દિલ્હી ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી વલસાડ જિલ્લાના ઉમરગામ, સંજાણ, ભિલાડ, કરમબેલે, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, વલસાડ, ડુંગરી જેવા રેલ્વે સ્ટેશનો ના વિકાસ તેમજ અંતરિયાળ વિસ્તારથી અવરજવર કરતા કામદારો, રેલયાત્રીઓ ને વધુ સુવિધાઓ પુરી પાડવા સંદર્ભે ખાસ બેઠક યોજી હતી,
વલસાડ બ્રાંદ્રા ઈન્ટરસીટી ટ્રેનને ફરી ચાલુ કરાવવા સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જીલ્લાનો પ્રવાસ કરવા તેમજ વિવિધ સ્ટેશનો પર રેલ્વે દ્રારા આપવામાં આવતી સુવિધાઓ નું સ્થળ નિરીક્ષણ કરી હાલ ચાલી રહેલા વિકાસ કાર્યોની મુલાકાત લેવા વિશેષ આમંત્રણ પાઠવ્યું હતુ.