Friday, June 20News That You Want to Read

‘માછલીનો પ્રસાદ’..હેં ! ના હોય…! પણ ક્યાં ? ક્યારે ? કોના માટે ?

ફાઈલ ફોટૉ

Vihar Vaishnav: તેલંગાણાનો મત્સ્યઉદ્યોગ વિભાગ 8 અને 9 જૂનના રોજ હૈદરાબાદમાં યોજાનારા વાર્ષિક ‘માછલી પ્રસાદમ’ વિતરણ માટે 1.5 લાખ માછલીના બચ્ચા પૂરા પાડશે. હૈદરાબાદના પ્રભારી મંત્રી પોન્નમ પ્રભાકરે કાર્યક્રમની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે સંબંધિત વિભાગોને ‘માછલીનો પ્રસાદ’ લેનારા લોકોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો. મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓએ મંત્રીને માહિતી આપી કે 1.5 લાખ માદા બચ્ચાં પૂરા પાડવામાં આવશે.


આ કાર્યક્રમમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવવાની અપેક્ષા હોવાથી, બેઠકમાં તેમના માટે પીવાના પાણી પુરવઠા અને શૌચાલય સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ GHMC ને ‘માછલીનો પ્રસાદ’ લેવા આવતા લોકો માટે ખોરાક પૂરો પાડતી NGO સાથે સંકલન કરવા જણાવ્યું હતું.

મહત્વનું છે કે આ માછલી પ્રસાદમ ગત 180 વર્ષથી આપવામાં આવી રહ્યો છે. શાકાહારી લોકો માટે આ દવા ગોળ સાથે મીક્સ કરીને આપવામાં આવે છે.

હૈદરાબાદમાં ‘માછલી પ્રસાદમ’ કાર્યક્રમ માટે ખાસ બસો સિકંદરાબાદ, કાચેગુડા અને ચેરલાપલ્લી સ્ટેશનોથી પ્રદર્શન મેદાન સુધી ખાસ બસો ચલાવવામાં આવશે. બાથિની ગૌડ પરિવારે જાહેરાત કરી છે કે ‘માછલીના પ્રસાદમ’નું વિતરણ ૮ જૂને સવારે ૧૦ વાગ્યે શરૂ થશે અને તે ૨૪ કલાક ચાલુ રહેશે.

તેલુગુ રાજ્યોના વિવિધ ભાગો અને દેશના અન્ય રાજ્યોના અસ્થમાના દર્દીઓ દર વર્ષે જૂન મહિનામાં શ્વસન સમસ્યાઓમાંથી રાહત મેળવવાની આશામાં ‘માછલીનો પ્રસાદ’ લે છે.
પરિવારે વિનંતી કરી કે સંબંધિત સરકારી વિભાગો દર વર્ષની જેમ આ કાર્યક્રમના વ્યવસ્થીત સંચાલન માટે વ્યવસ્થા કરે.

 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *