
ઉમરગામ ભિલાડમાં ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા બાદ સાધુનો વેશ ધારણ કરી વારાણસીના આશ્રમમાં રહેતા વોન્ટેડ આરોપી શિવપુજન તિવારી ઉર્ફે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવને વલસાડ પોલીસે 21 વર્ષ બાદ દબોચ્યો
વલસાડ જિલ્લાના ઉમરગામ અને ભિલાડમાં આજથી 21 વર્ષ પહેલાં UP ના શિવપુજન તિવારીએ ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા હતાં. જે બાદ આરોપી નાસી ગયો હતો. અને સાધુનો વેશ ધારણ કરી શિવપુજન તિવારીમાંથી શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ બદલી વારાણસીમાં એક આશ્રમમાં રહેતો હતો. જે અંગેની બાતમી મળતા વલસાડ પોલીસે 21 વર્ષ બાદ આ આરોપીની UP થી ધરપકડ કરી વલસાડ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ભિલાડ પોલીસે આપેલી વિગતો મુજબ ભીલાડ પોલીસ મથકના PI આર. પી. ડોડીયા તેમની ટીમ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં રોકાયેલ હતા. દરમિયાન બાતમી આધારે ઉમરગામ (ભીલાડ) પોલીસ મથકમાં નોંધાયેલ 2004ના IPC કલમ 395, 342, 506(2), આર્મ્સ એક્ટ 25(1), GP એકટ 135 મુજબના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી આનંદ શિવપુજન તિવારી રહેવાસી ચોસઠી મઠ (ચોસઠી ઘાટ), પાડે ઘાટની બાજુમાં, કાશી, બનારસ, ઉત્તરપ્રદેશ નાશી ગયો હતો. તે,...