Sunday, June 22News That You Want to Read

Gujarat

વાપીના ચણોદમાંથી વલસાડ SOGએ 4.42 લાખના 44 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, આરોપી પાસેથી કુલ 13.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાપીના ચણોદમાંથી વલસાડ SOGએ 4.42 લાખના 44 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, આરોપી પાસેથી કુલ 13.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીના ચણોદ વિસ્તારમાંથી SOGની ટીમે મોટી માત્રામાં ગાંજા નો જથ્થો જપ્ત કર્યો. કુલ 44.222 કિલોગ્રામ ગાંજાની કિંમત 4,42,220 રૂપિયા છે. જે 7 લાખની કારમાં સંતાડયો હતો. પોલીસની આ રેઇડમાં આરોપી પાસેથી 1,14,900 રૂપિયા રોકડા પણ મળ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત 13,47,620 રૂપિયા છે. ચણોદમાં શ્રી બાલ કૃષ્ણ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા ફ્લેટમાંથી મળી આવેલ ગાંજા ના જથ્થા સાથે પોલીસે રામઅવતાર અંતુભાવ ગુપ્તા નામના ઇસમની ધરપકડ કરી છે. વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ. યુ. રોઝની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી રામઅવતાર અંતુભાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઇન પાસેથી આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી આ નશીલા પદાર્થોની હેરફેર કરતો હતો. જે વાપી, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો....
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં “Felicitation Programme” યોજાયો

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં “Felicitation Programme” યોજાયો

Gujarat, National
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ 1 મે, 2025 ના રોજ ધોરણ-1 થી 12 ના આચાર્ય પ્રવીણ પવાર માર્ગદર્શન હેઠળ આખા વર્ષ દરમ્યાન થયેલ હાઉસ પ્રમાણેની સ્પર્ધાઓ, વર્ગમાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓ અને વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વર્ગને ઈનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 100% હાજરી આપનાર વિદ્યાર્થીઓને સન્માન આપીને બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહી માનનીય મેનેજમેંટ કૉરઙીનેટર ગોહિલ સર અને કેમ્પસ ના વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ એ કાર્યક્રમની શોભા વધારી. કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી પ્રાતઃ વંદના થી કરવામાં આવી અને સાથે સાથે બાળકો દ્વારા સુંદર પ્રાર્થના-ગીતો અને વિવિધ ડાંસ પણ રજૂ કરવામાં આવ્યા. માનનીય ટ્રસ્ટી વસંતભાઈ ગજેરા, ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલ ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવીણ પવારે તમામ...
દમણ કલેક્ટર કચેરી ખાતે 1લી મે 2025 ના મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

દમણ કલેક્ટર કચેરી ખાતે 1લી મે 2025 ના મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ કલેકટર કચેરી ખાતે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ, 1લી મે 2025 ના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ જિલ્લામાં વસતા મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના લોકોને અધિક્ષક, કલેક્ટર કચેરી, દમણ દ્વારા પુષ્પગુચ્છ, મોમેન્ટો આપી મીઠાઈ ખવડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોએ તેમના રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, સંગીત અને વારસા વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. અધિક્ષક, કલેક્ટર કચેરી, દમણએ મહેમાનોને જણાવ્યું હતું કે ભારત તેના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસા પર ગર્વ અનુભવે છે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમનો હેતુ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્ર...
ભડકમોરા વિસ્તારમાં 55 વર્ષીય વૃદ્ધાની હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા

ભડકમોરા વિસ્તારમાં 55 વર્ષીય વૃદ્ધાની હત્યા કરનાર આરોપીને આજીવન કારાવાસની સજા

Gujarat, National
વર્ષ 2022માં એક 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને વાપી નામદાર કોર્ટે આજીવન કારવાસની સજાનો આદેશ કર્યો છે. આ અંગે વલસાડ પોલીસે આપેલી વિગતો મુજબ વર્ષ 2022માં GIDC પોલીસ મથક ખાતે હત્યાનો ગુન્હો નોંધાયો હતો. ફરીયાદી સતિષ વિષ્ણુભાઇ સોલંકેએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની કૌટુંબિક દાદી સુંદરબાઇ રધુનાથ સોલંકેની આરોપી પોપટ પવારે હત્યા કરી નાખી હતી. વાપી ભડકમોરા હનુમાનજી મંદિર આસપાસ બનેલ આ ઘટનામાં વૃદ્ધાની હત્યા કરી હત્યારો ફરાર થઇ ગયો હતો. ઉપરોકત ગુનાની તપાસ જેતે વખતના તત્કાલીન GIDC પોલીસ સ્ટેશનના PI વી. જી. ભરવાડે સંભાળી હતી. જેઓએ આરોપી પોપટ ઉર્ફે શીવા ઉર્ફે રાજુ ઉર્ફે મામા મહાદેવ પવારને ઝડપી લીધો હતો. આ ગુન્હાના કામે આરોપી વિરૂધ્ધમાં જરૂરી પુરાવાઓ એકત્ર કરી આરોપી વિરૂધ્ધમાં મે. ત્રીજા એડીશ્નલ સેશન્સ કોર્ટ વાપી ખાતે કેસ ચલાવ્યો હતો. સરકારી વકીલ રાકેશ ચાંપા...
बिहार चुनाव के प्रचार के लिए वापी आए बिहार के राज्यसभा सांसद और भाजपा नेता ने बिहार वेलफेयर एसोसिएशन और भूमिहार ब्रह्मर्षि समाज चैरिटेबल ट्रस्ट के साथ बैठक कर इस मामले पर चर्चा की।

