
વાપી રેલવે સ્ટેશને 7 કલાકથી ટ્રેનની રાહ જોતા 350 મુસાફરોને ઇન્તેખાબ ખાનની ટીમે 500 પેકેટ્સ બિસ્કીટ્સ અને 500 બોટલ પાણી આપી માનવતા મહેકાવી
રવિવારે બાંદ્રાથી ગોરખપુર જતી અંત્યોદય એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશને સવારે 7 વાગ્યે આવવાને બદલે સાડા સાત કલાક મોડી આવી હતી. આ દરમ્યાન વાપી રેલવે સ્ટેશને 350 જેટલા મુસાફરો અટવાયા હતાં. જેઓને માટે રેલવે પ્રશાસન અને સામાજિક સંસ્થા દ્વારા બેસવા માટે મંડપની, નાસ્તા-પાણી માટે બિસ્કીટ્સ, પાણીની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી હતી. જેમાં જમીયત ઉલેમાં એ વાપી ટ્રસ્ટ ના ઇન્તેખાબ અને તેમની ટીમે 500 પેકેટ્સ બિસ્કીટ્સ અને 500 બોટલ પાણીનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
બાંદ્રાથી ગોરખપુર જતી અંત્યોદય એક્સપ્રેસ રેલવે રેક લિંક લેટથી વાપી રેલવે સ્ટેશને બપોરે 2.30 વાગે આવી હતી. મુંબઇના બાંદ્રાથી ગોરખપુર માટે અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન રેલવે વિભાગે શરૂ કરી છે. જે ઉત્તર ભારતીયો માટે ખૂબ જ સુવિધાજનક છે. આ ટ્રેન વાપી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં. 1 પર સવારે 7 વાગે આવતી હોય છે. પરંતુ વારાણસીમાં રેક લિંક હોય ત...