Sunday, June 22News That You Want to Read

Gujarat

ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. “હાલનો યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે” જરૂર પડશે સંપૂર્ણ ચિત્ર બતાવીશું : સંરક્ષણ પ્રધાન

ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. “હાલનો યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે” જરૂર પડશે સંપૂર્ણ ચિત્ર બતાવીશું : સંરક્ષણ પ્રધાન

Gujarat, National
16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, "આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જો વર્તન સુધરે તો તે ઠીક છે; પરંતુ જો કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા આપવામાં આવશે, સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. "અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલર હતી, જો જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. 'આતંકવાદ પર હુમલો કરવો અને તેને ખતમ કરવો' એ નવા ભારતનો નવો સામાન્ય નિયમ છે." રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારત દ્વારા નાશ પામેલા તેના આતંકવાદી ...
વલસાડમાં નાણામંત્રી, સાંસદ, ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી

વલસાડમાં નાણામંત્રી, સાંસદ, ધારાસભ્યની આગેવાનીમાં વિશાળ તિરંગા યાત્રા નીકળી

Gujarat, National
વલસાડ શહેર ખાતે ગુજરાત સરકારના નાણાંમંત્રી  કનુભાઈ દેસાઈ તેમજ લોકસભાના દંડક, વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં વલસાડ ના શહીદ ચોક ખાતેથી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી, આ યાત્રા શહેરના વિવિધ સ્થળોથી પસાર થઈ નગરપાલિકા ભવન સ્થિત શ્યામજી કૃષ્ણ વર્માઁની પ્રતિમા પાસે સમાપન થઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જીલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત, જીલ્લા તેમજ વિવિધ મંડળોમાંથી પધારેલ સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા આગેવાનો સહિત સંતો, દેશની સરહદે સેવા આપીને નિવૃત થયેલ અનેક નિવૃત સૈનિકો, નગરજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા....
ક્રાઈમ બ્રાન્ચ, DNHDD અને કચીગામ પોલીસ સ્ટેશન, દમણ દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ શોપ ચોરીનો કેસ ઉકેલાયો-પાંચ (05) આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ, ચોરાયેલા મોબાઈલ જપ્ત

ક્રાઈમ બ્રાન્ચ, DNHDD અને કચીગામ પોલીસ સ્ટેશન, દમણ દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ શોપ ચોરીનો કેસ ઉકેલાયો-પાંચ (05) આંતરરાજ્ય આરોપીઓની ધરપકડ, ચોરાયેલા મોબાઈલ જપ્ત

Gujarat, National
07/05/2025 ના રોજ સંઘપ્રદેશ દમણના કચીગામ ચાર રસ્તા નજીક શિવ કોમ્પ્લેક્સ, એસ.એસ. ટેલિકોમ ખાતે થયેલી ચોરી અંગે ભારતીય ન્યાય સંહિતા, 2023 ની કલમ 305, 331(4), અને 61(2) હેઠળ કચીગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાદ દમણ પોલીસે ગુનામાં સંડોવાયેલા (1) આઝાદ મુસ્તાક પઠાણ, (2) દિવાન સિંહ @રાહુલ ઓમપ્રકાર થોમર, (3) રાજપતિ સંતરામ પાલ, (4) શંકર રામદયાલ મૌર્ય, (5) શિવમ અશોક પાંડે નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે દમણ પોલીસે આપેલી વિગતો મુજબ ફરિયાદી સમીર ચુનારાએ 10 મોબાઈલ ફોન, 67,500 રૂપિયા રોકડા અને 12,000 રૂપિયાના મોબાઈલ એસેસરીઝની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. કુલ 2.10 લાખ રૂપિયાની ચોરીનો અંદાજ વ્યક્ત કર્યો હતો. આ ઘટના બાદ, પોલીસ અધિક્ષક (મુખ્ય મથક અને ક્રાઇમ) ના નિર્દેશો અનુસાર સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચ અને કચીગામ પોલીસ સ્ટેશન સહિત અનેક પોલીસ ટીમો બનાવવામાં આવી હતી. વિવિધ પોલીસ ટીમો દ્વારા વાપી...
વલસાડના દરેક તાલુકાઓમાં તારીખ 19 મે ના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર ભરતી કેમ્પ યોજાશે

વલસાડના દરેક તાલુકાઓમાં તારીખ 19 મે ના રોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ વોલેન્ટીયર ભરતી કેમ્પ યોજાશે

Gujarat, National
હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને સિવિલ ડિફેન્સના નિયંત્રક તરીકેના હુકમો સરકાર તરફથી કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓ ખાતે સ્વયંસેવકની નોંધણી કરાશે. જે લોકો રાષ્ટ્રસેવા કરવા માટે સિવિલ ડિફેન્સમાં જોડાવા માગતા હોય તેઓ રજીસ્ટ્રેશન માટે પાસપોર્ટ સાઈઝનો એક ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડયાનું પ્રમાણપત્ર, લાઈટ બિલ/ મિલકત વેરા પૈકી કોઈ પણ બે પુરાવા સાથે રાખવા. સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નોંધણી માટેની લાયકાતમાં ઓછામાં ઓછુ ધોરણ 4 પાસ અને 18 વર્ષ કે તેથી ઉપરના નિરોગી, તંદુરસ્ત વ્યક્તિઓ અને ભારતીય નાગરિકતા ધરાવતા હોવા જોઈએ. આ સ્વયંસેવકો તરીકે માજી સૈનિકો, પોલીસમિત્ર, એનએસએસ, એનસીસી વોલન્ટિયર, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો, ખાનગી સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, એનજીઓ વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે....
રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા

Gujarat, National
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી, માહિતી બ્યુરો, વલસાડ ડેન્ગ્યુ એટલે ગંભીર વાયરલ રોગ. જે એડીસ ઈજિપ્ત મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુનો તાવ એ ગંભીર પ્રકારનો તાવ છે. જેમાં રક્તસ્ત્રાવ થાય છે. કોઈક વાર મગજને આઘાત પહોંચતા માણસનું મૃત્યુ પણ થાય છે. જેથી દર વર્ષે તા. 16 મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડેન્ગ્યુના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ લોકોને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગથી જાગૃત કરવાનો છે. કારણ કે આજે પણ લોકોમાં ડેન્ગ્યુ જેવા ગંભીર તાવ અંગે જાગૃતિનો અભાવ જોવા મળે છે. ડેન્ગ્યુને અટકાવવા માટે જરૂરી પગલાંને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક કામગીરી થતા ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં...
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજય સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઈન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજય સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઈન્ડિયન પોટાશ લિમિટેડની વિઝિટ લીધી

Gujarat, National
રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને  સહકાર રાજ્ય મંત્રીશ જગદીશ વિશ્વકર્માએ ગુરુવારે વલસાડના પારનેરા પારડી ખાતે ઇન્ડિયન પોટાશ લિમિટેડ સંચાલિત વલસાડ સુગર ફેકટરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ યોજાયેલી બેઠકમાં રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇ અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઇન્ડિયન પોટાશ લિ. ના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી. રાજય સરકારના સહકાર વિભાગના ધારાધોરણ મુજબ સભાસદો(ખેડૂતો)ને તેમની શેરડીના પિલાણના મહત્તમ ભાવો સમયમર્યાદામાં મળે અને હાલના જે સભાસદો છે તેમાં વધારો થાય તેમજ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ સુગર ફેક્ટરીનો લાભ લે તે જોવા જણાવ્યું હતું. આ બેઠકમાં રાજયના સહકાર સચિવ સંદીપકુમાર, ખાંડ નિયામક એચ. એન. પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર એચ. એન. કાછડ, પ્રાંત અધિકારી વિમલ પટેલ તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા....
વાપી મહાનગરપાલિકાએ 3 સ્ટેજમાં શરૂ કરી પ્રિમોન્સૂન કામગીરી, 30 દિવસમાં વૉટર લોગીંગ, કચરો, ગંદકી અને ચાલુ વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્નોનો નિવેડો લાવવા મનપા સજ્જ

વાપી મહાનગરપાલિકાએ 3 સ્ટેજમાં શરૂ કરી પ્રિમોન્સૂન કામગીરી, 30 દિવસમાં વૉટર લોગીંગ, કચરો, ગંદકી અને ચાલુ વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્નોનો નિવેડો લાવવા મનપા સજ્જ

Gujarat, National
ચોમાસા આડે હવે એકાદ મહિનો જ બચ્યો છે. ત્યારે, વાપી મહાનગરપાલિકાએ ત્રણ સ્ટેજમાં 30 દિવસમાં પ્રિમોન્સૂન કામગીરી આટોપી લેવાનો સંકલ્પ લીધો છે. જે અંગે વાપી મહાનગરપાલિકા ના ડેપ્યુટી કમિશ્નર અશ્વિન પાઠકે વિગતો આપી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ અશ્વિન પાઠકે જણાવ્યું છે કે, વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એકાદ સપ્તાહથી યુદ્ધના ધોરણે પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરી દીધી છે.  ત્રણ સ્ટેજમાં આ કામગીરી ચાલશે. જેમાં પ્રથમ 10 દિવસમાં મનપાના એવા વિસ્તારની પસંદગી કરવામાં આવી છે. જ્યાં વોટર લોગિંગના પ્રશ્નો ઉદ્ભવી શકે છે. જે અંતર્ગત મોટી ખનકીઓ સહિતના સ્થળોની સાફસફાઈની કામગીરી આટોપવામાં આવશે. જે બાદના 10 દિવસમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં કચરો ગંદકી દૂર કરવામાં આવશે. ગટરની સાફ-સફાઈ કરવામાં આવશે. જે પછીના અંતિમ દસ દિવસ એવા સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જ્યાં ચાલુ વરસાદમાં વોટર લોગીંગના પ્રશ્નો ઊ...
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના  વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષામાં ચમક્યા

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના  વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષામાં ચમક્યા

Gujarat, National
ગજેરા ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત, સરીગામ ખાતે આવેલ લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાના ધોરણ-10 માં 20 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 39 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ જ્યારે 6 જેટલા વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં સંપૂર્ણ 100/100 અને 1 વિદ્યાર્થીએ વિજ્ઞાન વિષયમાં 100/100 ગુણ મેળવ્યા છે. તેમાં સમૃદ્ધ મહેશ્વરીએ 97.5 % મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. ધોરણ-12 મા 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 7 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.જેમાં ખેવના ઓઝાએ વિજ્ઞાન પ્રવાહમાં 92.4 %, શ્રુતિ માંગે માનવતા પ્રવાહમાં 90.8 %, રીવા પટેલે વાણિજ્ય પ્રવાહમાં 79.2 % ઉપરાંત 3 વિદ્યાર્થીઓએ મનોવિજ્ઞાન વિષયમાં 100/100 અથાગ મેહનતથી ગુણ મેળવીને ગજેરા ટ્રસ્ટ અને શાળાનું નામ રોશન કર્યું છે. આ જ્વલંત સફળતા અને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા તથા શાળા...
નવસારી GIDC પોલીસ ચોકી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ PSI અમૃતભાઈ વસાવા વતી 40 હજારની લાંચ લેનાર PC ચિરાગકુમાર રાઠોડ ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયા

નવસારી GIDC પોલીસ ચોકી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનાં ઇન્ચાર્જ PSI અમૃતભાઈ વસાવા વતી 40 હજારની લાંચ લેનાર PC ચિરાગકુમાર રાઠોડ ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયા

Gujarat, National
નવસારી GIDC પોલીસ ચોકી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કોન્સ્ટેબલ ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડ વિરુદ્ધ રૂા. 40,000 ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ થયો છે. ACB એ ગોઠવેલ છટકામાં આરોપી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ACB એ આપેલી વિગતો મજબ ફરીયાદીનુ નામ  પ્રોહિબીશનના ગુનામાં આરોપી તરીકે હતું. જે માટે ફરીયાદીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જે હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે PSI અમૃતભાઇ મગનભાઇ વસાવાએ રૂ. 40,000 ની માંગણી કરી હતી. જે લાંચની રકમ PC ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને આપી દેવા જણાવેલ. આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ACB નો સંપર્ક કરી, પોતાની ફરીયાદ આપી હતી, જે આધારે ACB PI કે. આર. સક્સેનાએ ACB સ્ટાફ સાથે ACB સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચ...
High-End Luxury કારની આયાતમાં ઓછા મૂલ્યાંકન પર DRIએ કડક કાર્યવાહી કરી, 30થી વધુ લકઝરી કાર પરની 25 કરોડથી વધુ ડ્યૂટી ચોરી…! 

High-End Luxury કારની આયાતમાં ઓછા મૂલ્યાંકન પર DRIએ કડક કાર્યવાહી કરી, 30થી વધુ લકઝરી કાર પરની 25 કરોડથી વધુ ડ્યૂટી ચોરી…! 

Gujarat, National
DRI (Directorate of Revenue Intelligence) દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીથી જણાયું કે લાગુ કસ્ટમ્સ ડ્યુટીથી બચવા માટે ભારતીય આયાત બંદરો પર આયાત મૂલ્ય ખોટી રીતે જાહેર કરીને 50% સુધી ઓછું મૂલ્યાંકન કરીને High-End Luxury Cars આયાત કરવામાં આવી રહી હતી. આ લક્ઝરી કારોને પહેલા USA/જાપાનથી દુબઈ/શ્રીલંકા લઈ જવામાં આવશે, જેથી તેમને ડાબા હાથથી જમણા હાથની ડ્રાઈવ (RHD)માં રૂપાંતરિત કરી શકાય અને અન્ય સુધારા કરી શકાય. ત્યારબાદ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને આયાત મૂલ્ય ખોટી રીતે જાહેર કરીને ભારતમાં આયાત કરવામાં આવશે. તપાસમાં, એવું જાણવા મળ્યું કે ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને 30થી વધુ લક્ઝરી કાર જેમ કે હમર EV, કેડિલેક એસ્કેલેડ, રોલ્સ રોયસ, લેક્સસ, ટોયોટા લેન્ડ ક્રુઝર અને લિંકન નેવિગેટર જેવા મોડેલોની આયાત કરવામાં આવી છે. સામેલ આયાતકારો હૈદરાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હી સ્થિત છે અને અંદા...