
અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાપીના નવર્નિમિત મકાનનું નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કર્યું લોકાર્પણ, બલિઠા ખાતે બની રહેલ 125 બેડની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ પણ ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે
રાજયના નાણાં, ઊર્જા અને પ્રેટોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપી તાલુકાના વાપી શહેરના વાલ્મિકી આવાસના રૂા. 1.1 કરોડના ખર્ચે તૈયાર થયેલા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરી વાપી તાલુકાની જનતા માટે ખુલ્લું મૂકયું હતું.
વાપી રેલવે સ્ટેશનના પશ્ચિમ ગેટને અડીને બનેલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના લોકોને સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે અનેકવિધ પ્રયત્નો કર્યા હતા. દેશના વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના કાળમાં આયુષ્યમાન યોજના અંતર્ગત દેશના નાનામાં નાના માણસને પરિવારદીઠ રૂા. 5 લાખની મફત તબીબી સારવાર આપવાની શરૂઆત કરી છે. આ યોજનામાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજય સરકાર તરફથી આયુષ્યમાન યોજનામાં પરિવારદીઠ રૂા. 5...