
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામા આવેલ બરૂમાળમાં ભગવાન શ્રી ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના રજતોત્સવ અને ભારત વિશ્વગુરૂ બને એવા સંકલ્પ સનાતન 2025ના આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી વેદ મંત્રોચ્ચારના નાદ સાથે મહાદેવજીનો અભિષેક કર્યો હતો.
મંદિરના પટાંગણમાં 10 યુગલોના યજમાનપદે ચાલી રહેલા મહારુદ્ર મહાયજ્ઞના દર્શન કરી મુખ્યમંત્રીએ યજ્ઞ શાળાની પરિક્રમા કરી હતી. તેમજ ધરમપુરના આદિવાસી વિસ્તારમાં બરૂમાળ મંદિર દ્વારા ૨૫ વર્ષની સેવા, સમર્પણ અને સંસ્કૃતિની વિકાસની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રીએ નિહાળી હતી.
સનાતન ધર્મ આજે વિશ્વને દિશા નિર્દેશ કરી રહ્યો છે, ત્યારે આ બરૂમાળ સદગુરુધામ સનાતન ધર્મનું ઉત્તમ દ્રષ્ટાંત હોવાનું જણાવી...