Saturday, June 21News That You Want to Read

Gujarat

નાહુલી RUB માં લાઈટના અભાવે દિવસે પણ અંધારું રહેતું હોય અકસ્માત સહિત અનહોની ઘટના બનવાની શકયતા

નાહુલી RUB માં લાઈટના અભાવે દિવસે પણ અંધારું રહેતું હોય અકસ્માત સહિત અનહોની ઘટના બનવાની શકયતા

Gujarat, National
વાપી નજીક દમણગંગા નદી પસાર કર્યા બાદ મુંબઈ તરફ આવતા નાહુલી-વલવાડા ગામના પશ્ચિમ ભાગને હાઇવે સાથે જોડવા પશ્ચિમ રેલવે લાઇન પર RUB નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ RUB માં તંત્ર દ્વારા લાઇટની કોઈ સુવિધા ઉભી કરવામાં આવી નથી. ઉલટાનું અહીં RUB ના પૂર્વ છેડે શેડ બનાવવામાં આવ્યો છે. જેના કારણે RUB માં દિવસે પણ અંધારું રહેતું હોય વાહનચાલકો માટે આ અકસ્માત ઝોન બની રહ્યો છે.  સામાન્ય રીતે અજવાળામાંથી અંધારામાં જતી વખતે માણસની આંખોમાં થોડી વાર માટે અંધારપટ જેવી ઝાંખપ છવાઈ જાય છે. આ કારણે વાહનોની લાઈટ ચાલુ હોવા છતાં પણ રેલવે અન્ડરપાસ માં કશું જ દેખાતું નથી. જે વાહનચાલકોમાં બેઘડી ગભરાટ ઉત્પન્ન કરાવે છે. નાહુલીના આ RUB માં લાઇટની પણ સુવિધા નથી. જેથી દિવસની જેમ રાત્રે પણ વાહનચાલકોને લૂંટાવાનો અને અકસ્માતનો ભય સતાવે છે. વાપી નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 અને પશ્ચિમ રેલવે લાઇન આસપાસના વાહનચાલકો મા...
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

દેશના મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Gujarat, National
ભારત દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી આદરણીય શ્રીમતી દ્રોપદી મુર્મુજી સાથે આગામી તા. 6 એપ્રિલથી 11 એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવકીયા ખાતે જનાર છે, જેમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયા સાથે દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી છે, જેમાં લોકસભાના દંડક અને વલસાડ- ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે. દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતેના પ્રવાસ દરમ્યાન બંને દેશો સાથે ભારત દેશના રાજકીય સંબંધો તેમજ વ્યાપારિક વાટાઘાટો થનાર છે તેમજ આ બંને દેશો સાથે ભારત દેશના પારસ્પરિક વ્યાપારિક સંબંધો વિકસાવવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે આદરણીય રાષ્ટ્રપતિજી અને પ્રતિનિધિ મંડળને રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારમાં યુવા અને...
રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રૂ. 1.76 કરોડના ખર્ચે નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું

રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના રૂ. 1.76 કરોડના ખર્ચે નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ કરાયું

Gujarat, National
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે દમણગંગા સિંચાઈ ઓફિસની બાજુમાં રૂ. ૧ કરોડ ૭૬ લાખના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટી હેઠળ વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગ માટે રૂ.૭૧.૬૪ લાખના ખર્ચે કુલ ૪ એમ્બ્યુલન્સને મંત્રીશ્રી દેસાઈના વરદ હસ્તે લીલીઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના ભૂકંપ બાદ સુદૃઢ વીજળીકરણ માળખું ઉભું કર્યું હતું. પહેલા લોકો કહેતા કે, રાતે જમતી વેળા વીજળી આપો પણ હવે ૨૪ કલાક વીજળી મળે છે. ખેડુતોને દિવસે પણ વીજળી મળે છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા બાદ દેશનું એકપ...
સરીગામમાં 220 કે.વી. અને ડહેલીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ, આવનારા 20 વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં: મંત્રી કનુભાઈ દેસાઈ

સરીગામમાં 220 કે.વી. અને ડહેલીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ, આવનારા 20 વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવઠો ઘટશે નહીં: મંત્રી કનુભાઈ દેસાઈ

