
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી
જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ પૂરું પાડવાના આશય સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના યુવા વિદ્યાર્થીઓ અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા મોડી સાંજે નાની દમણના દિલિપ નગર ક્રિકેટ ગ્રાઉન્ડથી મશાલ ચોક સુધી વિરોધ પ્રદર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે વાપીમાં પણ સામાજિક સંસ્થાઓએ કેન્ડલ જલાવી દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ સાથે દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આતંકીઓ એ કાશ્મીર ફરવા ગયેલા દેશના નિર્દોષ નાગરિકોને ગોળી મારી મોત ને ઘાટ ઉતારી દીઘા છે આ દુઃખદ. ઘટનાને ધ્યાન માં રાખી વાપી ટાઉનમાં સરદાર ચોક ખાતે વાપી સોશિયલ ગ...