बिहार चुनाव के प्रचार के लिए वापी आए बिहार के राज्यसभा सांसद और भाजपा नेता ने बिहार वेलफेयर एसोसिएशन और भूमिहार ब्रह्मर्षि समाज चैरिटेबल ट्रस्ट के साथ बैठक कर इस मामले पर चर्चा की।

Gujarat, National
आने वाले दिनों में बिहार में बड़ा चुनावी महापर्व है। इसे ध्यान में रखते हुए बिहार राज्य के मतदाता जो रोजगार और व्यवसाय के लिए गुजरात में बसे हैं। वो इस चुनाव में बिहार आये और भाजपा के पक्ष में अपना मतदान करे ऐसी अपील करने बिहार से राज्यसभा सांसद धर्मशीला गुप्ता और बीजेपी नेता सी.के. डी. शर्मा वापी आये थी। यहां उन्होंने बिहार वेलफेयर एसोसिएशन और भूमिहार ब्रह्मर्षि समाज चैरिटेबल ट्रस्ट के पदाधिकारियों और सदस्यों के साथ अलग-अलग समय पर बैठक की और मतदाताओं से बिहार आकर भाजपा को वोट देने की अपील की। उन्होंने एनडीए सरकार के दौरान और वर्तमान में नरेंद्र मोदी द्वारा बिहार में किए गए विकास की गाथा भी प्रस्तुत की। गुजरात दौरे पर आईं बिहार की राज्यसभा सांसद धर्मशीला गुप्ता और भाजपा नेता सी. डी. शर्मा ने सबसे पहले वापी स्थित बिहार वेलफेयर एसोसिएशन कार्यालय का दौरा किया। यहां संगठन के नेता विपुल सिंह...
પરશુરામ જયંતિ નિમત્તે વિપ્ર ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

પરશુરામ જયંતિ નિમત્તે વિપ્ર ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat, National
વાપીમાં છેલ્લા 4 વર્ષથી પરશુરામ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિપ્ર ફાઉન્ડેશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના સહયોગમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 131 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુમાં રક્તદાન કેન્દ્રમાં રક્તની ઘટ નિવારવા આ પ્રયાસ કરવામાં આવે છે. વિપ્રો ફાઉન્ડેશન અને વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં 131 યુનિટ રક્ત જમા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પના ફર્સ્ટ ડોનર મહર્ષિ ભરતભાઈ ઠક્કર અને રાજવીર કૌશિકે રક્તદાન કરી પ્રારંભ કરાવ્યો હતો. આ રક્તદાન શિબિર અંગે વિપ્ર ફાઉન્ડેશન વલસાડ જિલ્લાના પ્રમુખ નવ રતન મિશ્રાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 4 વર્ષથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. જેમાં દર વર્ષે 150 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવમાં આવે છ...
વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરી, ચાર રસ્તાને ભગવાન પરશુરામ ચોક નામ આપ્યું, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી

વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરી, ચાર રસ્તાને ભગવાન પરશુરામ ચોક નામ આપ્યું, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી

Gujarat, National
વાપીથી તાપીની ભૂમિને પરશુરામ ની ભૂમિ માનવામાં આવે છે. ત્યારે, 29મી એપ્રિલે પરશુરામ જયંતિ નિમિત્તે વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન પરશુરામની પ્રતિમાને ફુલહાર પહેરાવી આરતી ઉતારી આ ચોક ને ભગવાન પરશુરામ નામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાન સંજય શુક્લાએ જણાવ્યું હતું કે, વાપીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ ઉજવવામાં આવી હતી. વાપીમાં ચાર રસ્તા ખાતે આવેલ પરશુરામ ભગવાનની પ્રતિમાને ફુલહાર પહેરાવી તેમની આરતી ઉતારી આ ઉજવણી કરવામાં આવી હતી. તો, સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આ વાપી ચાર રસ્તાના આ ચોકને પરશુરામ ચોક નામ આપવામાં આવ્યું છે. હાલમાં જ પહેલગામ હુમલામાં મોતને ભેટેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાળી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આતંકવાદને ભગવાન પરશુરામ ખતમ કરે આતંકવાદીઓની માનસિકતાને ખતમ ...
વાપીના બલીઠા ગામમા આવેલ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવનાર ઇસમને ઝડપી પાડી વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

