
વાપી નજીક દેગામ ખાતે મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટે મુકબધીર યુવકના માતાપિતા બની લગ્ન કરાવ્યા
વાપી નજીક દેગામ ખાતે આવેલી મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, જે 1997થી બહેરા-મૂંગા અને દિવ્યાંગ બાળકોને નિશુલ્ક શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવે છે, ત્યાં 1લી જૂન 2025ના ખુશીનો શુભ પ્રસંગ યોજાયો હતો. અહીં જ મોટો થયેલ મુક બધિર યુવક રાધેશિવના મુકબધીર યુવતી અંબા સાથે લગ્ન યોજાયા હતાં. જેમાં આ નવદંપતિ લગ્નગ્રંથી ના બંધને બંધાયા હતાં.
આ સંસ્થામાં 120થી વધુ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા સાથે રોજગારી માટે તૈયાર કરવામાં આવે છે. ટ્રસ્ટમાં અનાથ યુવક રાધે શિવના લગ્નનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. મોહન દેવ અને ડૉ. ચિંતન પટેલે જણાવ્યું કે, 15 વર્ષ પહેલાં પોલીસ દ્વારા સોંપાયેલા આ અનાથ બાળકને ટ્રસ્ટે માતા-પિતાનો સ્નેહ આપી, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા પગભર બનાવ્યો. આજે રાધે શિવના લગ્ન ધગડમાળના મોહનભાઈ કલ્યાણભાઈ પટેલ અને રમીલાબેન મોહનભાઈ પટેલની પુત્રી અંબાબેન સા...