
વાપી મહાનગરપાલિકા દ્વારા બલિઠામાં 35 અને મોરાઈમાં 15 ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યાં, મનપા કમિશ્નરે આપી વિગતો
વાપી મહાનગરપાલિકાની ટીમ દ્વારા બલિઠા અને મોરાઈમાં ધમધમતા ગેરકાયદેસરના ભંગારના ગોડાઉનને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરતા બલિઠા, મોરાઈ, છીરી, છરવાડા, ડુંગરા, કરવડ અને ચણોદ જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન બનાવી ભંગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભંગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે, મનપાની આ કાર્યવાહી અંગે કમિશ્નર યોગેશ ચૌધરીએ મહત્વની વિગતો આપી હતી.
વાપી મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અર્બન વિસ્તારમાં ભંગારના ગોડાઉનને કારણે ઘણી બધી તકલીફો થાય છે. જે હેલ્થ માટે ખૂબ જ મોટો ખતરો છે. તેમજ આગના અનેક બનાવો અવારનવાર બની રહ્યા છે. જેમાં લોકોના જાનમાલની નુકસાની થાય છે. આ તમામ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે બે મહિનાથી ખાસ ડ્રાઈવ ચાલી રહી છે.
જેમાં જ્યાં પણ ભંગારના ગોડાઉન છે તેમાં જેની પાસે સેફટીના સાધનો, ફાયરની NOC, GPCBની પરવાનગી નથી તે તમામને નોટિસ આપી હતી. ગોડાઉન માલિકોને ગોડાઉન ખાલી કરવા...