Saturday, June 21News That You Want to Read

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જીલ્લા પોલીસ દ્રારા 13 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ રૂપિયા 3,31,89,869/-ની કિંમતના શરાબનો કર્યો નાશ

વલસાડ જિલ્લો દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર સરહદને જોડતો સરહદી જિલ્લો છે. જે અંતર્ગત આ જિલ્લાના પોલીસ મથકમાં વર્ષ 2025માં પકડાયેલ પ્રોહીબિશન મુદામાલનો ભિલાડ ચેકપોસ્ટ નજીક નાશ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટમાંથી નાશ કરવાના હુકમો મેળવી પ્રાંત અધિકારી વલસાડ, પારડી, ધરમપુર અને નાયબ પોલીસ અધિક્ષક વલસાડ-વાપી વિભાગ સહિત PI, આબકારી વિભાગ વલસાડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની ઉપસ્થિતિમાં કુલ 13 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ રૂપિયા 3,31,89,869/-ની કિંમતના શરાબનો કર્યો નાશ કર્યો હતો.

આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જીલ્લા તમામ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન એકટ હેઠળના ગુનાઓમાં કબજે કરેલ પ્રોહીબિશન મુદ્દામાલ અંગે પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહે નિયમોનુસાર SOP મુજબ નાશ કરવા સુચના આપી હતી.

જે અન્વયે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ થાણા અધિકારીઓએ સને 2024 માં પકડાયેલ પ્રોહીબિશન મુદામાલનો સંલગ્ન નામદાર કોર્ટમાંથી નાશ કરવા સારૂ હુકમો મેળવ્યાં હતાં. સંલગ્ન પ્રાંત અધિકારી વલસાડ, પારડી, ધરમપુર નાઓને દરખાસ્ત કરી પ્રોહીબિશન મુદામાલનો નાશ કરવા મંજુરી હુકમો મેળવ્યા હતાં.

જે અનુસંધાને 21/04/2025 ના ભીલાડ RTO ચેક પોસ્ટ ખાતે પ્રાંત અધિકારી વલસાડ વિભાગ, પારડી વિભાગ, ધરમપુર વિભાગ, તથા નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ, વાપી વિભાગ ઇન્સ્પેકટર નશાબંધી અને આબકારી વિભાગ વલસાડ તેમજ જીલ્લાના તમામ થાણા અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રોહીબીશનના ગુનાઓમાં કબજે કરેલ કુલ રૂપિયા 3,31,87,869/- નો મુદામાલ સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ વિગતે નાશ કરવામાં આવ્યો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *