વલસાડ શહેર ખાતે ગુજરાત સરકારના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ તેમજ લોકસભાના દંડક, વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલ, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં વલસાડ ના શહીદ ચોક ખાતેથી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી,
આ યાત્રા શહેરના વિવિધ સ્થળોથી પસાર થઈ નગરપાલિકા ભવન સ્થિત શ્યામજી કૃષ્ણ વર્માઁની પ્રતિમા પાસે સમાપન થઈ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ભરત પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ, જીલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, કમલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત, જીલ્લા તેમજ વિવિધ મંડળોમાંથી પધારેલ સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા આગેવાનો સહિત સંતો, દેશની સરહદે સેવા આપીને નિવૃત થયેલ અનેક નિવૃત સૈનિકો, નગરજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.