Monday, June 23News That You Want to Read

National

Operation Olivia : ICG (Indian Coast Guard) એ ઓડિશા કિનારે 6.98 લાખથી વધુ Olive Ridley કાચબાઓને બચાવ્યા

Operation Olivia : ICG (Indian Coast Guard) એ ઓડિશા કિનારે 6.98 લાખથી વધુ Olive Ridley કાચબાઓને બચાવ્યા

Gujarat, National
દરિયાઈ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના વાર્ષિક મિશન 'ઓપરેશન ઓલિવિયા' દ્વારા ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખમાં 6.98 લાખથી વધુ ઓલિવ રિડલી કાચબાઓના માળાને સુરક્ષિત રાખવામાં મદદ મળી છે. નવેમ્બર થી મે દરમિયાન વાર્ષિક ધોરણે હાથ ધરવામાં આવતું ઓપરેશન ઓલિવિયા, ICGની એક મુખ્ય પહેલ છે. જેનો હેતુ ઓલિવ રિડલી કાચબાઓ માટે, ખાસ કરીને ગહીરમાથા બીચ અને ઓડિશાના આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામત માળાના સ્થળો સુનિશ્ચિત કરવાનો છે. જ્યાં દર વર્ષે આઠ લાખથી વધુ કાચબાઓ મુલાકાત લે છે. ઓડિશામાં રુષિકુલ્યા નદીના મુખ પર રેકોર્ડ સામૂહિક માળાઓ બનાવવાનું કાર્ય ICG દ્વારા સખત પેટ્રોલિંગ, હવાઈ દેખરેખ અને સમુદાય જોડાણ દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ માટેના સતત પ્રયાસોનો પુરાવો છે. ઓપરેશન ઓલિવિયાની શરૂઆતથી ICG એ 5,387થી વધુ સપાટી પેટ્રોલિંગ ફ્લાઇટ્સ અને 1,768 હવાઈ...
વાપીમાં VTA દ્વારા આયોજિત ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ-8 નું સમાપન, ફાઇનલમાં J K Safe બની Winner ટીમ

વાપીમાં VTA દ્વારા આયોજિત ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ-8 નું સમાપન, ફાઇનલમાં J K Safe બની Winner ટીમ

Gujarat, National
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA)  દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 8- 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ફાઇનલ મેચ હતી. ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ આપવામાં આવ્યાં હતાં. વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 8 - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે કચ્છ શક્તિ અને જે. કે. સેફ લોજિસટીક્સ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં જે. કે. સેફ લોજિસ્ટિક વિજેતા ટીમ બની હતી. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કરે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્પોન્સર્સ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું ...

સંસ્કાર વિદ્યાપીઠ ખાતે સ્વ. શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણ સાથે નિર્મલા ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

Gujarat, National
સ્વર્ગીય શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ સરક્ષણ અભિયાન ચલાવતા વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15, વલસાડ જિલ્લા અને મંજુ દાયમાં મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર વિદ્યાપીઠ, રામવાડી છરવાડા, વાપી ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામે વૃક્ષારોપણ કરી સ્વ. શ્રીમતી નિર્મલા દેવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે બી. કે. દાયમાં અને અરવિંદ પાલિવાલે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન નિર્મલા દેવીનું નિધન થયું હતું. જે બાદ તેમની પ્રથમ પુણ્યતિથિથી વૃક્ષારોપણના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે. નિર્મલા ઉદ્યાન પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત અહીંની શાળામાં આ ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું છે. જેને નિર્મલા ઉદ્યાન નામ આપવામાં આવ્યું...
હૈદરાબાદમાં ચારમીનાર નજીક આગની મોટી દુર્ઘટના, 17ના મોત

હૈદરાબાદમાં ચારમીનાર નજીક આગની મોટી દુર્ઘટના, 17ના મોત

National, News
Vihar Vaishnav : હૈદરાબાદમાં રવિવારે વહેલી સવારે ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં લાગેલી આગની ઘટનામાં 17 લોકોના મોત થયા છે અને લગભગ ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે.મૃતકોમાં બે બાળકો અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ પર્લ્સની બિલ્ડિંગ સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગને કાબુમાં લેવા માટે અગિયાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.કૉમર્શિયલ વિસ્તારમાં ભીડભાડવાળી ગલીમાં આવેલી ગ્રાઉન્ડ+1 ઇમારતમાં ફસાયેલા કેટલાક લોકોને ફાયરફાઈટરોએ બચાવી લીધા હતા. પરિસરમાં ફેલાયેલા ગાઢ ધુમાડાને કારણે કેટલાક લોકો બેભાન થઈ ગયા. મોતીના વેપારી અને તેના કર્મચારીઓના પરિવારના લગભગ 30 લોકો ત્યાં હતા. મોતીના વેપારીની દુકાન, મોદી પર્લ્સ, ગ્રાઉન્ડ ફ્લોર પર હતી, જ્યારે તેમનો પરિવાર અને કેટલાક કામદારોના પરિવારો પહેલા માળે રહેતા હતા. આગને કાબુમાં લેવા માટે 11 ફાયર એન્જિન કામે લાગ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે...
વર્ષ 2004માં ઉમરગામના નારગોલમાં સાગરિતો સાથે મળી હત્યા કર્યા બાદ નાસતા ફરતા વોન્ટેડ આરોપીને LCB ની ટીમે 21 વર્ષે સુરતથી ઝડપ્યો

વર્ષ 2004માં ઉમરગામના નારગોલમાં સાગરિતો સાથે મળી હત્યા કર્યા બાદ નાસતા ફરતા વોન્ટેડ આરોપીને LCB ની ટીમે 21 વર્ષે સુરતથી ઝડપ્યો

Gujarat, National
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. 21 વર્ષથી ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી લક્ષ્મીશંકર રામસુરત યાદવ (ઉંમર 68)ને સુરતના પરીયા, સાયણ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તર પ્રદેશના જોનપુરનો વતની છે અને હાલ સુરતની ચંદન શો મિલ, દેલાડ પાટીયા ખાતે રહેતો હતો. જેણે વર્ષ 2004માં નારગોલ ગામે પોતાના સાગરીતો સાથે મળી પ્યારેલાલ લાલતા યાદવની હત્યા કરી હતી. આ કામગીરી સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS) અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા (IPS)ની સૂચનાઓ હેઠળ હાથ ધરવામાં આવી હતી. LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શનમાં ટીમે ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવ્યું હતું. 2004માં ઉમરગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (FIR નં. 201/2004, IPC કલમ 302, 323, 114)માં લક્ષ્મીશ...
વાપી ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા કરાવી ફરિયાદીને ન્યાય અપાવ્યો 

વાપી ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા કરાવી ફરિયાદીને ન્યાય અપાવ્યો 

Gujarat, National
 વાપી ટાઉન પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના એક મોટા કેસમાં સફળતા હાંસલ કરી છે. આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારીને તેમજ પીડિતને 9.30 લાખનું વળતર અપાવી ન્યાય અપાવ્યો છે.  આ કેસની વિગતવાર માહિતી જોઈએ તો, ગત 21 નવેમ્બર, 2024ના રોજ દીપેશભાઈ દીપકભાઈ કદમે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું કે, ચણોદ ગામે ફ્લેટ ખરીદવા માટે તેમને હોમ લોનની જરૂર હતી. આરોપી વિનોદ શૈલેન્દ્ર સુમેશ્વર શુક્લાએ તેમને જે.એમ. ફાઇનાન્સમાંથી 12 લાખ રૂપિયાની હોમ લોન અપાવી. પરંતુ, ત્યારબાદ આરોપીએ બાકી રકમ ભરવાના બહાને ફરિયાદીના મોબાઇલ અને ગુગલ-પેના આઈડી-પાસવર્ડનો દુરુપયોગ કર્યો. આરોપીએ પે-ટી.એમ. દ્વારા 1,87,706 રૂપિયા અને બજાજ ફાઇનાન્સમાંથી 1,49,043 રૂપિયાની પર્સનલ લોન કરાવી. તથા જે.એમ.ફાઇનાન્સ, વાપીની હોમ લોનના રૂ.3,16,586/- મળી કુલ 6,53,335 રૂપિયા ગુગલ-પે મારફતે પોતાના ખાતામાં ટ્રાન્સફ...
વાપી GIDC નજીક કોચરવા ગામે વડિયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી

વાપી GIDC નજીક કોચરવા ગામે વડિયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી

Gujarat, National
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારને અડીને આવેલા કોચરવા ગામના વડીયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હોમ, સમૂહ આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ આ 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવ નિમિતે હરિઓમ મંડળના સભ્ય કલ્પેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ અને સમસ્ત કોચરવા વડિયાવાડના ગ્રામજનોએ મળીને આ ઉત્સવ ઉજવ્યો છે. અહીં 24 વર્ષ પહેલાં ભોળાનાથ નું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર તરીકે વિખ્યાતી પામ્યું છે. 17મી મેં 2025ના રોજ આ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરનો 24મો પાટોત્સવ હતો. જે નિમિતે હોમ-હવન, મહાઆરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની કૃપા હંમેશા ગામના દરેક ગ્રામજન પર વરસતી રહે એવા આશીર્વાદ સાથે આ પાટોત્સવની ઉજવણી કર...
दमन क्राइम ब्रांचने देवका और नानी दमन क्षेत्र में से 5 बांग्लादेशी महिलाओ को पकड़कर संबंधित पुलिस स्टेशन को सौंपा

दमन क्राइम ब्रांचने देवका और नानी दमन क्षेत्र में से 5 बांग्लादेशी महिलाओ को पकड़कर संबंधित पुलिस स्टेशन को सौंपा

