Monday, June 23News That You Want to Read

National

વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું

વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું

Gujarat, National
વાપી GIDC માં આવેલ 100 શેડ એરિયામાં CETP નું એફલૂએન્ટ વરસાદી નાળામાં ઠલવાઇ રહ્યું છે. કરે કોઈ અને ભરે કોઈ કહેવત મુજબ આ વિસ્તારમાં થોડા સમય પહેલા વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અન્ડરગ્રાઉન્ડ CETP ની લાઈનમાં ભંગાણ કર્યું હોય એ ભંગાણ મારફતે નીકળતું એફલયુએન્ટ નજીકમાંથી પસાર થતા વરસાદી લાઈનમાં ભળી રહ્યું છે.    આ ઉપરાંત વીજ વિભાગના કામ બાદ GIDC એ અહીં ડામર રોડનું કામ હાથ ધર્યું જેમાં રોડ કિનારે આવેલ CETP લાઈનની ચેમ્બર પણ તોડી નાખતા ચેમ્બરોમાં પણ મોટાપાયે માટી, ડામર જેવો કચરો ભરાઈ જતા લાઇન પણ ચોકઅપ જોવા મળી હતી. આ મામલે CETP સ્ટાફને જાણકારી મળતા તેઓએ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. CETP ના સ્ટાફે વરસાદી લાઈનમાં ઠલવાઇ રહેલ એફલયુએન્ટ ના સેમ્પલ લીધા હતાં. તેમજ આસપાસની CETP ની ચેમ્બર ખોલી તેના સેમ્પલ લેવા સાથે નજીકની કંપનીમાંથી પણ સેમ્પલ લી...
વાપીમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

વાપીમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Gujarat, National
રાજસ્થાનમાં સરદાર શહેરમાં બિરાજમાન શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજીનો અનેરો મહિમા છે. ભારતભરમાં તેની અનેક શાખાઓ દ્વારા તેમના ભક્તો સતત તેનો પ્રચાર પ્રસાર કરવા સાથે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. વાપીમાં પણ છેલ્લા 11 વર્ષથી બજરંગબલીના ભક્તો શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના નેજા હેઠળ સામાજિક સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ફેલાવી રહ્યા છે. તો, દર વર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે. જેના ઉપલક્ષ્યમાં આ વર્ષે 12મી એપ્રિલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 11 વર્ષથી કાર્યરત શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના સભ્યોએ એક બેઠકનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એવા રાજા પિલ્લઈ અને સભ્ય સુનિલ શર્માએ વિગતો આપી હતી કે, વાપીમાં આગામી 12મી એપ્રિલના દિવસે હનુમાન જયંતી નિમિત્તે વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ લક્ષ્મીભૂલા પાર્ટ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામા આવેલ બરૂમાળમાં ભગવાન શ્રી ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના રજતોત્સવ અને ભારત વિશ્વગુરૂ બને એવા સંકલ્પ સનાતન 2025ના આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી વેદ મંત્રોચ્ચારના નાદ સાથે મહાદેવજીનો અભિષેક કર્યો હતો. મંદિરના પટાંગણમાં 10 યુગલોના યજમાનપદે ચાલી રહેલા મહારુદ્ર મહાયજ્ઞના દર્શન કરી મુખ્યમંત્રીએ યજ્ઞ શાળાની પરિક્રમા કરી હતી. તેમજ ધરમપુરના આદિવાસી વિસ્તારમાં બરૂમાળ મંદિર દ્વારા ૨૫ વર્ષની સેવા, સમર્પણ અને સંસ્કૃતિની વિકાસની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રીએ નિહાળી હતી. સનાતન ધર્મ આજે વિશ્વને દિશા નિર્દેશ કરી રહ્યો છે, ત્યારે આ બરૂમાળ સદગુરુધામ સનાતન ધર્મનું ઉત્તમ દ્રષ્ટાંત હોવાનું જણાવી...
વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, કેસરી ધજા-પતાકા સાથે ગુંજયો જય શ્રી રામ નો નાદ

વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, કેસરી ધજા-પતાકા સાથે ગુંજયો જય શ્રી રામ નો નાદ

Gujarat, National
સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાના વાપીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીના ડુંગરા, જે ટાઈપ, છીરી સહિતના વિસ્તારોમાંથી ભગવા ધ્વજ, DJ, નાસિક ઢોલના તાલે બપોરથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગ પર નીકળેલી રામલલ્લા ની શોભાયાત્રાનું 9:30 વાગ્યા બાદ અંબા માતા મંદિરે મહાઆરતી, આતશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું. વાપીમાં રામનવમી ના પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો કેસરિયા ધજા પતાકાથી શોભી ઉઠ્યા હતાં. શહેરીજનોએ ઉત્સાહભેર રામલલ્લાની શોભાયાત્રા માં જોડાઈ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં. વાપીમાં સમસ્ત હિન્દૂ સંગઠન દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રાએ શહેરભરમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ડુંગરા સ્થિત સરસ્વતી મંદિરથી નીકળેલ આ શોભાયાત્રા હરિયા પાર્ક, ચણોદ, ભડકમોરા, વાપી ચાર રસ્તા, ઇમરાન નગર, ગાંધી સર્કલ, કોપરલી ચોકડી, ગુંજન ચોક થઈને રાત્રે 9:30 વાગ્યે અ...
છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

