Saturday, June 21News That You Want to Read

National

કરવડમાં શાળાની બસ જર્જરિત હાલતમાં, મોટી દુર્ઘટનાનો ભય, શાળા માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં 500 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ આપી રહી છે.

કરવડમાં શાળાની બસ જર્જરિત હાલતમાં, મોટી દુર્ઘટનાનો ભય, શાળા માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં 500 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ આપી રહી છે.

Gujarat, National
કરવડમાં દમણગંગા નહેર પાસે પ્લોટ નંબર 217 ખાતે એક ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા કાર્યરત છે. આ શાળા માત્ર 500 રૂપિયાની નજીવી ફીમાં 500 જેટલા ગરીબ બાળકોને શિક્ષણ આપી રહી છે. જો કે, શાળા દ્વારા બાળકોને લાવવા-લઈ જવા માટે વપરાતી બસની હાલત અત્યંત જર્જરિત છે, જે ગંભીર ચિંતાનો વિષય છે. બસમાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે, અને તેના કાચ પણ તૂટેલા છે. આ જર્જરિત હાલતને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિક લોકોએ શાળા સંચાલકોને આ અંગે ધ્યાન દોર્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. શાળા સંચાલકો સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, બસનું મોટાભાગનું સમારકામ વેકેશન દરમિયાન કરવામાં આવે છે. હાલમાં શાળામાં બે બસ છે, જેનો ઉપયોગ ગરીબ બાળકોને લાવવા-લઈ જવા માટે થાય છે. આ બાળકોને ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકો આસ...
કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ

Gujarat, National, News, Science & Technology
એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા નગર હવેલીની સરહદે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય ની ખેતીની જમીનો આવેલ છે, જે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર ખેતીલાયક જમીનો છે. જેની મુલાકાત દરમ્યાન મળેલી વિગતો મુજબ આ જમીનો બિન અધિકૃત રીતે 99 વર્ષના પટ્ટે પરપ્રાંતીય લોકોને ભંગારના ગોડાઉન માટે આપી દેવાઈ છે. તો, કેટલીક જમીનો પર રહેણાંક ઇમારતો, શોપિંગ સેન્ટર, ચાલ અને શાળા બનાવી દેવામાં આવી છે.  ગ્રામ પંચાયત દ્વારા આ તમામ પાસેથી ઘરવેરો પણ વસુલવામાં આવે છે. જ્યારે, સરકારી ચોપડે આ જમીનના 7X12 મૂળ આદિવાસી સમુદાયના ખેડૂત પરિવારોના નામો ચાલે છે. આ ઉપરાંત તેમની જમીન ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવેલો દેખાય છે. જો કે, આ સમગ્ર મામલે કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે. તે બાબતે વાપી મનપ...
વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક યોજી વલસાડ જિલ્લામાં વધુ રેલ સુવિધા પૂરી પાડવા રજુઆત કરી

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક યોજી વલસાડ જિલ્લામાં વધુ રેલ સુવિધા પૂરી પાડવા રજુઆત કરી

Gujarat, National
દિલ્હી ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે દેશના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરી વલસાડ જિલ્લાના ઉમરગામ, સંજાણ, ભિલાડ, કરમબેલે, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, વલસાડ, ડુંગરી જેવા રેલ્વે સ્ટેશનો ના વિકાસ તેમજ અંતરિયાળ વિસ્તારથી અવરજવર કરતા કામદારો, રેલયાત્રીઓ ને વધુ સુવિધાઓ પુરી પાડવા સંદર્ભે ખાસ બેઠક યોજી હતી, વલસાડ બ્રાંદ્રા ઈન્ટરસીટી ટ્રેનને ફરી ચાલુ કરાવવા સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જીલ્લાનો પ્રવાસ કરવા તેમજ વિવિધ સ્ટેશનો પર રેલ્વે દ્રારા આપવામાં આવતી સુવિધાઓ નું સ્થળ નિરીક્ષણ કરી હાલ ચાલી રહેલા વિકાસ કાર્યોની મુલાકાત લેવા વિશેષ આમંત્રણ પાઠવ્યું હતુ....
વાપી ટાઉનમાં હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ… વાહનચાલકો ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે

વાપી ટાઉનમાં હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ… વાહનચાલકો ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે

Gujarat, National
વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કચીગામ રોહિતવાસ રોડ કે જે હનુમાન મંદિર થી કચીગામ બોર્ડરને જોડતો રોડ આવેલ છે. આ રોડ બનાવવાની કામગીરી આજ 28મી માર્ચ 2025 થી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી 30 દિવસ સુધી આ માર્ગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. જેના સ્થાને વાહનચાલકોને  ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ કરી છે. મહાનગરપાલિકા એ આપેલી વિગતો મુજબ આ રોડનું કામ બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં વાપી હનુમાન મંદિરથી જનસેવા હોસ્પિટલ થઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધીનું કામ શરૂ કરવામાં આવશે. જેથી હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત સમય ગાળા દરમ્યાન નાગરિકોને અગવડ ના પડે તે હેતુસર આશિયાના જંકશન થી ફિશ માર્કેટ થઈ વાપી બજાર રોડ અને મહારાણા પ્રતાપ સર્કલ થી રોફેલ કોલેજ થઈ દેસાઈવાડ/રિંગ રોડ ઉપરના રોડ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે...
વાપી મહાનગરપાલિકાએ એક સરકારી બેન્ક, બે ફાઇનાન્સીયલ બેન્ક, એક ક્લીનીક સામે કાર્યવાહી શરૂ કરી સ્થળ પર વેરો ભરાવ્યો, એક જ દિવસમાં રૂ.  62 લાખની વસૂલાત કરી, છીરીમાંથી 19 લાખની વસુલાત…!

વાપી મહાનગરપાલિકાએ એક સરકારી બેન્ક, બે ફાઇનાન્સીયલ બેન્ક, એક ક્લીનીક સામે કાર્યવાહી શરૂ કરી સ્થળ પર વેરો ભરાવ્યો, એક જ દિવસમાં રૂ.  62 લાખની વસૂલાત કરી, છીરીમાંથી 19 લાખની વસુલાત…!

Gujarat, National
વાપી મહાનગરપાલિકાની ઘરવેરા વિભાગની ટીમે વેરા વસૂલાતની કાર્યવાહી કરી 1 દિવસમાં રૂ. 62 લાખની વસૂલાત કરી હતી. તા.26 માર્ચે વેરા વસૂલાત અભિયાનમાં વાપીમાં 46 અને ગામ વિસ્તારોમાં 13 મિલકતો મળી 59 મિલકતોને તાળાં મારવામાં આવ્યા હતા.  મૂળ વાપી વિસ્તારમાંથી રૂ. 33 લાખ અને ગામ વિસ્તારોમાંથી રૂ.29 લાખ મળી રૂ.62 લાખની વસૂલાત કરી હતી. જેમાં છીરી ગામમાં 13 મિલકતોને તાળાં મારવામાં આવ્યા હતા અને રૂ.19 લાખની વસૂલાત કરી હતી. છરવાડામાંથી રૂ.5 લાખ અને ચણોદમાંથી રૂ. 1.3 લાખની વસૂલાત થઈ હતી. વાપીમાં લાંબા સમયથી વેરો ના ભરનાર બે મોટી હોટલ, એક સરકારી બેન્ક, બે ફાઇનાન્સીયલ બેન્ક, એક ક્લીનીક સામે પણ કાર્યવાહી શરૂ કરતાં સ્થળ પર વેરો ભરી દેવામાં આવ્યો હતો. ઘરવેરા વિભાગની ટીમે એક જ દિવસમાં અરિહંત પ્રેસ્ટીજ, ઐશ્વર્ય રેસીડેન્સી, ડ્રીમ હાઉસ, જગદીશ સોસાયટી, મંગલ કોમ્પ્લેક્ષ, સાંચી હાઇટ્સ વગેરેમાં મળી 46 કમર્શીયલ મિલક...
વલવાડાના સંઘાડી ફળિયામાં આદિવાસીઓની જમીન પર માપણી કરવા આવનાર GIDC ના અધિકારીઓ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો… શું.. ટ્રાન્સપોર્ટ નગર બનાવવા આદિવાસીઓને બેઘર કરવાનું આ કોઈ મોટું ષડયંત્ર છે?

વલવાડાના સંઘાડી ફળિયામાં આદિવાસીઓની જમીન પર માપણી કરવા આવનાર GIDC ના અધિકારીઓ સામે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો… શું.. ટ્રાન્સપોર્ટ નગર બનાવવા આદિવાસીઓને બેઘર કરવાનું આ કોઈ મોટું ષડયંત્ર છે?

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામમાં આવેલ સંઘાડીપાડા ફળિયામાં વર્ષોથી રહેતા અને 7x12 સહિત ખેતીની અને રહેણાંકની જમીનના હક્ક ધરાવતા અદિવાસીઓની જમીનો પર GIDC ના અધિકારીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે જમીન માપણી ની કાર્યવાહી હાથ ધરતા ગામના આદિવાસીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ અંગે GIDC ના અધિકારીઓ તરફથી કોઈ વિગતો આપવામાં આવી નથી. પરંતુ જમીન માલિક આદિવાસી પરિવારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અહીં ટ્રાન્સપોર્ટ નગર બનાવવા માટે સરકાર તેમને ધાકધમકી આપી બેઘર કરી રહ્યાં છે. ખેતીની જમીન વિહોણા કરી રહ્યા છે. ગામલોકોએ જણાવ્યું હતું કે, વલવાડાના સંઘાડી પાડામાં તેમની માલિકીની જગ્યા છે. તે GIDC લેવા માંગે છે. અહીં મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો બાપદાદાથી ખેતી કરીને ગુજરાન ચલાવે છે. જમીનના 7X12ના ઉતારા પણ તેમની પાસે. તેમ છતાં અધિકારીઓ આ જમીન સંપાદન થઈ ચૂકી હોવાની વાત કરી જમીનની માપણી કરી જમીનો છીનવી રહ...
વાપીના ડુંગરી ફળિયાના એકતાનગરમાં આવેલ 10થી વધુ કોમન પ્લોટ પર ભંગારીયાઓનો કબ્જો, એક્શનમોડમાં આવેલ વાપી મહાનગરપાલિકા આ તરફ પણ ધ્યાન આપે

વાપીના ડુંગરી ફળિયાના એકતાનગરમાં આવેલ 10થી વધુ કોમન પ્લોટ પર ભંગારીયાઓનો કબ્જો, એક્શનમોડમાં આવેલ વાપી મહાનગરપાલિકા આ તરફ પણ ધ્યાન આપે

Gujarat, National
વાપી મહાનગરપાલિકા કમિશ્નર ડુંગરી ફળિયામાં ભંગારીયાઓની મનમાની સામે એક્શન મોડમાં આવ્યાં છે. ત્યારે, આ વિસ્તારમાં કોમન પ્લોટ પર કબ્જો કરનારા સામે પણ કાર્યવાહી કરે તે જરૂરી છે. ડુંગરી ફળિયામાં આવેલ એકતા નગર, મિલત નગર વિસ્તારમાં ભંગારીયાઓએ કોમન પ્લોટને પણ નથી છોડ્યા. આ વિસ્તારમાં અનેક કાયદેસર તેમજ ગેરકાયદેસર ભંગારના ગોદામ આવેલા છે. જેનો નકામો કચરો, ડ્રમ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ આ કોમન પ્લોટમાં ઠાલવી તેના પર કબ્જો કરી બેઠા છે. એક અંદાજ મુજબ આવા 12 જેટલા કોમન પ્લોટ પર ભંગારીયાઓએ કબ્જો કર્યો છે. ડુંગરી ફળિયા વિસ્તાર વાપી મહાનગરપાલિકાનો વિસ્તાર છે. ડુંગરી ફળિયામાં અનેક ગેરકાયદેસર ભંગારના ગોડાઉન છે. જેમાં અનેક પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ધમધમી રહી છે. નફ્ફટ બનેલા ભંગારિયાઓએ 12 જેટલા કોમન પ્લોટમાં તો ઠીક પણ અવરજવરના જાહેર માર્ગ પર પણ કચરના ઢગ ખડકી દીધા છે. ત્યારે, સ્થાનિક લોકોની માંગ છે કે, વાપી મહ...
વાપી GIDC માં આવેલ Savla Laminates Ltd. Unit-3 કંપનીમાં કેલ્શિયમ પાઉડર ખાલી કરવા આવેલ ટ્રક ને ધોઈ તેનું ગંદુ પાણી રસ્તા પર છોડ્યું 

વાપી GIDC માં આવેલ Savla Laminates Ltd. Unit-3 કંપનીમાં કેલ્શિયમ પાઉડર ખાલી કરવા આવેલ ટ્રક ને ધોઈ તેનું ગંદુ પાણી રસ્તા પર છોડ્યું 

