
ગાંધી સર્કલથી જૂના ગરનાળા સુધી RCC રોડ બનાવવાની કામગીરીનો 18મી એપ્રિલ થી થશે શુભારંભ, 30 દિવસ ડાયવર્ઝનનો ઉપયોગ કરવા વાપી મનપાની અપીલ
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં હનુમાન મંદિર થી કચીગામ બોર્ડરને જોડતા RCC રોડની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે, પૂર્વ ભાગમાં રેલવે જુના ગરનાળા થી ગાંધી સર્કલ સુધીના રોડ ને પણ RCC બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ RCC રોડ બનાવવાનું કામ આગામી તા.18/04/2025 ના રોજથી શરૂ કરવામાં આવશે.
આ કામગીરી અંગે વાપી મહાનગરપાલિકા એ જનતા ને અપીલ કરતી અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે. કે, આ RCC રોડની કામગીરી બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં અસ્પી પેટ્રોલપંપ થી ગાંધીસર્કલ તરફ જતો એક તરફનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ રાખવામાં આવશે.
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પૂર્વભાગમાં આવેલ ગાંધીસર્કલ થી જૂનાનાળા સુધીનો રોડ RCC બનાવવાનો હોય આ કામ 18મી એપ્રિલથી શરૂ થશે. જે દરમ્યાન રેલવે સ્ટેશન ટિકિટબારી (પૂર્વ) થી કોપરલી કે સેલવાસ રોડ જવા માટે સરદાર માર્કેટને લાગુ રોડ તથા વાપી ટાઉન થી નવા નાળા/જૂના નાળા થી પૂ...