Gujarat, National
16/05/2025 को क्राइम ब्रांच पुलिस स्टेशन को एक गुप्त और विश्वसनीय सूचना मिली थी कि बांग्लादेशी नागरिक दमन के देवका और नानी दमन क्षेत्र के आस-पास रह रहे हो सकते हैं। यह सूचना वरिष्ठ अधिकारी के साथ साझा की गई और वरिष्ठ अधिकारियों के निर्देश पर क्राइम ब्रांच पोलिस स्टेशन की टीम ने देवका और नानी दमन क्षेत्र में जांच की, खोज के दौरान देवका से 02 महिला बांग्लादेशी नागरिक और नानी दमन से 03 महिला बांग्लादेशी नागरिक पाई गईं। जिनके पास भारत के नागरिकता संबन्धित दस्तावेज़ मांगने पर पेश नहीं कर पाये। जांच के दौरान सभी महिला बांग्लादेशी नागरिक होने की प्रमाण मिलने पर सभी पांच महिला बांग्लादेशी नागरिकों को संबंधित पुलिस स्टेशन को सौंप दिया गया। आगे महिलाओ को बांग्लादेश भेजने की प्रक्रिया शरू कर दी गयी हैं। पूर्व में क्राइम ब्रांच द्वारा एक बांग्लादेशी महिला को पकड़ा गया था और उसे निर्वासन (डिपोर्टेशन) क...
रेलवे सुरक्षा बल ने रक्सौल में मानव तस्करी की कोशिश नाकाम की; ऑपरेशन एंटी ह्यूमन ट्रैफिकिंग (AAHT) के तहत चार नाबालिग लड़कियों को बचाया

रेलवे सुरक्षा बल ने रक्सौल में मानव तस्करी की कोशिश नाकाम की; ऑपरेशन एंटी ह्यूमन ट्रैफिकिंग (AAHT) के तहत चार नाबालिग लड़कियों को बचाया

Gujarat, National
रेलवे सुरक्षा बल-आरपीएफ ने बाल सुरक्षा और मानव तस्कर निरोधी प्रयासों के प्रति अडिग प्रतिबद्धता दर्शाते हुए त्वरित और समन्वित अभियान में, 13 मई 2025 की सुबह रक्सौल रेलवे स्टेशन पर मानव तस्करी के प्रयास विफल करते हुए चार नाबालिग लड़कियों को बचाया। रक्सौल पोस्ट पर रेलवे सुरक्षा बल-RPF ने समय से मिली खास सूचना पर रक्सौल राजकीय रेलवे पुलिस-GRP, सशस्त्र सीमा बल-SSB मानव तस्करी निरोधी इकाई, रेलवे चाइल्डलाइन-रक्सौल तथा गैर-सरकारी संगठन- प्रयास किशोर सहायता केंद्र के साथ मिलकर ट्रेन नंबर 15273 रक्सौल-आनंद विहार सत्याग्रह एक्सप्रेस रेलगाड़ी से 13 से 17 वर्ष आयु की चार लड़कियों को मानव तस्‍करों से बचाया। प्रारंभिक जांच में पता चला कि इन नाबालिग लड़कियों को नौकरी के झूठे वादे और गोरखपुर में एक लापता रिश्तेदार को खोजने की मदद का झांसा देकर नेपाल से तस्करी कर लाया जा रहा था। इन बच्चियों के परिवारों को...
ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. “હાલનો યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે” જરૂર પડશે સંપૂર્ણ ચિત્ર બતાવીશું : સંરક્ષણ પ્રધાન

ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. “હાલનો યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર મૂક્યું છે” જરૂર પડશે સંપૂર્ણ ચિત્ર બતાવીશું : સંરક્ષણ પ્રધાન

Gujarat, National
16 મે, 2025ના રોજ ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે વાયુસેનાના સૈનિકોને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, "આતંકવાદ સામે ભારતની લડાઈ ફક્ત સુરક્ષાનો વિષય નથી, તે હવે રાષ્ટ્રીય સંરક્ષણ સિદ્ધાંતનો એક ભાગ બની ગઈ છે અને અમે આ હાઇબ્રિડ અને પ્રોક્સી યુદ્ધને જડમૂળથી ઉખાડી નાખીશું." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન યુદ્ધવિરામનો અર્થ એ છે કે ભારતે પાકિસ્તાનને તેના વર્તનના આધારે પ્રોબેશન પર રાખ્યું છે. જો વર્તન સુધરે તો તે ઠીક છે; પરંતુ જો કોઈ ખલેલ થશે તો સૌથી કડક સજા આપવામાં આવશે, સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી કે ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી. "અમારી કાર્યવાહી ફક્ત એક ટ્રેલર હતી, જો જરૂર પડશે તો અમે સંપૂર્ણ ચિત્ર બતાવીશું. 'આતંકવાદ પર હુમલો કરવો અને તેને ખતમ કરવો' એ નવા ભારતનો નવો સામાન્ય નિયમ છે." રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાને ભારત દ્વારા નાશ પામેલા તેના આતંકવાદી ...