
વાપીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી: સાંસદ ધવલ પટેલનું પ્રેરક સંબોધન, તો, કટોકટી વખતે અમૂલ્ય યોગદાન આપનાર રજનીકાંત જોષીએ પોતાના સંસ્મરણો વાગોળ્યા
ભારતમાં કટોકટી (ઈમરજન્સી) લાગુ થયાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંવિધાન હત્યા દિવસ - 2025 ની ઉજવણી વાપીના નામધા ખાતે, રોફેલ કોલેજના પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં યોજાઈ. આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે સંભાળ્યું હતું. તો, આ કટોકટી દરમ્યાન વાપીમાં સરદારની પ્રતિમાને હાથના લોહીથી તિલક કરી સેંકડો લોકોની હાજરીમાં ધરપકડ વહોરનાર વાપીના રજનીકાંત જોષીએ પોતાના સ્મરણો વાગોળ્યા હતાં.
સાંસદશ્રીએ યુવા પેઢીને સંબોધતા જણાવ્યું કે, 25 જૂન, 1975ના રોજ ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય લખાયો હતો. તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ આંતરિક અશાંતિનું કારણ આપી ઈમરજન્સી લાદી, જેના કારણે ભ્રષ્ટાચાર અને મોંઘવારી જેવા મુદ્દાઓએ દેશમાં અસંતોષ ફેલાવ્યો હતો. આ દરમિયાન, રાજકીય-સામાજિક આગેવાનો, પત્રકારો અને અન્યાય સામે અવાજ ઉઠાવનારાઓને મીસા (મેન્ટેનન્સ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી એક્ટ) હેઠળ જેલમા...