વલસાડ પોલીસે ગુમ થયેલ/ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી મુળ માલીકોને પરત કર્યા છે. આ કામગીરી વાપી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેના તથા વલસાડ એલ.સી.બી.ના પોલીસ ઈંન્સપેકટર ઉત્સવ બારોટના પ્રયાસથી સફળ બની છે.
વધુમાં વધુ મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલીકોને પરત કરવાની આ પહેલ હેઠળ નાનાપોઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી. આર. બેરાની રાહબરી હેઠળ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં “તેરા તુઝકો અર્પણ” અભિયાન હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી.
જેમાં મોબાઇલ ગુમ અરજીઓ CEIR પોર્ટલ ઉપર સર્ચ કરી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલ કુલે-23 મોબાઇલ ફોન શોધી કાઢવામાં નાનાપોંઢા પોલીસે સફળતા મેળવી હતી. જે બાદ નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર બી. આર. બેરા દ્વારા નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવેના અધ્યક્ષ સ્થાને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન પૈકીના શોધી કાઢેલ કુલે-23 મોબાઈલ ફોન કિ.રૂ. 3,00,000/-થી વધુની કિંમતના મોબાઈલ ફોન મુળ માલીકોને પરત સોપી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરેલ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી “તેરા તુજકો અર્પણ” અભિગમ કાર્યવાહી કરવા સૂચના આપેલ. જે ઉમદા હેતુને સાર્થક કરવા સુરત રેન્જના IGP પ્રેમવીરસિંહ તથા વલસાડ જીલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્રને ધ્યાને રાખી ઉપરોક્ત કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.