
સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી
વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તાર મા બનતા મહિલા અને બાળકો વિરુદ્ધ ના ગુનાઓ અટકાવવા પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્કૂલ મોનીટરીંગ કમીટીના વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકરો સાથે પોકસો સહિતના બાળ કલ્યાણ કાયદાઓ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "સ્વચ્છ મન, સ્વસ્થ તન" ના સૂત્ર સાથેના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, IPS અંકિતા મિશ્રા, DySP બી. એન. દવે તેમજ તાલુકા શિક્ષણાધિકારી, દહેજ પ્રતિબંધક વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ બાળકોની સુરક્ષાને લઈ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમ અંગે IPS અંકિતા મિશ્રાએ જણાવ્યું હતું કે, ડુંગરા વિસ્તારમાં બાળકો ગુમ થવાના અને પોકસો એક્ટ હેઠળના કેસોમાં કઈ રીતે ઘટાડો લાવી શકાય તે માટે આ એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...