Gujarat, National
વાપી GIDC માં આવેલ 3rd Phase એરિયામાં Savla Laminates Ltd. કંપનીના Unit-3 બહાર સફેદ કલરનું પાણી જોવા મળ્યું હતું. સામાન્ય રીતે કોઈપણ કંપની નિયમ મજબ તેમનું ગંદુ પાણી બહાર રસ્તા પર કાઢી શકે નહીં. જો કે, અહીં આ પાણી બહાર નીકળ્યું હોય એ અંગે કંપની તરફથી આપેલી વિગતો મુજબ કંપનીમાં  કેલ્શિયમ પાઉડર ભરેલી ટ્રક આવી હતી. જેમાંથી આ પાવડરનો જથ્થો ઉતર્યા બાદ ટ્રક ગંદી થઈ હોય તેને પાણીથી ધોઈ હતી. જેનું પાણી કંપની બહાર રસ્તા પર આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ભલે સામાન્ય હોય પણ અચરજ એ વાત નું છે કે, કંપની પરિસરમાં આવી તો અનેક ટ્રક વારંવાર આવતી હશે. અને કદાચ તેને ધોવાતી પણ હશે. તો શું કંપની સંચાલકોએ આવું પાણી કંપનીની અંદર ગટરમાં જ ઠાલવી શકે તેવી કોઈ વ્યવસ્થા નહિ કરી હોય? જો કોઈ વ્યવસ્થા નથી તો શું આ પ્રકારે વારંવાર ગંદુ પાણી બહાર રસ્તા પર વહેતુ હશે? જે હોય તે પણ હાલ તો કંપની સંચાલકોએ આ સમગ્ર મામલે ...
કોચરવામાં શિવાલયના જીર્ણોદ્ધાર અને દેવી-દેવતાઓની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે આયોજિત ત્રિદિવસીય મહોત્સવનો નગરયાત્રા સાથે થયો પ્રારંભ

કોચરવામાં શિવાલયના જીર્ણોદ્ધાર અને દેવી-દેવતાઓની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે આયોજિત ત્રિદિવસીય મહોત્સવનો નગરયાત્રા સાથે થયો પ્રારંભ

Gujarat, National
વાપી નજીક આવેલ કોચરવા ગામમાં 180 વર્ષ જૂનું ભગવાન શિવનું મંદિર આવેલું છે. આ મંદિર જર્જરીત હાલતમાં હોય શિવાલયના જીર્ણોદ્ધાર નો ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો. જય ભવાની માં સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તેમાં બનતો સહકાર આપવા પ્રયાસ હાથ ધરાયા હતા.  શિવાલયના જીર્ણોદ્ધાર સાથે તુલજા ભવાની માતા, હિંગળાજ માતા, ગણેશજી, હનુમાનજી તથા બ્રહ્મદેવની પ્રતિમાનું પણ સ્થાપન કરવાનો નિર્ધાર કર્યો હતો. 25મી માર્ચે થી 27 માર્ચ એમ ત્રિદિવસીય શિવાલયના જીર્ણોદ્ધાર અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 25મી માર્ચે પ્રથમ દિવસે દેવી-દેવતાઓની પ્રતિમાઓ સાથેની વિશાળ નગરયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી આ નગરયાત્રામાં ગ્રામજનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. બહેનોએ માથે કળશ લઇ આ શોભા યાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી. આ નગરયાત્રા બાદ આગામી દિવસોમાં દેહ શુદ્ધિકર્મ, યજ્ઞ, મહ...
વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ કરનારા 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી, ભંગારીયાઓમાં ફફડાટ…?

વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ કરનારા 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી, ભંગારીયાઓમાં ફફડાટ…?

Gujarat, National
વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી વાપી મહાનગરપાલિકા દ્વારા ભંગરિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ, ડુંગરી ફળિયા, ડુંગરા, બલિઠા, છીરી, છરવાડા વિસ્તાર વાપી GIDC ને અડીને આવેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં અનેક નાનામોટા ભંગારના ગોડાઉન ધમધમી રહ્યા છે. જેમાં મોટા ભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેકવાર સાબિત થયું છે. તો, આવા ભંગારના ગોડાઉનમાં અનેકવાર ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્યું છે. આ ભંગારીયાઓની GIDC ના ઉદ્યોગોમાંથી વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ, હેઝરડ્સ વેસ્ટ, નકામો ભંગાર આવા ગોડાઉન માં એકઠો કરે છે. જેમાં ક્યારેક આગ લગાડીને કે લાગવાથ...