સોનું ખોવાયું, તો પોતાના જ બાળકને લઈ ત્રીજા માળેથી પડતુ મુકી મહિલાનો આપઘાત !
Vihar Vaishnav: ઘટના હૈદરાબાદ શહેરના ચિંતલકુંટા વિસ્તારની છે કે જ્યાં એક મહિલાએ એક લગ્ન પ્રસંગમાં પોતાના સોનાના ઘરેણા ખોવાઈ જતા ત્રીજા માળેથી પડતુ મુક્યું.
સુદેષ્ના (28) ના લગ્ન ચાર વર્ષ પહેલા આશિષ કુમાર સાથે થયા હતા અને આ દંપતીને બે વર્ષનો પુત્ર આરુષ કુમાર છે. તેઓ વનસ્થલીપુરમની અગમૈયા નગર કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા.લાખો રૂપિયાના સોનાના દાગીના ગુમાવવાથી કંટાળી ગયેલી અને પોતાના નાના પુત્ર સાથે બહુમાળી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનારી એક મહિલાનું મંગળવારે મોડી રાત્રે વનસ્થલીપુરમની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે બાળકની સારવાર ચાલી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, ૧૬ મેના રોજ સુદેષ્ના નાચારામમાં એક સંબંધીના લગ્નમાં ગઈ હતી. ત્યાં તેના સાત તોલા સોનાના દાગીના ખોવાઈ ગયા હતા. તેણે શક્ય તેટલી બધી જગ્યાએ શોધ કરી, પરંતુ તે ક્યાંય મળ્યા નહીં.સોનાના દાગી...
