Sunday, June 22News That You Want to Read

National

સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી

સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી

Gujarat, National
વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તાર મા બનતા મહિલા અને બાળકો વિરુદ્ધ ના ગુનાઓ અટકાવવા પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્કૂલ મોનીટરીંગ કમીટીના વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકરો સાથે પોકસો સહિતના બાળ કલ્યાણ કાયદાઓ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "સ્વચ્છ મન, સ્વસ્થ તન" ના સૂત્ર સાથેના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, IPS અંકિતા મિશ્રા, DySP બી. એન. દવે તેમજ તાલુકા શિક્ષણાધિકારી, દહેજ પ્રતિબંધક વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ બાળકોની સુરક્ષાને લઈ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ અંગે IPS અંકિતા મિશ્રાએ જણાવ્યું હતું કે, ડુંગરા વિસ્તારમાં બાળકો ગુમ થવાના અને પોકસો એક્ટ હેઠળના કેસોમાં કઈ રીતે ઘટાડો લાવી શકાય તે માટે આ એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...
વાપી મનપાની કાર્યવાહી બાદ વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી નાખતા ભંગારના ગોડાઉનમાં રહેતા પરિવારજનોની હાલત કફોડી બની, ભંગારના ગોડાઉન ખાલી કરી ભંગારીયાઓની હિજરત શરૂ…!

વાપી મનપાની કાર્યવાહી બાદ વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી નાખતા ભંગારના ગોડાઉનમાં રહેતા પરિવારજનોની હાલત કફોડી બની, ભંગારના ગોડાઉન ખાલી કરી ભંગારીયાઓની હિજરત શરૂ…!

Gujarat, National
વાપીમાં ડુંગરા વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં જ ભંગારના ગોડાઉન અને રહેણાંક મકાનો ઉભા કરી રહેતા લોકો સામે વાપી મહાનગરપાલિકા એ કાયદાનો દંડો ઉગામ્યો છે. રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા આ ગોડાઉનને વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી દીધા છે. જેને કારણે લોકોની હાલત કફોડી બની છે. ભંગારના ગોડાઉન અને રહેણાંક ઘર બનાવી રહેતા આવા અંદાજીત 40 થી વધુ પરિવારોના લાઈટ કનેક્શન GEB એ કટ કરી મીટર જપ્ત કર્યા છે. પાણી કનેક્શન કટ કરી નાખ્યા છે. જેથી આ ઉનાળાની આકરી ગરમીમાં આ પરિવારો લાઇટ અને પાણી વિના ટળવળી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, મહાનગરપાલિકા અમને સમય મર્યાદા આપે અને એ દરમ્યાન લાઇટ પાણીની સુવિધા આપે એ સમય મર્યાદામાં અમે અમારા ભંગારના ગોડાઉન દૂર કરી દઈશું. છેલ્લા 35-40 વર્ષથી અમે અહીં રહીએ છીએ જેથી અન્યત્ર અમે રાતોરાત તો કઈ રીતે જઇ શકીએ. અત્યારે અમે ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં મહાનગરપાલિકાએ અમને લા...
વાપી મહાનગરપાલિકાના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

વાપી મહાનગરપાલિકાના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

Gujarat, National
વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી. આ અંગે મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અમે કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ. જ્યાં ઇન્ડસ્ટ્રીયલ અથવા કોમર્શિયલ ઝોન છે ત્યાં કોઈપણ વ્યક્તિ જરૂરી તમામ પરમિશન સાથે આવી પ્રવૃતિઓ કરશે તો તેની સામે કોઈ પગલાં લેવામાં આવશે નહિ.   વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ગેરકાયદેસર ચાલતા ભંગારના ગોડાઉન ધ્યાને આવ્યાં છે. જેઓને GPCB, Fire ની NOC અને બાંધકામ ના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. જે બાદ આપેલી સમય મર્યાદામાં ઘણા ભંગારના ગોડાઉન માલિકો પુરાવા રજૂ કરી શક્યા નથી. કુલ 240થી વધુ ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી. જે પૈકીના 140 જેટલા ગોડાઉન માલિકોને ફાઇનલ નોટિસ આપી છે. તો, 40 ...
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Gujarat, National
જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ પૂરું પાડવાના આશય સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના યુવા વિદ્યાર્થીઓ અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા મોડી સાંજે નાની દમણના દિલિપ નગર ક્રિકેટ ગ્રાઉન્ડથી મશાલ ચોક સુધી વિરોધ પ્રદર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે વાપીમાં પણ સામાજિક સંસ્થાઓએ કેન્ડલ જલાવી દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ સાથે દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આતંકીઓ એ કાશ્મીર ફરવા ગયેલા દેશના નિર્દોષ નાગરિકોને ગોળી મારી મોત ને ઘાટ ઉતારી દીઘા છે આ દુઃખદ. ઘટનાને ધ્યાન માં રાખી વાપી ટાઉનમાં સરદાર ચોક ખાતે વાપી સોશિયલ ગ...
વાપી કોળીવાડમાં શ્રી જય જલારામ બાપાના મંદિરે 12માં પાટોત્સવ નિમિતે હોમ-હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું

વાપી કોળીવાડમાં શ્રી જય જલારામ બાપાના મંદિરે 12માં પાટોત્સવ નિમિતે હોમ-હવન અને મહાપ્રસાદનું આયોજન કરાયું

Gujarat, National
વાપીમાં કોળીવાડમાં રહેતા અને કોંગ્રેસના આગેવાન ખંડુભાઈ પટેલ દ્વારા શ્રી જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી કોળિવાડના નેજા હેઠળ ભવ્ય જલારામ બાપાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો બુધવાર તા. 23/04/2025 ના શુભ દિને બારમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હોમ-હવન સાથે આયોજિત મહાપ્રસાદમાં 5 હજાર જેટલા ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઇ જલારામ બાપાના દર્શન કર્યા હતાં. વાપીના કોળીવાડમાં સ્થિત આ જલારામ બાપાનું મંદિર આજથી 12 વર્ષ પહેલાં નિર્માણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે બાદ દર વર્ષે અહીં મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ પાટોત્સવ દરમ્યાન વહેલી સવારે પૂજ્ય બાપાની પધરામણી અને આરતી બાદ શ્રી સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવે છે. સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.  રાત્રે રાસ ગરબા અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે. શ્રી જયજલારામ ચેરીટેબલ ટ...
એક્સપ્રેસ વે પ્રોજેકટમાં કરોડો રૂપિયાની માટી ઠાલવવા ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ માટીના ડમ્પર દોડાવતા અને તળાવમાં માટી ઉલેચવામાં નિયમોનો ઉલાળ્યો કરનારાઓને ગામ લોકો પરેશાન કરતા હોવાની રાવ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી…!

એક્સપ્રેસ વે પ્રોજેકટમાં કરોડો રૂપિયાની માટી ઠાલવવા ગ્રામ્ય વિસ્તારોમાં બેફામ માટીના ડમ્પર દોડાવતા અને તળાવમાં માટી ઉલેચવામાં નિયમોનો ઉલાળ્યો કરનારાઓને ગામ લોકો પરેશાન કરતા હોવાની રાવ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી…!

Gujarat, National, News
વલસાડ જિલ્લામાંથી પસાર થતા એક્સપ્રેસ વે ની  કામગીરીમાં માટી પુરાણ કરવા જિલ્લાના તળાવો માંથી માટી ઉલેચતા Valsad Soil & Earth Movers Association ના સભ્યોએ મંગળવારે વલસાડ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. જો કે, આ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ સમગ્ર રજુઆત એક્સપ્રેસ વે નિર્માણ પ્રોજેકટમાં પેકેજ 8 અને 9 ની કામગીરી કરનાર Roadway Solutions India Infra Ltd. ના ઈશારે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.  અત્રે નોંધનીય છે કે, એક્સપ્રેસ વે ના પેકેજ 8-9 અને 10નું કામ જે Roadway Solutions India Infra Ltd. ને સોંપ્યું છે. તેમના દ્વારા આ પેકેજમાં આવતા નદી-નાળાના પુલ/બ્રિજ અને અન્ડરપાસ ના કે વીજ લાઇનના હાઇટેનશન ટાવર હટાવવાની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી કરાઈ તો કઈ રીતે કહી શકાય કે માટી કામના કારણે એક્સપ્રેસ વે પ્રોજેકટ વિલંબમાં પડશે. ટૂંકમાં અન્ય કારણો છુપાવવા માટી એસોસિએશનના સભ્યોને આગળ ક...
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જીલ્લા પોલીસ દ્રારા 13 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ રૂપિયા 3,31,89,869/-ની કિંમતના શરાબનો કર્યો નાશ

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જીલ્લા પોલીસ દ્રારા 13 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ રૂપિયા 3,31,89,869/-ની કિંમતના શરાબનો કર્યો નાશ

Gujarat, National
વલસાડ જિલ્લો દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર સરહદને જોડતો સરહદી જિલ્લો છે. જે અંતર્ગત આ જિલ્લાના પોલીસ મથકમાં વર્ષ 2025માં પકડાયેલ પ્રોહીબિશન મુદામાલનો ભિલાડ ચેકપોસ્ટ નજીક નાશ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટમાંથી નાશ કરવાના હુકમો મેળવી પ્રાંત અધિકારી વલસાડ, પારડી, ધરમપુર અને નાયબ પોલીસ અધિક્ષક વલસાડ-વાપી વિભાગ સહિત PI, આબકારી વિભાગ વલસાડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની ઉપસ્થિતિમાં કુલ 13 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરેલ રૂપિયા 3,31,89,869/-ની કિંમતના શરાબનો કર્યો નાશ કર્યો હતો. આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વલસાડ જીલ્લા તમામ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન એકટ હેઠળના ગુનાઓમાં કબજે કરેલ પ્રોહીબિશન મુદ્દામાલ અંગે પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહે નિયમોનુસાર SOP મુજબ નાશ કરવા સુચના આપી હતી. જે અન્વયે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ...
વલસાડ LCB એ મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર અશોક લેલન કન્ટેનરમાં ચોરી છુપીથી લઇ જવાતો 6 લાખનો દારૂ ઝડપ્યો… પણ, કન્ટેનર ચાલક હાથમાં આવે તે પહેલાં નાસી ગયો…!

વલસાડ LCB એ મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર અશોક લેલન કન્ટેનરમાં ચોરી છુપીથી લઇ જવાતો 6 લાખનો દારૂ ઝડપ્યો… પણ, કન્ટેનર ચાલક હાથમાં આવે તે પહેલાં નાસી ગયો…!

Gujarat, National
રવિવારે વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમી આધારે વાપી UPL કંપનીના ઓવરબ્રીજની પહેલા, CETP પ્લાન્ટની બાજુમાં મુંબઈ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 પર એક મરુન કલરના બંધ બોડીના અશોક લેલન કન્ટેનર નંબર MH46-AF-9439 ને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વ્હીસ્કીના બોક્ષ નંગ-100 કુલ કિંમત 6 લાખનો દારૂ મળી આવ્યો હતો. આ દરમ્યાન અશોક લેલન કન્ટેનરના ચાલક તક નો લાભ લઇ નાસી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. LCB ની ટીમે કબજે કરેલ દારુ અને કન્ટેનર સમેત કુલ 14 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ અર્થે વાપી જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કર્યો છે. વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના અને LCB PI ના ...
વાપી મહાનગરપાલિકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી, વિકાસના કામ અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા

વાપી મહાનગરપાલિકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી, વિકાસના કામ અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા

Gujarat, National
શનિવારે 19મી એપ્રિલ 2025ના વાપી મહાનગરપાલિકા ખાતે કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી,નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની અધ્યક્ષતામાં મનપા કમિશ્નર યોગેશ ચૌધરી, સાંસદ વલસાડ-ડાંગ ધવલ પટેલ તથા ધારાસભ્ય ઉમરગામ રમણ પાટકરની હાજરીમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી.  આ બેઠકમાં નાણામંત્રીએ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોની સમીક્ષા કરી અને હાલમાં ચાલી રહેલ કામો સમયસર પૂર્ણ થાય અને નગરજનોને અગવડ ના પડે તેવી કાળજી લેવા જણાવ્યુ હતું. તો, આગામી ચોમાસા પૂર્વે કરવામાં આવનાર કામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ રસ્તાના મહત્તમ કામો મે મહિનામાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી. જે અંગે વાપી મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીએ વિગરવાર માહિતી આપી હાલમાં ચાલી રહેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, રોડ રસ્તાના કામોની વિગત તથા પ્રિ-મોન્સૂન અંગે કરવામાં આવનાર કામગીરી અંગેનો રોડમેપ રજૂ કરી સમિતિના સભ્યોને અ...
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા ખાતે  ‘ArtEcho : Open art challenge’ નો કાર્યક્રમ યોજાયો

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા ખાતે  ‘ArtEcho : Open art challenge’ નો કાર્યક્રમ યોજાયો

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ ૧૯/૦૪/૨૫ ના રોજ ArtEcho : Open art challenge કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ArtEcho : Open art challenge મા ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓમાં world heritage ના સ્મારકો અને ઐતિહાસિક આર્ટ ગેલેરી  પ્રત્યે જાગૃત કરવા લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાએ ArtEcho : Open Art Challenge નું આયોજન કર્યું. આ ArtEcho : Open Art Challenge માં દાદરા એન્ડ નગર હવેલી તથા વલસાડ જિલ્લાની ૧૬ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો.તેમાં ધોરણ-૬ અને ૭ The Soul of India, ધોરણ-  ૮ અને ૯ Preserving Our Past અને ધોરણ- ૧૦ થી ૧૨ માટે Monument Through My Eyes  જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કળા પ્રદર્શિત કરી. આ ArtEcho : Open Art Challenge માં વિજેતા થનાર વિદ્યાર્થી...