
ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલો ઐતિહાસિક ઇન્દ્રગઢ કિલ્લો બની શકે છે આગવું ટુરિસ્ટ ડેસ્ટિનેશન
ઇતિહાસ તેમજ પ્રકૃતિના અદ્ભુત સમન્વયનો અનુભવ કરાવતું અનોખું પ્રવાસન સ્થળ
આજે અમે તમને લઈ જઈએ છીએ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા પાલી કરમબેલી ગામમાં, જ્યાં એક ઐતિહાસિક અને પ્રકૃતિની ગોદમાં વસેલો કિલ્લો આવેલો છે. આ કિલ્લાને ઇન્દ્રગઢ ના નામે ઓળખવામાં આવે છે. લોકવાયકા અનુસાર, આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજે બંધાવ્યો હતો અને તેમની લશ્કરી છાવણીનું કેન્દ્ર હતું.
Advertisement
આશરે 350 વર્ષ જૂનો આ કિલ્લો આજે પણ પથ્થરના મજબૂત બાંધકામને કારણે અકબંધ રહ્યો છે, જોકે ઝાડીઓના ઉગાવા અને જાળવણીના અભાવે કેટલીક દીવાલો જર્જરિત થઈ ગઈ છે. આ કિલ્લામાં બે મુખ્ય પ્રવેશદ્વાર, સૈનિકોના રહેઠાણ માટે આવાસ અને ચોગાનમાં એક કુંડ આવેલું છે. કુંડમાં આજે પણ આખું વર્ષ પાણી સુકાતું નથી.
Advertisement
કિલ્લાની બહાર ચેરુંમાતાનું નાનું દેરું છે, જ્યાં આસપાસના ગ્રામજનો દર્શન માટે આવે છે. આ કિલ્લો વનરાજીથી...