
મેગા ડિમોલિશન પાર્ટ 2 :- વાપી મહાનગરપાલિકાએ બલિઠા બાદ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર ફેરવ્યું બુલડોઝર, 100થી વધુ ગોડાઉન કર્યા નેસ્તનાબુદ
શનિવારે 24મી મેં ના વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મનપાના વહીવટદાર ભવ્ય વર્મા (IAS) તથા મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં ગેરકાયદેસર ભંગારના ગોડાઉન પર બુલડોઝર ફેરવી ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં છે. પોલીસ કાફલા સાથેની આ કાર્યવાહીએ બલિઠામાં કરેલી ડિમોલિશનની કાર્યવાહી બાદ ફરી એકવાર ભંગારીયાઓમાં ફફડાટ ફેલાવ્યો છે.
મનપા એ આપેલી વિગતો મુજબ આ ગોડાઉનો રહેણાંક ઝોનમાં હતા. આસપાસમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો હતાં. છેલ્લા 4 મહિનામાં ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની ઘણી ઘટનાઓ બની છે. તથા ભંગારના ગોડાઉનોના માલિકોએ GPCB ની NOC પણ લીધેલ નથી. તેથી અનધિકૃત ભંગારના ગોડાઉનોના માલિકોને અંતિમ નોટિસ ફટકારી સ્વેચ્છાએ સદર ગોડાઉન દુર કરવા અપીલ કરી હતી.
પરંતુ, તેઓ દ્વારા મનપાની આખરી નોટીસની અવગણના કરતા શનિવારે નોટિસ પિરિયડ પૂર્ણ થયા પછી કોર...