજાઇ Installation Ceremony 

“જીવો અને જીવવા દો” ના સિધ્ધાંત પર કાર્ય કરતા અને પારિવારિક સદ્દભાવના ને પ્રોત્સાહિત કરતા JSG-BSF ના નવા પ્રમુખની વરણી માટે યોજાઇ Installation Ceremony 

Gujarat, National
વાપીમાં રવિવારે ઉપાસના સ્કૂલ ના હોલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્સ્ટોલેશન સેરેમની ભિલાડ, સરીગામ, ફણસામાં કાર્યરત જૈન સોશ્યલ ગ્રુપનો હતો. જે છેલ્લા 2 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહેલા JSGian Hitesh Shah દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. JSGian વિપુલ રાણાવત અને તેમની ટીમને આગામી 2 વર્ષના સુકાન સોંપવા માટે આયોજિત આ ઈન્સ્ટોલેશન સેરેમનીમાં પૂર્વ પ્રમુખ હિતેશ શાહ અને તેની ટીમે 2 વર્ષમાં કરેલા સેવાકીય કાર્યની અને ખર્ચની વિગતો આપી હતી. જેમના સેવાકીય કાર્યને ઉપસ્થિત તમામ JSG ગ્રુપના સભ્યોએ બિરદાવી હતી.   JSG (Jain Social Group) અંગે આ સંસ્થાના JSG international Federation ના જનરલ સેક્રેટરી મનીષ શાહે જણાવ્યું હતું કે, JSG-BSF (ભિલાડ, સરીગામ, ફણસા) ગુજરાત રિજીયનમાં આવે છે. જેમાં અગાઉના પ્રમુખ હિતેશ શાહનો બે વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ આજે નવા પ્રમુખ તરીકે વિપુલ રાણા...
વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી… વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા

વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરી… વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા

Gujarat, National
ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસના કઠીન રોજા સાથે અલ્લાહની ઈબાદત પૂર્ણ કર્યા બાદ રવિવારે ઈદના ચાંદના દીદાર કરી સોમવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલા ઈદગાહ પર તેમજ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરી હતી. આ પ્રસંગે એકબીજાને ઇદની મુબારક બાદી આપી દેશમાં એકતા-ભાઈચારો કાયમ રહે દેશ વિકાસના પંથે આગળ વધે તેવી દુઆ કરી હતી.  અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના 30 રોજા પૂરા થયા બાદ સોમવારે ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી. નમાજ બાદ એેકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ તેમના મર્હુમોની કબર...
કરવડમાં શાળાની બસ જર્જરિત હાલતમાં, મોટી દુર્ઘટનાનો ભય, શાળા માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં 500 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ આપી રહી છે.

કરવડમાં શાળાની બસ જર્જરિત હાલતમાં, મોટી દુર્ઘટનાનો ભય, શાળા માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં 500 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ આપી રહી છે.

Gujarat, National
કરવડમાં દમણગંગા નહેર પાસે પ્લોટ નંબર 217 ખાતે એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા કાર્યરત છે. આ શાળા માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં 500 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ આપી રહી છે. જો કે, શાળા દ્વારા બાળકોને લાવવા-લઈ જવા માટે વપરાતી બસની હાલત અત્યંત જર્જરિત છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. બસમાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે, અને તેના કાચ પણ તૂટેલા છે. આ જર્જરિત હાલતને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક લોકોએ શાળા સંચાલકોને આ અંગે ધ્યાન દોર્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. શાળા સંચાલકો સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, બસનું મોટાભાગનું સમારકામ વેકેશન દરમિયાન કરવામાં આવે છે. હાલમાં શાળામાં બે બસ છે, જેનો ઉપયોગ ગરીબ બાળકોને લાવવા-લઈ જવા માટે થાય છે. આ બાળકોને ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકો આસ...
કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

Gujarat, National, News, Science & Technology
એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા નગર હવેલીની સરહદે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય ની ખેતીની જમીનો આવેલ છે, જે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર ખેતીલાયક જમીનો છે. જેની મુલાકાત દરમ્યાન મળેલી વિગતો મુજબ આ જમીનો બિન અધિકૃત રીતે 99 વર્ષના પટ્ટે પરપ્રાંતીય લોકોને ભંગારના ગોડાઉન માટે આપી દેવાઈ છે. તો, કેટલીક જમીનો પર રહેણાંક ઇમારતો, શોપિંગ સેન્ટર, ચાલ અને શાળા બનાવી દેવામાં આવી છે.  ગ્રામ પંચાયત દ્વારા આ તમામ પાસેથી ઘરવેરો પણ વસુલવામાં આવે છે. જ્યારે, સરકારી ચોપડે આ જમીનના 7X12 મૂળ આદિવાસી સમુદાયના ખેડૂત પરિવારોના નામો ચાલે છે. આ ઉપરાંત તેમની જમીન ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવેલો દેખાય છે. જો કે, આ સમગ્ર મામલે કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે. તે બાબતે વાપી મનપ...
વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક યોજી વલસાડ જિલ્લામાં વધુ રેલ સુવિધા પૂરી પાડવા રજુઆત કરી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક યોજી વલસાડ જિલ્લામાં વધુ રેલ સુવિધા પૂરી પાડવા રજુઆત કરી

Gujarat, National
દિલ્હી ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી વલસાડ જિલ્લાના ઉમરગામ, સંજાણ, ભિલાડ, કરમબેલે, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, વલસાડ, ડુંગરી જેવા રેલ્વે સ્ટેશનો ના વિકાસ તેમજ અંતરિયાળ વિસ્તારથી અવરજવર કરતા કામદારો, રેલયાત્રીઓ ને વધુ સુવિધાઓ પુરી પાડવા સંદર્ભે ખાસ બેઠક યોજી હતી, વલસાડ બ્રાંદ્રા ઈન્ટરસીટી ટ્રેનને ફરી ચાલુ કરાવવા સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જીલ્લાનો પ્રવાસ કરવા તેમજ વિવિધ સ્ટેશનો પર રેલ્વે દ્રારા આપવામાં આવતી સુવિધાઓ નું સ્થળ નિરીક્ષણ કરી હાલ ચાલી રહેલા વિકાસ કાર્યોની મુલાકાત લેવા વિશેષ આમંત્રણ પાઠવ્યું હતુ....
વાપી ટાઉનમાં હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ… વાહનચાલકો ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે

વાપી ટાઉનમાં હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ… વાહનચાલકો ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે

Gujarat, National
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કચીગામ રોહિતવાસ રોડ કે જે હનુમાન મંદિર થી કચીગામ બોર્ડરને જોડતો રોડ આવેલ છે. આ રોડ બનાવવાની કામગીરી આજ 28મી માર્ચ 2025 થી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી 30 દિવસ સુધી આ માર્ગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. જેના સ્થાને વાહનચાલકોને  ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ કરી છે. મહાનગરપાલિકા એ આપેલી વિગતો મુજબ આ રોડનું કામ બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં વાપી હનુમાન મંદિરથી જનસેવા હોસ્પિટલ થઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધીનું કામ શરૂ કરવામાં આવશે. જેથી હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત સમય ગાળા દરમ્યાન નાગરિકોને અગવડ ના પડે તે હેતુસર આશિયાના જંકશન થી ફિશ માર્કેટ થઈ વાપી બજાર રોડ અને મહારાણા પ્રતાપ સર્કલ થી રોફેલ કોલેજ થઈ દેસાઈવાડ/રિંગ રોડ ઉપરના રોડ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે...