
વલસાડ પોલીસે કપરાડાના રોહીયાળ જંગલ ગામેથી મૃત હાલતમાં મળી આવેલ મહીલાના રેપ વીથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો, ભત્રીજો જ નીકળ્યો આરોપી
તારીખ 21મી માર્ચ 2025ના રોહીયાળ જંગલ ગામ, મુળગામ ફળીયામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગે કોતરવાળી જગ્યામાં તાઇબેન કનુભાઇ નવસુભાઇ દોવાડ મૃતદેહ મળી આવ્યો હતો. 44 વર્ષીય મૃતક મહિલાના માથાના ભાગે તથા શરીરે જીવાત પડી ગયેલ તેમજ મૃતદેહ સડી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે સઘન તપાસ કરી મૃતક મહિલા સાથે બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દેનાર ભગવાન ઉર્ફે ભગુ નામના આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ઘટના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ મહિલાના મૃતદેહ અંગે શકારામ કનુભાઇ દોવાડે કપરાડા પો.સ્ટે.ને જાણકારી આપી હતી. જે બાદ પોલીસે મૃતકના મૃતદેહનું પી.એમ. કરાવતા ગળુ દબાવી તથા માથાના ભાગે પત્થર મારવાથી ગંભીર ઇજાઓ થવાથી મોત થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ જણાય આવ્યું હતુ.
બનાવની ગંભીરતાને ધ્યાને પોલીસે હાથ ધરેલ તપાસમાં શકમંદ ઇસમ ભગવાન ઉર્ફે ભગુ કમળેભાઇ દોધાડની યુકિત પ્રયુ...