
વલસાડ પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ નાગરીકોએ ગુમાવેલ મોબાઇલ ફોન, વાહનો, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલ- 35.88 લાખનો મુદામાલ પરત કર્યો
વલસાડ જીલ્લાના કુલ-7 પોલીસ સ્ટેશન દ્રારા નજીકના સમયમાં નોંધાયેલ મિલ્કત સબંધી ગુનાઓમાં રીકવર કરેલ મુદામાલ તથા CEIR પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવેલ મોબાઇલ ફોન "તેરા તુજકો અર્પણ" ના બેનર હેઠળ તેના મૂળ માલિકને પરત કર્યા હતાં. પોલીસે આપેલી વિગતો મુજબ કુલ કિ.રૂ. 35,88,126/- નો મુદામાલ વલસાડ જીલ્લા પોલીસ દ્રારા પરત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજયના ગ્રુહ મંત્રી હર્ષ સંઘવીની પહેલ અન્વયે વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર દ્રારા નાગરીકોએ મિલ્કત સબંધી ગુનાઓમા ગુમાવેલ કિમતી મુદામાલ તેમજ ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ ફોન પરત મળે તે દિશામાં અસરકારક પ્રયત્નો કરવા સુચન કરેલ હતું.
આ સુચનને ગંભીરતાથી લઇ સમયાંતરે આ કામગીરીનું મુલ્યાંકન કરી "તેરા તુજકો અર્પણ" ના બેનર હેઠળ નાગરીકોને તેઓને કિંમતી માલ સામાન પરત કરવાનું આયોજન હાથ ધરાયુ હતું.
જે અનુસંધાને સુરત વિભાગ, સુ...