વલસાડ જીલ્લાના કુલ-7 પોલીસ સ્ટેશન દ્રારા નજીકના સમયમાં નોંધાયેલ મિલ્કત સબંધી ગુનાઓમાં રીકવર કરેલ મુદામાલ તથા CEIR પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવેલ મોબાઇલ ફોન “તેરા તુજકો અર્પણ” ના બેનર હેઠળ તેના મૂળ માલિકને પરત કર્યા હતાં. પોલીસે આપેલી વિગતો મુજબ કુલ કિ.રૂ. 35,88,126/- નો મુદામાલ વલસાડ જીલ્લા પોલીસ દ્રારા પરત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજયના ગ્રુહ મંત્રી હર્ષ સંઘવીની પહેલ અન્વયે વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર દ્રારા નાગરીકોએ મિલ્કત સબંધી ગુનાઓમા ગુમાવેલ કિમતી મુદામાલ તેમજ ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ ફોન પરત મળે તે દિશામાં અસરકારક પ્રયત્નો કરવા સુચન કરેલ હતું.
આ સુચનને ગંભીરતાથી લઇ સમયાંતરે આ કામગીરીનું મુલ્યાંકન કરી “તેરા તુજકો અર્પણ” ના બેનર હેઠળ નાગરીકોને તેઓને કિંમતી માલ સામાન પરત કરવાનું આયોજન હાથ ધરાયુ હતું.
જે અનુસંધાને સુરત વિભાગ, સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા દ્વારા મિલ્કત સબંધી બનતા ગુનાઓમાં ગુનાઓ સબંધી યોગ્ય માહીતી તૈયાર કરાવવામાં આવી હતી.
જીલ્લાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરી ICIS, E-Gujcop, E-Court વિગેરે ડેટાબેઝનો ડીટેકશનમાં ઉપયોગ કરી સાથોસાથ CEIR પોર્ટલના ઉપયોગ અંગે તાલીમથી માહીતગાર કરવામાં આવ્યાં. તેમજ CEIR પોર્ટલનો મહતમ પ્રચાર કરાવી ખોવાયેલ મોબાઇલ ફોનનું વધુમાં વધુ રજીસ્ટ્રેશન આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થાય તેના માટે નાગરીકોને સોશ્યલ મિડીયા તથા લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ તથા લોકલ પોલીસ સ્ટેશન લેવલથી જાગૃત કરવામાં આવ્યાં. વલસાડ જીલ્લા લોકલ ક્રાંઇમ બ્રાંચ સાથે તમામ પોલીસ સ્ટેશનને સુચારુ રૂપે જોડી આયોજન પુર્વક CEIR પોર્ટલનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.
જેના ફળસ્વરૂપે વલસાડ જીલ્લાના કુલ-07 પોલીસ સ્ટેશન દ્રારા નજીકના સમયમાં નોંધાયેલ મિલ્કત સબંધી ગુનાઓમાં રીકવર કરેલ મુદામાલ તથા CEIR પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવ્યાં હતાં. જે પૈકી મોબાઇલ ફોન “તેરા તુજકો અર્પણ” ના બેનર હેઠળ પરત આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કુલ કિ.રૂ. 35,88,126/- નો મુદામાલ વલસાડ જીલ્લા પોલીસ દ્રારા જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, IPS અંકિતા મિશ્રા, DySP બી. એન. દવે, તેમજ LCB PI ઉત્સવ બારોટના હસ્તે નાગરીકોને પરત કરવામાં આવ્યાં હતાં.