સંસ્કાર વિદ્યાપીઠ ખાતે સ્વ. શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણ સાથે નિર્મલા ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું
સ્વર્ગીય શ્રીમતી નિર્મલા દેવી હનુમાન પ્રસાદ શર્માની ચતુર્થ પુણ્ય સ્મૃતિમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ સરક્ષણ અભિયાન ચલાવતા વિપ્ર ફાઉન્ડેશન ઝોન 15, વલસાડ જિલ્લા અને મંજુ દાયમાં મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર વિદ્યાપીઠ, રામવાડી છરવાડા, વાપી ખાતે યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામે વૃક્ષારોપણ કરી સ્વ. શ્રીમતી નિર્મલા દેવીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે બી. કે. દાયમાં અને અરવિંદ પાલિવાલે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન નિર્મલા દેવીનું નિધન થયું હતું. જે બાદ તેમની પ્રથમ પુણ્યતિથિથી વૃક્ષારોપણના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે અલગ અલગ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવે છે. નિર્મલા ઉદ્યાન પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત અહીંની શાળામાં આ ઉદ્યાન તૈયાર કરવામાં આવ્યું છે. જેને નિર્મલા ઉદ્યાન નામ આપવામાં આવ્યું...