Saturday, June 21News That You Want to Read

Gujarat

डूंगर बालाजी हनुमान में अटूट आस्था रखने वाला बैड परिवार 15 वर्षों से हनुमान जयंती के दिन सरीगाम स्थित कंपनी में भजन संध्या और महाप्रसाद का आयोजन करता आ रहा है।

डूंगर बालाजी हनुमान में अटूट आस्था रखने वाला बैड परिवार 15 वर्षों से हनुमान जयंती के दिन सरीगाम स्थित कंपनी में भजन संध्या और महाप्रसाद का आयोजन करता आ रहा है।

Gujarat, National
वलसाड जिले के उमरगाम तालुका के भिलाड में भिलाड लघु उद्योग सहकारी मंडली लिमिटेड के अंतर्गत संचालित मनीषा पैकेजिंग कंपनी में हनुमान जयंती के अवसर पर भजन संध्या एवं महाप्रसाद का आयोजन किया गया। इस कंपनी के प्रबंधकों की पिछले 37 वर्षों से बालाजी में अटूट आस्था है।और वे पिछले 15 वर्षों से कंपनी में हनुमान जयंती को श्रद्धापूर्वक मनाते आ रहे हैं। जिसमें कंपनी के कर्मचारियों के साथ-साथ आसपास के श्रद्धालुओं के लिए महाप्रसाद, जागरण, सुंदरकांड, होम-हवन आदि का आयोजन किया जाता है। सरीगाम भिलाड़ स्थित लघु उद्योग सहकारी मंडली में संचालित मनीषा पैकेजिंग ने हनुमान जयंती के अवसर पर भजन संध्या एवं महाप्रसाद का आयोजन किया। इस संबंध में कंपनी के प्रबंधक बिकमचंद बैद, पवन कुमार बैद और उनके गृहनगर निवासी मित्र सूर्यप्रकाशने बताया कि पिछले 15 वर्षों से यहां कंपनी में डूंगर बालाजी का मंदिर बनाकर श्रद्धापूर्वक पू...
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશોની વિદેશ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થઈ

Gujarat, National
ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ અને પ્રતિનિધિ મંડળે તારીખ છઠ્ઠી એપ્રિલ થી તારીખ 11 એપ્રિલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશનો વિદેશ પ્રવાસ કર્યો હતો. આ વિદેશ પ્રવાસમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા, લોકસભાના દંડક, વલસાડ-ડાંગ ના સાંસદ ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પ્રવાસ દરમ્યાન બંને દેશો પોર્ટુગલ અને સ્લોવાકીયા સાથે રાજનૈતિક તેમજ વ્યાપારિક સંબંધોનો નવો કીર્તિમાન સ્થાપી આ વિદેશ યાત્રા સંપન્ન કરી છે. સાંસદ ધવલભાઈ પટેલની આ ઐતિહાસિક વિદેશ યાત્રાને લઇ એમના મતવિસ્તારના લોકો અને ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગની લાગણી જોવા મળી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત સાંસદોને વિષેશ પ્રોત્સાહન આપી રહી છે. જેના ભાગરૂપે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા અને દેશના મ...
વલસાડ જિલ્લા કલેકટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો 

વલસાડ જિલ્લા કલેકટર તરીકે ભવ્ય વર્માએ ચાર્જ સંભાળ્યો 

Gujarat, National
વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતને જિલ્લા કલેકટરનો વધારોનો હવાલો સોંપવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં 16 જેટલા IAS અધિકારીઓની બદલીના હુકમ થતા વલસાડ જિલ્લા કલેકટર તરીકે ગાંધીનગર સ્થિત સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના મિશન ડાયરેકટર ભવ્ય વર્માની નિમણૂક કરવામાં આવી છે.  જે અનુસંધાને આજે તા. 11 એપ્રિલ 2025ના રોજ શુક્રવારે જિલ્લા કલેકટર તરીકે ભવ્ય વર્માએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. જિલ્લા કલેકટર કચેરીના વિવિધ ખાતાના અધિકારીઓએ કલેકટરની પુષ્પગુચ્છ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભવ્ય વર્મા રાજસ્થાનના જયપુરના વતની છે, જેઓ વર્ષ 2016ના સનદી અધિકારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને લીંબડીના SDM સહિતના મહત્વપૂર્ણ હોદ્દા પર ફરજ બજાવી ચૂક્યા છે....
વાપી GIDC માં રાહદારીને કન્ટેઇનર ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત…!

વાપી GIDC માં રાહદારીને કન્ટેઇનર ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત…!

Gujarat, National
વાપી GIDC માં આવેલ 3rd ફેઈઝ વિસ્તારમાં શુક્રવારે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં રાહદારીનું કન્ટેઇનરની ટકકરે કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ સવારે 11 વાગ્યા આસપાસ સ્ટીમ હાઉસ ચાર રસ્તા ખાતે RJ14-GT-7388 નંબરના કન્ટેઇનર ચાલક સંદીપ યાદવે પોતાનું કન્ટેઇનર ગફળતભરી રીતે ચલાવી ચાર રસ્તા ખાતે પગપાળા જઇ રહેલા સૂર્યપ્રકાશ જવાહર બિન્દને અડફેટે લઈ ટક્કર મારી હતી. જેમાં રાહદારી સૂર્યપ્રકાશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે GIDC પોલીસ મથકમાં જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતાં. પોલીસે મૃતક 40 વર્ષીય સૂર્યપ્રકાશ બિંદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચલા PHC ખાતે મોકલી અકસ્માત સર્જનાર કન્ટેઇનર ચાલક મૂળ યુપી ના સંદીપ યાદવ સામે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સૂર્યપ્રકાશ બિંદ વ...
વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું

વાપી GIDC દ્વારા રોડના અને વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલના કામમાં CETP ની લાઈનને નુકસાન પહોંચતા એફલયુએન્ટ વરસાદી નાળામાં વહેતુ થયું

Gujarat, National
વાપી GIDC માં આવેલ 100 શેડ એરિયામાં CETP નું એફલૂએન્ટ વરસાદી નાળામાં ઠલવાઇ રહ્યું છે. કરે કોઈ અને ભરે કોઈ કહેવત મુજબ આ વિસ્તારમાં થોડા સમય પહેલા વીજ વિભાગ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ કરવામાં આવ્યું હતું. જે દરમ્યાન અન્ડરગ્રાઉન્ડ CETP ની લાઈનમાં ભંગાણ કર્યું હોય એ ભંગાણ મારફતે નીકળતું એફલયુએન્ટ નજીકમાંથી પસાર થતા વરસાદી લાઈનમાં ભળી રહ્યું છે.    આ ઉપરાંત વીજ વિભાગના કામ બાદ GIDC એ અહીં ડામર રોડનું કામ હાથ ધર્યું જેમાં રોડ કિનારે આવેલ CETP લાઈનની ચેમ્બર પણ તોડી નાખતા ચેમ્બરોમાં પણ મોટાપાયે માટી, ડામર જેવો કચરો ભરાઈ જતા લાઇન પણ ચોકઅપ જોવા મળી હતી. આ મામલે CETP સ્ટાફને જાણકારી મળતા તેઓએ આ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. CETP ના સ્ટાફે વરસાદી લાઈનમાં ઠલવાઇ રહેલ એફલયુએન્ટ ના સેમ્પલ લીધા હતાં. તેમજ આસપાસની CETP ની ચેમ્બર ખોલી તેના સેમ્પલ લેવા સાથે નજીકની કંપનીમાંથી પણ સેમ્પલ લી...
વાપીમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

વાપીમાં હનુમાન જયંતિ નિમિત્તે શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળ દ્વારા સુંદરકાંડ, ભજન સંધ્યા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Gujarat, National
રાજસ્થાનમાં સરદાર શહેરમાં બિરાજમાન શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજીનો અનેરો મહિમા છે. ભારતભરમાં તેની અનેક શાખાઓ દ્વારા તેમના ભક્તો સતત તેનો પ્રચાર પ્રસાર કરવા સાથે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. વાપીમાં પણ છેલ્લા 11 વર્ષથી બજરંગબલીના ભક્તો શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના નેજા હેઠળ સામાજિક સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ફેલાવી રહ્યા છે. તો, દર વર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરે છે. જેના ઉપલક્ષ્યમાં આ વર્ષે 12મી એપ્રિલે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 11 વર્ષથી કાર્યરત શ્રી ઇચ્છાપૂર્ણ બાલાજી પ્રચાર મંડળના સભ્યોએ એક બેઠકનું આયોજન કરી સમગ્ર કાર્યક્રમ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ એવા રાજા પિલ્લઈ અને સભ્ય સુનિલ શર્માએ વિગતો આપી હતી કે, વાપીમાં આગામી 12મી એપ્રિલના દિવસે હનુમાન જયંતી નિમિત્તે વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ લક્ષ્મીભૂલા પાર્ટ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલસાડના ધરમપુરના બરૂમાળમાં સદગુરુધામ મંદિરના રજતોત્સવમાં ઉપસ્થિત રહી શ્રી ભાવભાવેશ્વર મહાદેવનો અભિષેક કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામા આવેલ બરૂમાળમાં ભગવાન શ્રી ભાવભાવેશ્વર મહાદેવ મંદિરના રજતોત્સવ અને ભારત વિશ્વગુરૂ બને એવા સંકલ્પ સનાતન 2025ના આધ્યાત્મિક અનુષ્ઠાન પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી વેદ મંત્રોચ્ચારના નાદ સાથે મહાદેવજીનો અભિષેક કર્યો હતો. મંદિરના પટાંગણમાં 10 યુગલોના યજમાનપદે ચાલી રહેલા મહારુદ્ર મહાયજ્ઞના દર્શન કરી મુખ્યમંત્રીએ યજ્ઞ શાળાની પરિક્રમા કરી હતી. તેમજ ધરમપુરના આદિવાસી વિસ્તારમાં બરૂમાળ મંદિર દ્વારા ૨૫ વર્ષની સેવા, સમર્પણ અને સંસ્કૃતિની વિકાસની ગાથા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મુખ્યમંત્રીએ નિહાળી હતી. સનાતન ધર્મ આજે વિશ્વને દિશા નિર્દેશ કરી રહ્યો છે, ત્યારે આ બરૂમાળ સદગુરુધામ સનાતન ધર્મનું ઉત્તમ દ્રષ્ટાંત હોવાનું જણાવી...
વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, કેસરી ધજા-પતાકા સાથે ગુંજયો જય શ્રી રામ નો નાદ

વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, કેસરી ધજા-પતાકા સાથે ગુંજયો જય શ્રી રામ નો નાદ

Gujarat, National
સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાના વાપીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીના ડુંગરા, જે ટાઈપ, છીરી સહિતના વિસ્તારોમાંથી ભગવા ધ્વજ, DJ, નાસિક ઢોલના તાલે બપોરથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગ પર નીકળેલી રામલલ્લા ની શોભાયાત્રાનું 9:30 વાગ્યા બાદ અંબા માતા મંદિરે મહાઆરતી, આતશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું. વાપીમાં રામનવમી ના પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો કેસરિયા ધજા પતાકાથી શોભી ઉઠ્યા હતાં. શહેરીજનોએ ઉત્સાહભેર રામલલ્લાની શોભાયાત્રા માં જોડાઈ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં. વાપીમાં સમસ્ત હિન્દૂ સંગઠન દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રાએ શહેરભરમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ડુંગરા સ્થિત સરસ્વતી મંદિરથી નીકળેલ આ શોભાયાત્રા હરિયા પાર્ક, ચણોદ, ભડકમોરા, વાપી ચાર રસ્તા, ઇમરાન નગર, ગાંધી સર્કલ, કોપરલી ચોકડી, ગુંજન ચોક થઈને રાત્રે 9:30 વાગ્યે અ...
છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું

Gujarat, National
06 એપ્રિલ રવિવારે સમગ્ર દેશના નાગરિકો રામનવમીની ધૂમધામ પૂર્વક ઉજવણી કરી રહ્યા છે. વાપી જેવા અનેક શહેરોમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાના આયોજન કરવામાં આવ્યા છે. વાપીમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમ્યાન છીરીમાં શ્રીજી પેટ્રોલિયમ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની અલૌકીક પ્રતિમા અને રામભક્તો પર ફૂલોની વર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજન અંગે શ્રીજી પેટ્રોલિયમના સંચાલક સમીર પટેલે જણાવ્યું હતું કે, રામનવમી નિમિતે તેમના પેટ્રોલપંપ પર વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ નાસિક ઢોલ વગાડી શોભાયાત્રા ને આવકારવામાં આવી હતી. જે બાદ ફ્લાવર શાવર દ્વારા ફૂલોની વર્ષા કરી શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેસરી ધજાપતાકા હાથમાં લઈ DJ ના તાલે યુવાનો આ શોભાયાત્રામાં જોડાયા છે. ત્યારે, શ્રીજી પેટ્રોલિયમ ત...
અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

અંબાણી પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન્ન

Gujarat, National
સનાતન ધર્મ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણી દ્વારા તેમના નિવાસસ્થાન રિલાયન્સ ગ્રીન્સથી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા રામનવમીના પાવન દિને સંપન્ન થઈ છે. આ પદયાત્રાને ઠેર-ઠેર દ્વારકા તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષોલ્લાસપૂર્વક વધાવવામાં આવી હતી. દ્વારકા ખાતેના સનાતન ધર્મના જગદગુરુ શંકરાચાર્યજીના શ્રી શારદામઠમાંથી બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીના નેતૃત્ત્વમાં દ્વારકાના તમામ જ્ઞાતિ-સમાજો, હોટેલ એસોસિયેશન, વેપારી મંડળો, સામાજિક સંસ્થાઓ તથા નગરશ્રેષ્ઠીઓએ એક બેઠક યોજીને પદયાત્રાના આગમન પૂર્વે અનંત અંબાણીના ભવ્યાતિભવ્ય સ્વાગતની રૂપરેખા ઘડી કાઢી હતી. અનંત અંબાણીએ પદયાત્રાના સમાપન પ્રસંગે પવિત્ર ગોમતીઘાટની મુલાકાત લઈને ગોમતીપૂજન કર્યું હતું તથા શારદાપીઠ ખાતે શ્રી પાદૂકાપૂજનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્રહ્મચારી નારાયણાનંદજીના ...