Gujarat, National
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રૂ. ૧૦૬ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૨૦ કે.વી.સરીગામ (જી.આઈ.એસ.) સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ડહેલી ગામે જેટકોના ૬૬ કે.વી. સબ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકરના પ્રજાલક્ષી અભિગમને બિરદાવી જણાવ્યું કે, રમણભાઈ લોકોના કલ્યાકારી પ્રશ્નોનું ખૂબ જ ચીવટાઇપૂર્વક ધ્યાન રાખી પ્રજાના પ્રશ્નો હલ કરી સુખાકારી આપી રહ્યા છે. વીજળીની હવે સમસ્યા ભૂતકાળ બની છે. આજે અહીં સરીગામમાં ૨૨૦ કે.વી. અને ડહેલીમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ થતા આવનારા ૨૦ વર્ષમાં નવા ઉદ્યોગ સ્થપાશે કે રહેણાંક વિસ્તારનો વ્યાપ વધશે તો પણ વીજળીનો પુરવ...
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)એ ભારતમાં ઉત્તમ કામગીરી અને સૌથી વધુ નફા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું:- યોગેશ ચૌધરી, MD-DGVCL

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)એ ભારતમાં ઉત્તમ કામગીરી અને સૌથી વધુ નફા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું:- યોગેશ ચૌધરી, MD-DGVCL

Gujarat, National
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે 1.76 કરોડના ખર્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત ભિલાડ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL)ના મેનેજિંગ ડિરેકટર (MD) યોગેશ ચૌધરીએ હાલમાં જ DGVCL ને દેશમાં મળેલ પ્રથમ સ્થાન અંગે ખુશી વ્યક્ત કરી હતી. MD યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, DGVCL ને જે પ્રથમ સ્થાન મળ્યું છે. તેમાં મહત્વની બાબત એ છે કે, સેન્ટ્રલમાં Ministry of Power દર વર્ષે ભારતના દરેક સ્ટેટને ખાસ Integrated Rating આપે છે. દરેક સ્ટેટમાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ વીજ વિતરણ કંપનીઓનો સમાવેશ થાય છે. આ વીજ વિતરણ કંપનીઓમાં ગુજરાતની ચારેય કંપનીઓ છેલ્લા 2 વર્ષથી વિશેષ નફો કરે છે. જે પૈકી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ને પ્રથમ સ્થાન મળ્યું છે. આ પ્રથમ સ્થાન મ...
वापी में Hope House NGO की पहल: बच्चों को पर्यावरण और शिक्षा के प्रति जागरूक किया

वापी में Hope House NGO की पहल: बच्चों को पर्यावरण और शिक्षा के प्रति जागरूक किया

Gujarat, National
Hope House NGO ने वापी में पर्यावरण और शिक्षा के क्षेत्र में एक महत्वपूर्ण पहल की है। NGO ने बच्चों को पर्यावरण के महत्व और शिक्षा के प्रति जागरूक करने के लिए विभिन्न कार्यक्रम आयोजित किए हैं। NGO ने वडोली फलिया प्राथमिक शाला और   चला हलपति शाला में एक - एक वाटर फिल्टर और कूलर लगवाया है, जिससे बच्चों को शुद्ध पीने का पानी मिल सके। इसके अलावा, एनजीओ ने बच्चों को पर्यावरण के महत्व के बारे में जानकारी देने के लिए 21 फूलों, सब्जियों व  आयुर्वेदिक दवाई वाले पौधे लगवाए हैं। NGO के स्वयंसेवक हर हफ्ते बच्चों को अंग्रेजी विषय का ज्ञान देने के लिए स्कूल आते हैं। इसके अलावा बच्चों को हर महीने एक नोटबुक और पढ़ाई संबंधित चीजें देने की व्यवस्था की है। NGO ने श्राद्ध में बच्चों को 15 दिनों तक अलग-अलग व्यंजन परोसे। सर्दियों में बच्चों को बैठने के लिए तीन चटाइयाँ भी भेंट की हैं। इस पहल से वडोली फल...
ગેરકાયદેસર ભંગારના ગોડાઉન મામલે બદનામ બની ચૂકેલા ડુંગરી ફળીયા, કરવડમાં વાપી મહાનગરપાલિકા બાદ GPCB એ પણ 120 જેટલી નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી

ગેરકાયદેસર ભંગારના ગોડાઉન મામલે બદનામ બની ચૂકેલા ડુંગરી ફળીયા, કરવડમાં વાપી મહાનગરપાલિકા બાદ GPCB એ પણ 120 જેટલી નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી

Gujarat, National
વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી છે. જે બાદ GPCB એ પણ કાર્યવાહી હાથ ધરી 123 જેટલા ભંગારના ગોડાઉન માલિકોને નોટીસ આપી કાર્યવાહી હાથ ધરી છે.   વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલિઠા, છીરી, છરવાડા, ચણોદ વિસ્તાર વાપી GIDC ને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાનામોટા મળીને અંદાજીત 3500થી વધુ ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં મોટા ભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો, આવા ભંગારના ગોડાઉનમાં કંપનીઓનો વેસ્ટ લાવી તેને સોર્ટીગ કરી નકામો વેસ્ટ આસપાસના વિસ્તારોમાં ઠાલવવાની અને તેને સળગાવી નાખવાની ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્...
ચોક્કસ સમયે જ રહસ્યમય રીતે નીકળતું ગંદુ પાણી આખરે કઇ કંપનીનું છે? GPCB અને CETP ની ટીમે તપાસ હાથ ધરી

ચોક્કસ સમયે જ રહસ્યમય રીતે નીકળતું ગંદુ પાણી આખરે કઇ કંપનીનું છે? GPCB અને CETP ની ટીમે તપાસ હાથ ધરી

Gujarat, National
વાપી GIDC માં 3rd Phase માં આવેલ અનેક ઉદ્યોગો અવારનવાર તેમની કંપનીનું એફલયુએન્ટ સ્ટ્રોમ વૉટર ડ્રેઈનમાં છોડી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ મામલે અનેકવાર GPCB અને CETP દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કેટલીક સ્ટ્રોમ વૉટર ડ્રેઇન એવી પણ છે. જેમાં કંપનીઓના એફલયુએન્ટ ની ચોક્કસ વિગતો મળતી નથી. આવો જ ઘાટ હાલ GIDC ની સ્ટ્રોમ વોટર ડ્રેઈનમાંથી બીલખાડી માં ઠલવાતા એફલયુએન્ટ ને લઈ ને ઉભો થયો છે. વાપી GIDC માં 3rd Phase માંથી પસાર થતી બીલખાડીમાં છેલ્લા ઘણા સમયથી ચોક્કસ સમયે બેનામી કંપનીઓનું એફલયુએન્ટ ઠાલવવામાં આવી રહ્યું છે. આ રહસ્યમય એફલયુએન્ટ કઇ કંપની દ્વારા છોડવામાં આવે છે તે અંગેની ચોક્કસ વિગતો GPCB કે CETP માટે રહસ્ય રહી છે. ત્યારે, ગુરુવારે આ વિસ્તારમાં આવેલ Infichem Pharma, Shree Raghuvir Dyechem, Vapi products, Sark industries સામેની મેઈન સ્ટ્રોમ વૉટર ડ્રેઈનની ચેમ્બરો ખોલ...
વલસાડ જિલ્લામાં સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા 

વલસાડ જિલ્લામાં સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા 

Gujarat, National
વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને બીસ્કીટ, ચોકલેટ, આપવાની લાલચ આપી શારીરીક છેડછાડ તથા દુષ્કર્મ કરી માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હીંચકારા કૃત્ય મામલે વલસાડ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી જેમાં નામદાર કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન સખત કેદની સજા ફરમાવી  ન્યાય અપાવ્યો છે. વલસાડ જીલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મનો ભોગબનનારના વાલીએ આરોપી વિરૂધ્ધમાં તા.21/05/2022 ના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતાં આરોપી વિરૂધ્ધમાં ડુંગરા પોલીસ સ્ટેશન IPC કલમ 376(એ)(બી), 506(2) તથા બાળકોને જાતીય સતામણીના ગુન્હાઓ સામે રક્ષણ આપતો કાયદો 2012 ની કલમ 8, 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. સદરહુ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક, વાપી વિભાગની સુચના અને માર્ગદર્શન મુજબ ત...
વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહિવટી તંત્ર સાથે બેઠક યોજી

વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ (UCC) સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અગ્રણીઓ અને વહિવટી તંત્ર સાથે બેઠક યોજી

Gujarat, National
સમાન સિવિલ કોડ (UCC) લાગુ કરવા પહેલા લોકોના મંતવ્યો અને સલાહ, સૂચન જાણવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને રચાયેલી ગુજરાત રાજયની યુનિફોર્મ સિવિલ કોડની કમિટી બુધવારે વલસાડ ખાતે આવી પહોંચી હતી.  કમિટીના ચેરપર્સન દેસાઈ અને કમિટીના સભ્યોએ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક અગ્રણીઓ, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાંતો અને સામાજિક કાર્યકરો સાથે પરિચય કેળવી કાયદા અંગે બેઠક યોજી હતી. જેમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસે UCC કાયદા અંગેના અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનો રૂબરૂ મેળવ્યાં હતાં. સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિના સભ્ય અને નિવૃત્ત આઈ.એ.એસ. સી.એલ.મીણાએ બેઠકમાં સૌને આવકારી જણ...