વાપીના બલીઠા ગામમા આવેલ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવનાર ઇસમને ઝડપી પાડી વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Gujarat, National
સોમવાર 28મી એપ્રિલે વાપીના બલિઠા ગામ ખાતે આવેલ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવનારને વલસાડ પોલીસે ઝડપી લીધો છે. મિત્રએ મિત્ર સાથે માત્ર 600 રૂપિયાની લેતી દેતી માં આ અફવા ફેલાવી હતી. આલોક કંપનીના કર્મચારી ધનંજય સુરેશ કુશ્વાહ તેના મિત્ર હર્ષ લક્ષ્મીશંકર તિવારીની રૂમમાં બે દિવસ રોકાયેલ જેનો ખર્ચો રૂ-200/- આપ્યા હતાં. પરંતુ, લક્ષ્મીશકરે 600 રૂપિયા માંગ્યા હતાં. જે ધનજયે ના પાડતા ધનંજય સુરેશ કુશ્વાહના વોટ્સઅપ નંબરથી જ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી માહિતી ઉત્તર પ્રદેશ રાજયના પોલીસ કન્ટ્રોલ રૂમમાં આપી હતી. આ માહિતીની સ્ટેટ કન્ટ્રોલ ગાંધીનગર તરફથી જાણ કરવામાં આવી હતી. માહિતી આપનારે તેના વોટ્સએપ એપ્લીકેશનના માધ્યમથી ઉત્તર પ્રદેશ રાજયના પોલીસ કન્ટ્રોલના વોટ્સએપ નંબર ઉપર કલાક 09/18 વાગ્યાના અરસામાં મેસેજ કરી જાણ કરી હતી. આ હકીકતને ગંભીરતાથી લઇ વાપી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ભારતીય ન્યા...
બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસણખોરી કરી ઉમરગામમાં રહેતા 6 પુરુષ એક મહિલા સહિત કુલ 7 બાંગ્લાદેશીઓને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા

બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસણખોરી કરી ઉમરગામમાં રહેતા 6 પુરુષ એક મહિલા સહિત કુલ 7 બાંગ્લાદેશીઓને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા

Gujarat, National
ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિદેશી નાગરિકો ઘુષણખોરી કરી ગેર કાયદેસર વસવાટ કરી રહ્યા હોય એવા લોકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ દ્રારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન હેઠળ વલસાડ પોલીસે હાથ ધરેલ તપાસમાં ઉમરગામ ખાતેથી 7 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. આ 7 બાંગ્લાદેશીઓમાં 6 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જેઓ અલગ અલગ સમયે બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસણખોરી કરી ઉમરગામમાં આવીને રહેતા હતાં. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉમરગામ પોલીસ સ્ટેશનના ગાંધીવાડી તથા દહેરી વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરી જરૂરી પુછપરછ તેમજ ચકાસણી કરતા હતા ત્યારે, (1) મોહમદ સુમાનઉદ્દીન ઉર્ફે સુમોન તજીબરમુલ્લા, (2) હિલાલ સોફીકુલ ખાન (3) મસુદ અબ્દુલ રહીમ રાના, (...
ઉમરગામમાં 9 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીને વલસાડ LCB એ દબોચી લીધો, આરોપીએ પ્રેમિકા અને સાસુ સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી

ઉમરગામમાં 9 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીને વલસાડ LCB એ દબોચી લીધો, આરોપીએ પ્રેમિકા અને સાસુ સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી

Gujarat, National
વર્ષ 2016માં ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં એક યુવકની કુવામાંથી લાશ મળી હતી. જે તે વખતે આ યુવકની ઓળખ દિનેશ રંગીલાલ તરીકે થઈ હતી. અને તેની હત્યા તેમની પત્ની, સાસુ અને પત્નીના પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં મૃતકની પત્ની અને સાસુની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર એવો મહાદેવ પ્રસાદ ફરાર થઇ ગયો હતો. જેને 9 વર્ષ બાદ 2025માં LCB પોલીસે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, મૃતક દિનેશ રંગીલાલને મોતને ઘાટ ઉતારી તેના પગે દોરી તથા મોઢાના ભાગે કપડુ બાંધી તેની લાશને સંજાણ ફણસપાડા, કોલી ખાડી પાસે આવેલ પડતર કુવાના પાણીમાં ફેંકી દીધી હતી. વર્ષ 2016ની આ ચકચારી ઘટનામાં 3 આરોપીઓ પૈકી 2ની અટક કરવામાં આવી હતી. અને આરોપી મહાદેવ પ્રસાદ ઉર્ફે રાજુ રામલોટન યાદવ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જે ...