Sunday, June 22News That You Want to Read

Gujarat

ઉમરગામના ખતલવાડા ગામમાં દરિયાના ખારાપટ માં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી માટી પુરાણ પ્રકરણમાં GPCB એ પંચાયતને શૉ કોઝ નોટિસ ફટકારી?

ઉમરગામના ખતલવાડા ગામમાં દરિયાના ખારાપટ માં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી માટી પુરાણ પ્રકરણમાં GPCB એ પંચાયતને શૉ કોઝ નોટિસ ફટકારી?

Gujarat, National
ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દરિયાઈ ખાડી નો વિસ્તાર આવેલો છે. જેમાં મોટા પ્રમાણમાં મૅગ્રોવ્ઝ આવેલા છે. એ ખરાપટ ની જમીનમાં હાલ એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. જે માટે સેલવાસ અને વાપી નો ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી તેના પર માટી પુરાણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગેની જાણકારી મળ્યા બાદ સરીગામ GPCB એ તપાસ હાથ ધરી ગ્રામ પંચાયત ને શૉ કોઝ નોટિસ ઇસ્યુ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા વાપી-સેલવાસના ડોમેસ્ટિક વેસ્ટને કલેક્ટ કરવાનું કામ કરતા શખ્સને તેનું પુરાણ કરવા મંજૂરી આપી હતી. જે બાદ આ ખારલેન્ડ માં ડમ્પર, ટ્રક મારફતે ડોમેસ્ટિક/પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવી JCB વડે નજીકની માટી તેના પર નાખી પુરાણ કરવામાં આવ્યું છે....
ગુજરાત પોલીસ માટે પડકાર:- ભુજ અને અમદાવાદ JIC માં હાલ ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાથ ધરેલ કોમ્બિન્ગમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ-પાકિસ્તાનીઓને ક્યાં રાખશે?

ગુજરાત પોલીસ માટે પડકાર:- ભુજ અને અમદાવાદ JIC માં હાલ ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાથ ધરેલ કોમ્બિન્ગમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ-પાકિસ્તાનીઓને ક્યાં રાખશે?

Gujarat, National, News
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 27 ભારતીય નાગરિકોના મોત બાદ દેશભરમાં વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. ગુજરાતમાં પણ ગુજરાત પોલીસે આ ઝુંબેશ હેઠળ 1000 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. એકલા વલસાડ જિલ્લામાંથી જ આવા 350 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને વિવિધ પોલીસ થાણામાં લાવી તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે દેશમાં ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકો ગુજરાતમાં ક્યાંયથી પણ પકડાય તો તેને ભુજ અને અમદાવાદ Joint Interrogation Center (JIC) માં લઇ જવા પડે છે. હાલમાં બન્ને સ્થળે ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, હાલમાં પકડાયેલાઓને ક્યાં લઈ જશે? એ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં હાલ વિદેશી નાગરિકોનું ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. સુરત, અમદાવાદ જેવા શહેરોમાં પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જે બાદ આ વિદેશી નાગરિકોને ક્યાં રાખવા...
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવો પણ પોતાની તરસ છીપાવી શકે એ માટે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમેં શરૂ કરી ‘જળ કુંડ સેવા’ 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવો પણ પોતાની તરસ છીપાવી શકે એ માટે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમેં શરૂ કરી ‘જળ કુંડ સેવા’ 

Gujarat, National
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે અબોલ જીવો માટે પીવાનું પાણી દુર્લભ ના બને એ ઉદ્દેશ્યથી વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના ગૌસેવકો વિવિધ વિસ્તારમાં પાણીના કુંડ મૂકી ‘જળ કુંડ સેવા’ શરૂ કરી છે. જેમાં લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સેવાકાર્ય હેઠળ શહેર તથા નજીકના વિસ્તારોમાં ગાયો, કૂતરાઓ અને પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ 50 થી વધુ પાણીના જળકુંડ મૂકી દેવામાં આવ્યા છે. દરેક કુંડની નિયમિત દેખરેખ અને સફાઈ પણ ટીમ દ્વારા જ થાય છે, જેથી પીવાના પાણીની શુદ્ધતા અને ઉપલબ્ધતા બંને જળવાઈ રહે ટીમના સંચાલક મુકેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, આ સેવા કાયમી જરૂરિયાત છે. અબોલ જીવો બોલી નથી શકતા પણ તેમની તરસને આપણે અનુભવી શકીએ એ જ આ પશુ-પક્ષીઓ માટેની સાચી સંવેદના છે. આ કાર્યમાં સ્થાનિક રહીશો પણ જોડાઈ રહ્યા છે. લોકો ઘરના બહાર પાણીના પાત્ર મૂકી રહ્યા છે અને બાળકો પણ પંખીઓ...
વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી

વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી

Gujarat, National
હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી મામલતદાર કચેરીમાં એક વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે. કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારો તેનો ઉપયોગ કરી શકશે. ટ્રસ્ટ દ્વારા મામલતદારના હસ્તે આ વ્હીલચેર આપવામાં આવી હતી. મામલતદાર કચેરીમાં દરરોજ અનેક અરજદારોને સરકારી કામ માટે આવવું પડે છે. જેમાં વિકલાંગ અને અશક્ત લોકોને પણ વિકલાંગતા સર્ટિફિકેટ્સ રેશનકાર્ડ, અન્ય કામકાજ માટે કચેરી પરિસરમાં અને જે તે વિભાગમાં જવાનું સરળ રહે એ બાબતે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી ટ્રસ્ટના સભ્યો નાસીર પાનવાલા, આસીફ ઘાંચી, અકલીમૂનનિશા ખાન, સલમાન ખાન તરફથી વ્હીલચેર દાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને વાપી શહેર મામલતદાર કચેરીમાં વાપી શહેર મામલતદાર કલ્પનાબેન પટેલેના હસ્તે વ્હીલચેર આપવામાં આવી હતી....
પહલગામમાં નિર્દોષ ભારતીયો પર ગોળીબારની આતંકવાદી ઘટના બાદ વાપીમાં સમસ્ત મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, આતંકવાદને વખોડતા બેનર સાથે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

પહલગામમાં નિર્દોષ ભારતીયો પર ગોળીબારની આતંકવાદી ઘટના બાદ વાપીમાં સમસ્ત મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, આતંકવાદને વખોડતા બેનર સાથે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

Gujarat, National
જમ્મુ કાશ્મીરમાં પહલગામના પ્રવાસે આવેલા ભારતીયો પર આતંકવાદીઓએ ગોળીબાર કરી 27 નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ દુઃખદ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાને લઈ ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે, વાપીમાં પણ સમસ્ત મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, આતંકવાદને વખોડતા બેનર સાથે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. વાપીમાં મહાનગરપાલિકા કચેરીથી ઝંડા ચોક સુધીની આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતાં. જેઓએ આતંકવાદ મુર્દાબાદ, આતંકવાદી કા કોઈ ધર્મ નહીં હોતા, અમે તમામ ભારતીયો પહેલગામ આતંકવાદી ઘટનાની નિંદા કરીએ છે. તેવા વિવિધ બેનર સાથે આ મૌન રેલી યોજી હતી. મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, હાથમાં કાળા બેનર સાથે આ મૌન રેલી કાઢી હતી. પહેલગામની ઘટના બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું. કે, અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને નિર્દોષ ભારતીયો પર ગોળીબાર ...
વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં સતત વિવાદમાં રહેતા પેકેજ 8, 9 અને 10 પૈકીનાં પેકેજ 10 હેઠળ મહારાષ્ટ્રના કોચાઈ ખાતે આદિવાસીઓને યોગ્ય વળતર નહિ મળતા વિરોધ

વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં સતત વિવાદમાં રહેતા પેકેજ 8, 9 અને 10 પૈકીનાં પેકેજ 10 હેઠળ મહારાષ્ટ્રના કોચાઈ ખાતે આદિવાસીઓને યોગ્ય વળતર નહિ મળતા વિરોધ

Gujarat, National
મહારાષ્ટ્ર રાજ્યનાં કોચાઈ ગામેથી પસાર થતો વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટનાં પેકેજ નંબર 10 માં સંપાદિત આદિવાસીઓની જમીન, ઘર તથા ઝાડોનું યોગ્ય વળતર ન ચૂકવાતાં વિવાદ ઉભો થયો હતો.  મળતી વિગતો મુજબ ગામલોકો અને એક્સપ્રેસ વે કામગીરીના ઠેકેદારો, અધિકારીઓ સાથેના આ વિવાદમાં પેકેજ નંબર 10ની કામગીરી ખોરંભે ચડી હતી. વિવાદ કોચાઈ, બોરમાળ જેવાં વિસ્તારોમાં ચાલી રહેલા એક્સપ્રેસ વે પર થયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ એકઠા થયા હતાં. આ સમયે આદિવાસી લોકોનો અવાજ દબાવવા ત્રણસો જેટલાં પોલીસોનો કાફલો ખડકી દેવાયો હતો. તેમ છતાં આ લોકોએ જરાં પણ ડર્યા વિના પોતાનો સંઘર્ષ ચાલું રાખ્યો હતો. શુક્રવારે કોચાઈ ગામે એક્સપ્રેસવેનું નિર્માણ કાર્ય શરૂ કરાવવાં દોઢસો જેટલાં પોલીસ કાફલા સાથે NHAI, ઠેકેદાર કંપની Roadway Solutions India Infra Ltd., દહાણૂ પ્રાંત કચેરીનાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ગામલોકોની એક...
સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી

સગીર વયના બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે શિક્ષકો-વાલીઓમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે વલસાડ જિલ્લા પોલીસે “સ્વચ્છ મન, સ્વસ્થ તન” ના સૂત્ર સાથે જાગૃતિ સેમીનાર યોજી વિસ્તૃત માહિતી પ્રદાન કરી

Gujarat, National
વાપીમાં આવેલ ડુંગરા પ્રાથમિક શાળા ખાતે વલસાડ જિલ્લા પોલીસે એક અનોખા સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વાપી વિસ્તાર મા બનતા મહિલા અને બાળકો વિરુદ્ધ ના ગુનાઓ અટકાવવા પ્રાથમિક શાળાના શિક્ષકો, સ્કૂલ મોનીટરીંગ કમીટીના વાલીઓ તેમજ આંગણવાડી કાર્યકરો સાથે પોકસો સહિતના બાળ કલ્યાણ કાયદાઓ અંગે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. "સ્વચ્છ મન, સ્વસ્થ તન" ના સૂત્ર સાથેના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, IPS અંકિતા મિશ્રા, DySP બી. એન. દવે તેમજ તાલુકા શિક્ષણાધિકારી, દહેજ પ્રતિબંધક વિભાગ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ બાળકોની સુરક્ષાને લઈ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ અંગે IPS અંકિતા મિશ્રાએ જણાવ્યું હતું કે, ડુંગરા વિસ્તારમાં બાળકો ગુમ થવાના અને પોકસો એક્ટ હેઠળના કેસોમાં કઈ રીતે ઘટાડો લાવી શકાય તે માટે આ એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ...
વાપી મનપાની કાર્યવાહી બાદ વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી નાખતા ભંગારના ગોડાઉનમાં રહેતા પરિવારજનોની હાલત કફોડી બની, ભંગારના ગોડાઉન ખાલી કરી ભંગારીયાઓની હિજરત શરૂ…!

વાપી મનપાની કાર્યવાહી બાદ વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી નાખતા ભંગારના ગોડાઉનમાં રહેતા પરિવારજનોની હાલત કફોડી બની, ભંગારના ગોડાઉન ખાલી કરી ભંગારીયાઓની હિજરત શરૂ…!

Gujarat, National
વાપીમાં ડુંગરા વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં જ ભંગારના ગોડાઉન અને રહેણાંક મકાનો ઉભા કરી રહેતા લોકો સામે વાપી મહાનગરપાલિકા એ કાયદાનો દંડો ઉગામ્યો છે. રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા આ ગોડાઉનને વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી દીધા છે. જેને કારણે લોકોની હાલત કફોડી બની છે. ભંગારના ગોડાઉન અને રહેણાંક ઘર બનાવી રહેતા આવા અંદાજીત 40 થી વધુ પરિવારોના લાઈટ કનેક્શન GEB એ કટ કરી મીટર જપ્ત કર્યા છે. પાણી કનેક્શન કટ કરી નાખ્યા છે. જેથી આ ઉનાળાની આકરી ગરમીમાં આ પરિવારો લાઇટ અને પાણી વિના ટળવળી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, મહાનગરપાલિકા અમને સમય મર્યાદા આપે અને એ દરમ્યાન લાઇટ પાણીની સુવિધા આપે એ સમય મર્યાદામાં અમે અમારા ભંગારના ગોડાઉન દૂર કરી દઈશું. છેલ્લા 35-40 વર્ષથી અમે અહીં રહીએ છીએ જેથી અન્યત્ર અમે રાતોરાત તો કઈ રીતે જઇ શકીએ. અત્યારે અમે ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં મહાનગરપાલિકાએ અમને લા...
વાપી મહાનગરપાલિકાના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

વાપી મહાનગરપાલિકાના કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ :- યોગેશ ચૌધરી, કમિશ્નર, વાપી મનપા

Gujarat, National
વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્સીયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી. આ અંગે મનપા કમિશ્નરે જણાવ્યું હતું કે, અમે કોઈપણ રેસિડેન્સીયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા નહીં દઈએ. જ્યાં ઇન્ડસ્ટ્રીયલ અથવા કોમર્શિયલ ઝોન છે ત્યાં કોઈપણ વ્યક્તિ જરૂરી તમામ પરમિશન સાથે આવી પ્રવૃતિઓ કરશે તો તેની સામે કોઈ પગલાં લેવામાં આવશે નહિ.   વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં ગેરકાયદેસર ચાલતા ભંગારના ગોડાઉન ધ્યાને આવ્યાં છે. જેઓને GPCB, Fire ની NOC અને બાંધકામ ના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. જે બાદ આપેલી સમય મર્યાદામાં ઘણા ભંગારના ગોડાઉન માલિકો પુરાવા રજૂ કરી શક્યા નથી. કુલ 240થી વધુ ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી. જે પૈકીના 140 જેટલા ગોડાઉન માલિકોને ફાઇનલ નોટિસ આપી છે. તો, 40 ...
પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દિવંગત નાગરિકોને વાપી અને દમણમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Gujarat, National
જમ્મૂ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ આ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઠોસ ઉદાહરણ પૂરું પાડવાના આશય સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે સંઘપ્રદેશ દમણમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના યુવા વિદ્યાર્થીઓ અને શહેરના જાગૃત નાગરિકો દ્વારા મોડી સાંજે નાની દમણના દિલિપ નગર ક્રિકેટ ગ્રાઉન્ડથી મશાલ ચોક સુધી વિરોધ પ્રદર્શન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એવી જ રીતે વાપીમાં પણ સામાજિક સંસ્થાઓએ કેન્ડલ જલાવી દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ દેશભરમાં આક્રોશ સાથે દિવંગત નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પવાના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આતંકીઓ એ કાશ્મીર ફરવા ગયેલા દેશના નિર્દોષ નાગરિકોને ગોળી મારી મોત ને ઘાટ ઉતારી દીઘા છે આ દુઃખદ. ઘટનાને ધ્યાન માં રાખી વાપી ટાઉનમાં સરદાર ચોક ખાતે વાપી સોશિયલ ગ...