
વાપીમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન
રાજસ્થાનમાં સરદાર શહેરમાં બિરાજમાન શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજીનો અનેરો મહિમા છે. ભારતભરમાં તેની અનેક શાખાઓ દ્વારા તેમના ભક્તો સતત તેનો પ્રચાર પ્રસાર કરવા સાથે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. વાપીમાં પણ છેલ્લા 11 વર્ષથી બજરંગબલીના ભક્તો શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના નેજા હેઠળ સામાજિક સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ફેલાવી રહ્યા છે. તો, દર વર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે. જેના ઉપલક્ષ્યમાં આ વર્ષે 12મી એપ્રિલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વાપીમાં 11 વર્ષથી કાર્યરત શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના સભ્યોએ એક બેઠકનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એવા રાજા પિલ્લઈ અને સભ્ય સુનિલ શર્માએ વિગતો આપી હતી કે, વાપીમાં આગામી 12મી એપ્રિલના દિવસે હનુમાન જયંતી નિમિત્તે વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ લક્ષ્મીભૂલા પાર્ટ...