વલસાડ જીલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા અસામાજીક તત્વો ઉપર અંકુશ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે હેતુથી વલસાડ જીલ્લાના વાપી, ડુંગરા, GIDC સહિતના તમામ થાણા અધિકારીઓએ સક્રિય ગુનેગારોને પોતાના રહેણાંક તથા સંભવિત સ્થળોથી રાઉન્ડ અપ કર્યા હતાં. રાઉન્ડઅપ કરેલા કુલ 60 થી વધુ સક્રિય ગુનેગારોને વાપી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી ONE TO ONE સઘન પુછપરછ કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશ અન્વયે વલસાડ જીલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા અસામાજીક તત્વો ઉપર અંકુશ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે અન્વયે સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહની સુચના તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લાના તમામ થાણા અધિકારીઓ મારફતે જે તે વિસ્તારના સક્રિય ગુનેગારોને પોતાના રહેણાંક તથા સંભવિત સ્થળોથી રાઉન્ડ અપ કર્યા હતાં.
રાઉન્ડ અપ કરેલા આ ગુનેગારોને વાપી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી ONE TO ONE સઘન પુછપરછ કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યમાં કોઇ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા તમામને તાકીદ કરવામાં આવી હતી. તો, તમામના કાયદાકીય જોગવાઇ મુજબ અટકાયતી પગલા લેવા સારૂ તમામ થાણા અમલદારને સુચના આપવામાં આવી હતી.