Monday, June 23News That You Want to Read

National

વાપીના બલીઠા ગામમા આવેલ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવનાર ઇસમને ઝડપી પાડી વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

વાપીના બલીઠા ગામમા આવેલ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવનાર ઇસમને ઝડપી પાડી વલસાડ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

Gujarat, National
સોમવાર 28મી એપ્રિલે વાપીના બલિઠા ગામ ખાતે આવેલ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી અફવા ફેલાવનારને વલસાડ પોલીસે ઝડપી લીધો છે. મિત્રએ મિત્ર સાથે માત્ર 600 રૂપિયાની લેતી દેતી માં આ અફવા ફેલાવી હતી. આલોક કંપનીના કર્મચારી ધનંજય સુરેશ કુશ્વાહ તેના મિત્ર હર્ષ લક્ષ્મીશંકર તિવારીની રૂમમાં બે દિવસ રોકાયેલ જેનો ખર્ચો રૂ-200/- આપ્યા હતાં. પરંતુ, લક્ષ્મીશકરે 600 રૂપિયા માંગ્યા હતાં. જે ધનજયે ના પાડતા ધનંજય સુરેશ કુશ્વાહના વોટ્સઅપ નંબરથી જ આલોક કંપનીમાં બોમ્બ હોવાની ખોટી માહિતી ઉત્તર પ્રદેશ રાજયના પોલીસ કન્ટ્રોલ રૂમમાં આપી હતી. આ માહિતીની સ્ટેટ કન્ટ્રોલ ગાંધીનગર તરફથી જાણ કરવામાં આવી હતી. માહિતી આપનારે તેના વોટ્સએપ એપ્લીકેશનના માધ્યમથી ઉત્તર પ્રદેશ રાજયના પોલીસ કન્ટ્રોલના વોટ્સએપ નંબર ઉપર કલાક 09/18 વાગ્યાના અરસામાં મેસેજ કરી જાણ કરી હતી. આ હકીકતને ગંભીરતાથી લઇ વાપી ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ભારતીય ન્યા...
બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસણખોરી કરી ઉમરગામમાં રહેતા 6 પુરુષ એક મહિલા સહિત કુલ 7 બાંગ્લાદેશીઓને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા

બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસણખોરી કરી ઉમરગામમાં રહેતા 6 પુરુષ એક મહિલા સહિત કુલ 7 બાંગ્લાદેશીઓને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા

Gujarat, National
ભારત દેશની આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિદેશી નાગરિકો ઘુષણખોરી કરી ગેર કાયદેસર વસવાટ કરી રહ્યા હોય એવા લોકોને શોધી કાઢવા માટે ગુજરાત પોલીસ દ્રારા એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન હેઠળ વલસાડ પોલીસે હાથ ધરેલ તપાસમાં ઉમરગામ ખાતેથી 7 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. આ 7 બાંગ્લાદેશીઓમાં 6 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જેઓ અલગ અલગ સમયે બાંગ્લાદેશથી નેપાળના રસ્તે પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસણખોરી કરી ઉમરગામમાં આવીને રહેતા હતાં. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ઉમરગામ પોલીસ સ્ટેશનના ગાંધીવાડી તથા દહેરી વિસ્તારમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરી જરૂરી પુછપરછ તેમજ ચકાસણી કરતા હતા ત્યારે, (1) મોહમદ સુમાનઉદ્દીન ઉર્ફે સુમોન તજીબરમુલ્લા, (2) હિલાલ સોફીકુલ ખાન (3) મસુદ અબ્દુલ રહીમ રાના, (...
ઉમરગામમાં 9 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીને વલસાડ LCB એ દબોચી લીધો, આરોપીએ પ્રેમિકા અને સાસુ સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી

ઉમરગામમાં 9 વર્ષથી નાસતા ફરતા હત્યાના આરોપીને વલસાડ LCB એ દબોચી લીધો, આરોપીએ પ્રેમિકા અને સાસુ સાથે મળી પ્રેમિકાના પતિની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી

Gujarat, National
વર્ષ 2016માં ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં એક યુવકની કુવામાંથી લાશ મળી હતી. જે તે વખતે આ યુવકની ઓળખ દિનેશ રંગીલાલ તરીકે થઈ હતી. અને તેની હત્યા તેમની પત્ની, સાસુ અને પત્નીના પ્રેમીએ કરી હોવાનો ખુલાસો થયો હતો. જેમાં મૃતકની પત્ની અને સાસુની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર એવો મહાદેવ પ્રસાદ ફરાર થઇ ગયો હતો. જેને 9 વર્ષ બાદ 2025માં LCB પોલીસે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, મૃતક દિનેશ રંગીલાલને મોતને ઘાટ ઉતારી તેના પગે દોરી તથા મોઢાના ભાગે કપડુ બાંધી તેની લાશને સંજાણ ફણસપાડા, કોલી ખાડી પાસે આવેલ પડતર કુવાના પાણીમાં ફેંકી દીધી હતી. વર્ષ 2016ની આ ચકચારી ઘટનામાં 3 આરોપીઓ પૈકી 2ની અટક કરવામાં આવી હતી. અને આરોપી મહાદેવ પ્રસાદ ઉર્ફે રાજુ રામલોટન યાદવ ફરાર થઇ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જે ...
વાપીના ભડકમોરામાં ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઈનામી ડ્રોની લત માં ઘરવાળાઓ રોજ પૈસા હારી જતો હોય મહિલાઓએ હોબાળો કર્યો …!

વાપીના ભડકમોરામાં ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઈનામી ડ્રોની લત માં ઘરવાળાઓ રોજ પૈસા હારી જતો હોય મહિલાઓએ હોબાળો કર્યો …!

Gujarat, National
આજકાલ અનેક ઓનલાઈન ગેમ લોકોને લખપતિ કે કરોડપતિ બનાવવાની લાલચ આપી રહી છે. લોકોમાં પણ આવી ગેમ નો ભારે ચસ્કો લાગ્યો છે. ત્યારે, વાપીના ભડકમોરા માં હાલ ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઈનામી ડ્રોની લતે ચડેલા ઘરવાળાઓ ઘરમાં પૈસા આપતા ના હોય તેમના પરિવારજનોએ સ્થળ પર આવી હોબાળો મચાવ્યો હતો. જો કે, આ સમયે આ ઈનામી ડ્રોની સંચાલિકા મહિલાઓ સાથે દાદાગીરી કરતી જોવા મળી હતી. સાંજના સમયે બે દુકાનમાં ચાલતા આ ઈનામી ડ્રો ને કારણે પરિવારની મુશ્કેલી અંગે પોતાની આપવીતી જણાવતા મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી તેમના પરિવારના પુરુષો ઘરે પૈસા આપતા નથી. એ અહીં આવીને પૈસા હારી જાય છે. ઘરે 3-3 સંતાન છે જેનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. આવા ઈનામી ડ્રો બંધ થવા જોઈએ. જો કે, આ સમયે આ ઇનામી ડ્રો ચલાવતી મહિલા સંચાલીકાની પણ દાદાગીરી જોવા મળી હતી. જેમણે હોબાળો કરનાર મહિલાઓ સાથે ગાળાગાળી કરી હતી. અને વિડિઓ નહિ ઉતારવ...
ઉમરગામના ખતલવાડા ગામમાં દરિયાના ખારાપટ માં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી માટી પુરાણ પ્રકરણમાં GPCB એ પંચાયતને શૉ કોઝ નોટિસ ફટકારી?

ઉમરગામના ખતલવાડા ગામમાં દરિયાના ખારાપટ માં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી માટી પુરાણ પ્રકરણમાં GPCB એ પંચાયતને શૉ કોઝ નોટિસ ફટકારી?

Gujarat, National
ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દરિયાઈ ખાડી નો વિસ્તાર આવેલો છે. જેમાં મોટા પ્રમાણમાં મૅગ્રોવ્ઝ આવેલા છે. એ ખરાપટ ની જમીનમાં હાલ એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. જે માટે સેલવાસ અને વાપી નો ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી તેના પર માટી પુરાણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગેની જાણકારી મળ્યા બાદ સરીગામ GPCB એ તપાસ હાથ ધરી ગ્રામ પંચાયત ને શૉ કોઝ નોટિસ ઇસ્યુ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા વાપી-સેલવાસના ડોમેસ્ટિક વેસ્ટને કલેક્ટ કરવાનું કામ કરતા શખ્સને તેનું પુરાણ કરવા મંજૂરી આપી હતી. જે બાદ આ ખારલેન્ડ માં ડમ્પર, ટ્રક મારફતે ડોમેસ્ટિક/પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવી JCB વડે નજીકની માટી તેના પર નાખી પુરાણ કરવામાં આવ્યું છે....
ગુજરાત પોલીસ માટે પડકાર:- ભુજ અને અમદાવાદ JIC માં હાલ ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાથ ધરેલ કોમ્બિન્ગમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ-પાકિસ્તાનીઓને ક્યાં રાખશે?

ગુજરાત પોલીસ માટે પડકાર:- ભુજ અને અમદાવાદ JIC માં હાલ ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાથ ધરેલ કોમ્બિન્ગમાં પકડાયેલા બાંગ્લાદેશીઓ-પાકિસ્તાનીઓને ક્યાં રાખશે?

Gujarat, National, News
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં 27 ભારતીય નાગરિકોના મોત બાદ દેશભરમાં વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશી, પાકિસ્તાનીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. ગુજરાતમાં પણ ગુજરાત પોલીસે આ ઝુંબેશ હેઠળ 1000 થી વધુ બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. એકલા વલસાડ જિલ્લામાંથી જ આવા 350 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને વિવિધ પોલીસ થાણામાં લાવી તપાસ હાથ ધરી છે. સામાન્ય રીતે દેશમાં ઘૂસણખોરી કરનાર વિદેશી નાગરિકો ગુજરાતમાં ક્યાંયથી પણ પકડાય તો તેને ભુજ અને અમદાવાદ Joint Interrogation Center (JIC) માં લઇ જવા પડે છે. હાલમાં બન્ને સ્થળે ક્ષમતા કરતા વધુ વિદેશીઓ છે તો, હાલમાં પકડાયેલાઓને ક્યાં લઈ જશે? એ અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં હાલ વિદેશી નાગરિકોનું ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. સુરત, અમદાવાદ જેવા શહેરોમાં પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે. જે બાદ આ વિદેશી નાગરિકોને ક્યાં રાખવા...
ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવો પણ પોતાની તરસ છીપાવી શકે એ માટે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમેં શરૂ કરી ‘જળ કુંડ સેવા’ 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવો પણ પોતાની તરસ છીપાવી શકે એ માટે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમેં શરૂ કરી ‘જળ કુંડ સેવા’ 

Gujarat, National
ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે અબોલ જીવો માટે પીવાનું પાણી દુર્લભ ના બને એ ઉદ્દેશ્યથી વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના ગૌસેવકો વિવિધ વિસ્તારમાં પાણીના કુંડ મૂકી ‘જળ કુંડ સેવા’ શરૂ કરી છે. જેમાં લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ સેવાકાર્ય હેઠળ શહેર તથા નજીકના વિસ્તારોમાં ગાયો, કૂતરાઓ અને પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ 50 થી વધુ પાણીના જળકુંડ મૂકી દેવામાં આવ્યા છે. દરેક કુંડની નિયમિત દેખરેખ અને સફાઈ પણ ટીમ દ્વારા જ થાય છે, જેથી પીવાના પાણીની શુદ્ધતા અને ઉપલબ્ધતા બંને જળવાઈ રહે ટીમના સંચાલક મુકેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, આ સેવા કાયમી જરૂરિયાત છે. અબોલ જીવો બોલી નથી શકતા પણ તેમની તરસને આપણે અનુભવી શકીએ એ જ આ પશુ-પક્ષીઓ માટેની સાચી સંવેદના છે. આ કાર્યમાં સ્થાનિક રહીશો પણ જોડાઈ રહ્યા છે. લોકો ઘરના બહાર પાણીના પાત્ર મૂકી રહ્યા છે અને બાળકો પણ પંખીઓ...
વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી

વાપી મામલતદાર કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારોને સરળતા રહે એ માટે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્હીલચેર દાન આપવામાં આવી

Gujarat, National
હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી તરફથી મામલતદાર કચેરીમાં એક વ્હીલચેરની ભેટ આપવામાં આવી છે. કચેરીમાં વિવિધ સરકારી કામ માટે આવતા વિકલાંગ, અશક્ત અરજદારો તેનો ઉપયોગ કરી શકશે. ટ્રસ્ટ દ્વારા મામલતદારના હસ્તે આ વ્હીલચેર આપવામાં આવી હતી. મામલતદાર કચેરીમાં દરરોજ અનેક અરજદારોને સરકારી કામ માટે આવવું પડે છે. જેમાં વિકલાંગ અને અશક્ત લોકોને પણ વિકલાંગતા સર્ટિફિકેટ્સ રેશનકાર્ડ, અન્ય કામકાજ માટે કચેરી પરિસરમાં અને જે તે વિભાગમાં જવાનું સરળ રહે એ બાબતે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ઘાંચી ટ્રસ્ટના સભ્યો નાસીર પાનવાલા, આસીફ ઘાંચી, અકલીમૂનનિશા ખાન, સલમાન ખાન તરફથી વ્હીલચેર દાન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને વાપી શહેર મામલતદાર કચેરીમાં વાપી શહેર મામલતદાર કલ્પનાબેન પટેલેના હસ્તે વ્હીલચેર આપવામાં આવી હતી....
પહલગામમાં નિર્દોષ ભારતીયો પર ગોળીબારની આતંકવાદી ઘટના બાદ વાપીમાં સમસ્ત મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, આતંકવાદને વખોડતા બેનર સાથે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

પહલગામમાં નિર્દોષ ભારતીયો પર ગોળીબારની આતંકવાદી ઘટના બાદ વાપીમાં સમસ્ત મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, આતંકવાદને વખોડતા બેનર સાથે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

Gujarat, National
જમ્મુ કાશ્મીરમાં પહલગામના પ્રવાસે આવેલા ભારતીયો પર આતંકવાદીઓએ ગોળીબાર કરી 27 નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આ દુઃખદ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. આ ઘટનાને લઈ ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે, વાપીમાં પણ સમસ્ત મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, આતંકવાદને વખોડતા બેનર સાથે મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. વાપીમાં મહાનગરપાલિકા કચેરીથી ઝંડા ચોક સુધીની આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતાં. જેઓએ આતંકવાદ મુર્દાબાદ, આતંકવાદી કા કોઈ ધર્મ નહીં હોતા, અમે તમામ ભારતીયો પહેલગામ આતંકવાદી ઘટનાની નિંદા કરીએ છે. તેવા વિવિધ બેનર સાથે આ મૌન રેલી યોજી હતી. મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી, હાથમાં કાળા બેનર સાથે આ મૌન રેલી કાઢી હતી. પહેલગામની ઘટના બાબતે મુસ્લિમ સમાજના આગેવાનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું. કે, અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને નિર્દોષ ભારતીયો પર ગોળીબાર ...
વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં સતત વિવાદમાં રહેતા પેકેજ 8, 9 અને 10 પૈકીનાં પેકેજ 10 હેઠળ મહારાષ્ટ્રના કોચાઈ ખાતે આદિવાસીઓને યોગ્ય વળતર નહિ મળતા વિરોધ

વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટમાં સતત વિવાદમાં રહેતા પેકેજ 8, 9 અને 10 પૈકીનાં પેકેજ 10 હેઠળ મહારાષ્ટ્રના કોચાઈ ખાતે આદિવાસીઓને યોગ્ય વળતર નહિ મળતા વિરોધ

Gujarat, National
મહારાષ્ટ્ર રાજ્યનાં કોચાઈ ગામેથી પસાર થતો વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટનાં પેકેજ નંબર 10 માં સંપાદિત આદિવાસીઓની જમીન, ઘર તથા ઝાડોનું યોગ્ય વળતર ન ચૂકવાતાં વિવાદ ઉભો થયો હતો.  મળતી વિગતો મુજબ ગામલોકો અને એક્સપ્રેસ વે કામગીરીના ઠેકેદારો, અધિકારીઓ સાથેના આ વિવાદમાં પેકેજ નંબર 10ની કામગીરી ખોરંભે ચડી હતી. વિવાદ કોચાઈ, બોરમાળ જેવાં વિસ્તારોમાં ચાલી રહેલા એક્સપ્રેસ વે પર થયો હતો. મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસીઓ એકઠા થયા હતાં. આ સમયે આદિવાસી લોકોનો અવાજ દબાવવા ત્રણસો જેટલાં પોલીસોનો કાફલો ખડકી દેવાયો હતો. તેમ છતાં આ લોકોએ જરાં પણ ડર્યા વિના પોતાનો સંઘર્ષ ચાલું રાખ્યો હતો. શુક્રવારે કોચાઈ ગામે એક્સપ્રેસવેનું નિર્માણ કાર્ય શરૂ કરાવવાં દોઢસો જેટલાં પોલીસ કાફલા સાથે NHAI, ઠેકેદાર કંપની Roadway Solutions India Infra Ltd., દહાણૂ પ્રાંત કચેરીનાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. ગામલોકોની એક...