Gujarat, National
06 એપ્રિલ રવિવારે સમગ્ર દેશના નાગરિકો રામનવમીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. વાપીમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા અને રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજન અંગે શ્રીજી પેટ્રોલિયમના સંચાલક સમીર પટેલે જણાવ્યું હતું કે, રામનવમી નિમિતે તેમના પેટ્રોલપંપ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ નાસિક ઢોલ વગાડી શોભાયાત્રા ને આવકારવામાં આવી હતી. જે બાદ ફ્લાવર શાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ધજાપતાકા હાથમાં લઈ DJ ના તાલે યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા છે. ત્યારે, શ્રીજી પેટ્રોલિયમ ત...
અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

Gujarat, National
સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી. દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્ત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ એક બેઠક યોજીને પદયાત્રાના આગમન પૂર્વે અનંત અંબાણીના ભવ્યાતિભવ્ય સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી. અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના ...
નાહુલી RUB માં લાઈટના અભાવે દિવસે પણ અંધારું રહેતું હોય અકસ્માત સહિત અનહોની ઘટના બનવાની શકયતા

નાહુલી RUB માં લાઈટના અભાવે દિવસે પણ અંધારું રહેતું હોય અકસ્માત સહિત અનહોની ઘટના બનવાની શકયતા

Gujarat, National
વાપી નજીક દમણગંગા નદી પસાર કર્યા બાદ મુંબઈ તરફ આવતા નાહુલી-વલવાડા ગામના પશ્ચિમ ભાગને હાઇવે સાથે જોડવા પશ્ચિમ રેલવે લાઇન પર RUB નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ RUB માં તંત્ર દ્વારા લાઇટની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી. ઉલટાનું અહીં RUB ના પૂર્વ છેડે શેડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે RUB માં દિવસે પણ અંધારું રહેતું હોય વાહનચાલકો માટે આ અકસ્માત ઝોન બની રહ્યો છે.  સામાન્ય રીતે અજવાળામાંથી અંધારામાં જતી વખતે માણસની આંખોમાં થોડી વાર માટે અંધારપટ જેવી ઝાંખપ છવાઈ જાય છે. આ કારણે વાહનોની લાઈટ ચાલુ હોવા છતાં પણ રેલવે અન્ડરપાસ માં કશું જ દેખાતું નથી. જે વાહનચાલકોમાં બેઘડી ગભરાટ ઉત્પન્ન કરાવે છે. નાહુલીના આ RUB માં લાઇટની પણ સુવિધા નથી. જેથી દિવસની જેમ રાત્રે પણ વાહનચાલકોને લૂંટાવાનો અને અકસ્માતનો ભય સતાવે છે. વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 અને પશ્ચિમ રેલવે લાઇન આસપાસના વાહનચાલકો મા...
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Gujarat, National
ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે આગામી તા. 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા ખાતે જનાર છે, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા સાથે દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી છે, જેમાં લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતેના પ્રવાસ દરમ્યાન બંને દેશો સાથે ભારત દેશના રાજકીય સંબંધો તેમજ વ્યાપારિક વાટાઘાટો થનાર છે તેમજ આ બંને દેશો સાથે ભારત દેશના પારસ્પરિક વ્યાપારિક સંબંધો વિકસાવવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે આદરણીય રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં યુવા અને...
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રૂ. 1.76 કરોડના ખર્ચે નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રૂ. 1.76 કરોડના ખર્ચે નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું

Gujarat, National
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે દમણગંગા સિંચાઈ ઓફિસની બાજુમાં રૂ. ૧ કરોડ ૭૬ લાખના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી હેઠળ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.૭૧.૬૪ લાખના ખર્ચે કુલ ૪ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના ભૂકંપ બાદ સુદૃઢ વીજળીકરણ માળખું ઉભું કર્યું હતું. પહેલા લોકો કહેતા કે, રાતે જમતી વેળા વીજળી આપો પણ હવે ૨૪ કલાક વીજળી મળે છે. ખેડુતોને દિવસે પણ વીજળી મળે છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ દેશનું એકપ...
સરીગામમાં 220 કે.વી. અને ડહેલીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ, આવનારા 20 વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં: મંત્રી કનુભાઈ દેસાઈ

સરીગામમાં 220 કે.વી. અને ડહેલીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ, આવનારા 20 વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં: મંત્રી કનુભાઈ દેસાઈ

Gujarat, National
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રૂ. ૧૦૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૨૦ કે.વી.સરીગામ (જી.આઈ.એસ.) સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ડહેલી ગામે જેટકોના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી જણાવ્યું કે, રમણભાઈ લોકોના કલ્યાકારી પ્રશ્નોનું ખૂબ જ ચીવટાઇપૂર્વક ધ્યાન રાખી પ્રજાના પ્રશ્નો હલ કરી સુખાકારી આપી રહ્યા છે. વીજળીની હવે સમસ્યા ભૂતકાળ બની છે. આજે અહીં સરીગામમાં ૨૨૦ કે.વી. અને ડહેલીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ થતા આવનારા ૨૦ વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવ...