Saturday, June 21News That You Want to Read

National

વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, કેસરી ધજા-પતાકા સાથે ગુંજયો જય શ્રી રામ નો નાદ

વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, કેસરી ધજા-પતાકા સાથે ગુંજયો જય શ્રી રામ નો નાદ

Gujarat, National
સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાના વાપીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીના ડુંગરા, જે ટાઈપ, છીરી સહિતના વિસ્તારોમાંથી ભગવા ધ્વજ, DJ, નાસિક ઢોલના તાલે બપોરથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગ પર નીકળેલી રામલલ્લા ની શોભાયાત્રાનું 9:30 વાગ્યા બાદ અંબા માતા મંદિરે મહાઆરતી, આતશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું. વાપીમાં રામનવમી ના પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો કેસરિયા ધજા પતાકાથી શોભી ઉઠ્યા હતાં. શહેરીજનોએ ઉત્સાહભેર રામલલ્લાની શોભાયાત્રા માં જોડાઈ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં. વાપીમાં સમસ્ત હિન્દૂ સંગઠન દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રાએ શહેરભરમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ડુંગરા સ્થિત સરસ્વતી મંદિરથી નીકળેલ આ શોભાયાત્રા હરિયા પાર્ક, ચણોદ, ભડકમોરા, વાપી ચાર રસ્તા, ઇમરાન નગર, ગાંધી સર્કલ, કોપરલી ચોકડી, ગુંજન ચોક થઈને રાત્રે 9:30 વાગ્યે અ...
છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

Gujarat, National
06 એપ્રિલ રવિવારે સમગ્ર દેશના નાગરિકો રામનવમીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. વાપીમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા અને રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજન અંગે શ્રીજી પેટ્રોલિયમના સંચાલક સમીર પટેલે જણાવ્યું હતું કે, રામનવમી નિમિતે તેમના પેટ્રોલપંપ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ નાસિક ઢોલ વગાડી શોભાયાત્રા ને આવકારવામાં આવી હતી. જે બાદ ફ્લાવર શાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ધજાપતાકા હાથમાં લઈ DJ ના તાલે યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા છે. ત્યારે, શ્રીજી પેટ્રોલિયમ ત...
અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

Gujarat, National
સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી. દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્ત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ એક બેઠક યોજીને પદયાત્રાના આગમન પૂર્વે અનંત અંબાણીના ભવ્યાતિભવ્ય સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી. અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના ...
નાહુલી RUB માં લાઈટના અભાવે દિવસે પણ અંધારું રહેતું હોય અકસ્માત સહિત અનહોની ઘટના બનવાની શકયતા

નાહુલી RUB માં લાઈટના અભાવે દિવસે પણ અંધારું રહેતું હોય અકસ્માત સહિત અનહોની ઘટના બનવાની શકયતા

Gujarat, National
વાપી નજીક દમણગંગા નદી પસાર કર્યા બાદ મુંબઈ તરફ આવતા નાહુલી-વલવાડા ગામના પશ્ચિમ ભાગને હાઇવે સાથે જોડવા પશ્ચિમ રેલવે લાઇન પર RUB નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ RUB માં તંત્ર દ્વારા લાઇટની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી. ઉલટાનું અહીં RUB ના પૂર્વ છેડે શેડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે RUB માં દિવસે પણ અંધારું રહેતું હોય વાહનચાલકો માટે આ અકસ્માત ઝોન બની રહ્યો છે.  સામાન્ય રીતે અજવાળામાંથી અંધારામાં જતી વખતે માણસની આંખોમાં થોડી વાર માટે અંધારપટ જેવી ઝાંખપ છવાઈ જાય છે. આ કારણે વાહનોની લાઈટ ચાલુ હોવા છતાં પણ રેલવે અન્ડરપાસ માં કશું જ દેખાતું નથી. જે વાહનચાલકોમાં બેઘડી ગભરાટ ઉત્પન્ન કરાવે છે. નાહુલીના આ RUB માં લાઇટની પણ સુવિધા નથી. જેથી દિવસની જેમ રાત્રે પણ વાહનચાલકોને લૂંટાવાનો અને અકસ્માતનો ભય સતાવે છે. વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 અને પશ્ચિમ રેલવે લાઇન આસપાસના વાહનચાલકો મા...
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Gujarat, National
ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે આગામી તા. 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા ખાતે જનાર છે, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા સાથે દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી છે, જેમાં લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતેના પ્રવાસ દરમ્યાન બંને દેશો સાથે ભારત દેશના રાજકીય સંબંધો તેમજ વ્યાપારિક વાટાઘાટો થનાર છે તેમજ આ બંને દેશો સાથે ભારત દેશના પારસ્પરિક વ્યાપારિક સંબંધો વિકસાવવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે આદરણીય રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં યુવા અને...
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રૂ. 1.76 કરોડના ખર્ચે નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રૂ. 1.76 કરોડના ખર્ચે નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું

Gujarat, National
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે દમણગંગા સિંચાઈ ઓફિસની બાજુમાં રૂ. ૧ કરોડ ૭૬ લાખના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી હેઠળ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.૭૧.૬૪ લાખના ખર્ચે કુલ ૪ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના ભૂકંપ બાદ સુદૃઢ વીજળીકરણ માળખું ઉભું કર્યું હતું. પહેલા લોકો કહેતા કે, રાતે જમતી વેળા વીજળી આપો પણ હવે ૨૪ કલાક વીજળી મળે છે. ખેડુતોને દિવસે પણ વીજળી મળે છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ દેશનું એકપ...
સરીગામમાં 220 કે.વી. અને ડહેલીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ, આવનારા 20 વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં: મંત્રી કનુભાઈ દેસાઈ

સરીગામમાં 220 કે.વી. અને ડહેલીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ, આવનારા 20 વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં: મંત્રી કનુભાઈ દેસાઈ

Gujarat, National
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રૂ. ૧૦૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૨૦ કે.વી.સરીગામ (જી.આઈ.એસ.) સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ડહેલી ગામે જેટકોના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી જણાવ્યું કે, રમણભાઈ લોકોના કલ્યાકારી પ્રશ્નોનું ખૂબ જ ચીવટાઇપૂર્વક ધ્યાન રાખી પ્રજાના પ્રશ્નો હલ કરી સુખાકારી આપી રહ્યા છે. વીજળીની હવે સમસ્યા ભૂતકાળ બની છે. આજે અહીં સરીગામમાં ૨૨૦ કે.વી. અને ડહેલીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ થતા આવનારા ૨૦ વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવ...
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)એ ભારતમાં ઉત્તમ કામગીરી અને સૌથી વધુ નફા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું:- યોગેશ ચૌધરી, MD-DGVCL

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)એ ભારતમાં ઉત્તમ કામગીરી અને સૌથી વધુ નફા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું:- યોગેશ ચૌધરી, MD-DGVCL

Gujarat, National
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે 1.76 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ના મેનેજિંગ ડિરેકટર (MD) યોગેશ ચૌધરીએ હાલમાં જ DGVCL ને દેશમાં મળેલ પ્રથમ સ્થાન અંગે ખુશી વ્યક્ત કરી હતી. MD યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, DGVCL ને જે પ્રથમ સ્થાન મળ્યું છે. તેમાં મહત્વની બાબત એ છે કે, સેન્ટ્રલમાં Ministry of Power દર વર્ષે ભારતના દરેક સ્ટેટને ખાસ Integrated Rating આપે છે. દરેક સ્ટેટમાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. આ વીજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય કંપનીઓ છેલ્લા 2 વર્ષથી વિશેષ નફો કરે છે. જે પૈકી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ને પ્રથમ સ્થાન મળ્યું છે. આ પ્રથમ સ્થાન મ...
वापी में Hope House NGO की पहल: बच्चों को पर्यावरण और शिक्षा के प्रति जागरूक किया

वापी में Hope House NGO की पहल: बच्चों को पर्यावरण और शिक्षा के प्रति जागरूक किया

Gujarat, National
Hope House NGO ने वापी में पर्यावरण और शिक्षा के क्षेत्र में एक महत्वपूर्ण पहल की है। NGO ने बच्चों को पर्यावरण के महत्व और शिक्षा के प्रति जागरूक करने के लिए विभिन्न कार्यक्रम आयोजित किए हैं। NGO ने वडोली फलिया प्राथमिक शाला और   चला हलपति शाला में एक - एक वाटर फिल्टर और कूलर लगवाया है, जिससे बच्चों को शुद्ध पीने का पानी मिल सके। इसके अलावा, एनजीओ ने बच्चों को पर्यावरण के महत्व के बारे में जानकारी देने के लिए 21 फूलों, सब्जियों व  आयुर्वेदिक दवाई वाले पौधे लगवाए हैं। NGO के स्वयंसेवक हर हफ्ते बच्चों को अंग्रेजी विषय का ज्ञान देने के लिए स्कूल आते हैं। इसके अलावा बच्चों को हर महीने एक नोटबुक और पढ़ाई संबंधित चीजें देने की व्यवस्था की है। NGO ने श्राद्ध में बच्चों को 15 दिनों तक अलग-अलग व्यंजन परोसे। सर्दियों में बच्चों को बैठने के लिए तीन चटाइयाँ भी भेंट की हैं। इस पहल से वडोली फल...
ગેરકાયદેસર ભંગારના ગોડાઉન મામલે બદનામ બની ચૂકેલા ડુંગરી ફળીયા, કરવડમાં વાપી મહાનગરપાલિકા બાદ GPCB એ પણ 120 જેટલી નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી

ગેરકાયદેસર ભંગારના ગોડાઉન મામલે બદનામ બની ચૂકેલા ડુંગરી ફળીયા, કરવડમાં વાપી મહાનગરપાલિકા બાદ GPCB એ પણ 120 જેટલી નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી

Gujarat, National
વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી છે. જે બાદ GPCB એ પણ કાર્યવાહી હાથ ધરી 123 જેટલા ભંગારના ગોડાઉન માલિકોને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરી છે.   વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલિઠા, છીરી, છરવાડા, ચણોદ વિસ્તાર વાપી GIDC ને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાનામોટા મળીને અંદાજીત 3500થી વધુ ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં મોટા ભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો, આવા ભંગારના ગોડાઉનમાં કંપનીઓનો વેસ્ટ લાવી તેને સોર્ટીગ કરી નકામો વેસ્ટ આસપાસના વિસ્તારોમાં ઠાલવવાની અને તેને સળગાવી નાખવાની ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્...