વાપીથી તાપીની ભૂમિને પરશુરામ ની ભૂમિ માનવામાં આવે છે. ત્યારે, 29મી એપ્રિલે પરશુરામ જયંતિ નિમિત્તે વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન પરશુરામની પ્રતિમાને ફુલહાર પહેરાવી આરતી ઉતારી આ ચોક ને ભગવાન પરશુરામ નામ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાન સંજય શુક્લાએ જણાવ્યું હતું કે, વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ ઉજવવામાં આવી હતી. વાપીમાં ચાર રસ્તા ખાતે આવેલ પરશુરામ ભગવાનની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમની આરતી ઉતારી આ ઉજવણી કરવામાં આવી હતી.
તો, સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આ વાપી ચાર રસ્તાના આ ચોકને પરશુરામ ચોક નામ આપવામાં આવ્યું છે. હાલમાં જ પહેલગામ હુમલામાં મોતને ભેટેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદને ભગવાન પરશુરામ ખતમ કરે આતંકવાદીઓની માનસિકતાને ખતમ કરે તે માટે પ્રાર્થના કરી હતી.
આતંકવાદ જેવા કૃત્ય કરવાવાળાને સરકાર દ્વારા પણ સજા કરવામાં આવે. આ દેશ વિશ્વના કલ્યાણની ભાવના સેવવા વાળો દેશ છે ત્યારે, ભારત દેશના નાગરિકો સાથે થતા આ હુમલા અયોગ્ય હોવાનું જણાવ્યું હતું.