Saturday, June 21News That You Want to Read

સંસ્કાર વિદ્યાપીઠ ખાતે સ્વ. શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણ સાથે નિર્મલા ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું

સ્વર્ગીય શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ સરક્ષણ અભિયાન ચલાવતા વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15, વલસાડ જિલ્લા અને મંજુ દાયમાં મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર વિદ્યાપીઠ, રામવાડી છરવાડા, વાપી ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામે વૃક્ષારોપણ કરી સ્વ. શ્રીમતી નિર્મલા દેવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે બી. કે. દાયમાં અને અરવિંદ પાલિવાલે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન નિર્મલા દેવીનું નિધન થયું હતું. જે બાદ તેમની પ્રથમ પુણ્યતિથિથી વૃક્ષારોપણના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે. નિર્મલા ઉદ્યાન પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત અહીંની શાળામાં આ ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું છે. જેને નિર્મલા ઉદ્યાન નામ આપવામાં આવ્યું છે.

સ્વ. નિર્મલા દેવીના પરિવારે તેમની વિદાયના આ વિરહના દિવસને સેવાના ઉત્સવ સાથે જોડી પર્યાવરણ સંરક્ષણક્ષેત્રે ઉત્તમ કાર્યની શરૂઆત કરી છે. જેમ જેમ વર્ષો વીતતા જશે તેમ તેમ અને તેટલા વૃક્ષો તેમની યાદમાં રોપવામાં આવશે. જેના થકી સ્વ. નિર્મલાદેવીની યાદોને પણ જીવંત રહેશે

ઉલ્લેખનીય છે કે, આજના આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશનના પ્રદેશ મહામંત્રી અને સ્વ. શ્રીમતી નિર્મલદેવીના પતિ હનુમાનપ્રસાદ દ્વારા ઉપસ્થિત તમામનું સ્વાગત કરી તેઓના હસ્તે વૃક્ષારોપણ કરાવ્યું હતું. તેમજ સ્વ. નિર્મલદેવીની તસવીરને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ, સભ્યો, રાજસ્થાન સમાજના અગ્રણીઓ, વાપીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *