
વલસાડ જિલ્લા ‘‘નોંધણી ભવન” કચેરીનો શુભારંભ, બે સબ રજીસ્ટ્રાર મળી પ્રત્યેક દિન 74 દસ્તાવેજોની નોંધણી માટેના ઓનલાઇન ટોકન સ્લોટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા
વલસાડની RNC ફ્રી આઈ હોસ્પિટલની સામે આવેલી જિલ્લા કક્ષાની “નોંધણી ભવન” કચેરીનો જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલના વરદહસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ દ્વારા મદદનીશ નોંધણી સર નિરીક્ષક અને સબ રજીસ્ટ્રારને સુચન કરવામાં આવ્યું કે, દસ્તાવેજોના રજીસ્ટ્રેશન બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે અને લોકોને રજીસ્ટર થયેલા દસ્તાવેજોની કાયદેસરતા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે પ્રયત્ન કરવા જરૂરી છે. તેમ જણાવી યોગ્ય સ્ટેમ્પ ડયુટી વાપર્યા વિનાના અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી થયા ન હોય તેવા દસ્તાવેજો પુરાવામાં લઈ ન શકાય તેની જાણ માટે જાગૃતિ કાર્યક્રમો રાખવા અનુરોધ કર્યો હતો.
“નોંધણી ભવન”નાં શુભારંભ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકારના મહેસુલ વિભાગ અને નાણા વિભાગ તરફથી જાહેર જનતાને સારી સગવડો ઉપલબ્ધ બને તે માટે “...