
ચારોટી મિસ્ત્રી અકસ્માત સ્થળ 600 કરોડથી વધુના હાઇવે ઓવરહૉલ પછી પણ અસુરક્ષિત? આ ઘટના વલસાડ જિલ્લામાં બની રહેલા અને બનેલા સર્પાકાર ROB/FOB માટે બોધપાઠ?
પાલઘર જિલ્લાના ચારોટી ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH48 પર થયેલા ભયાનક અકસ્માત બાદ, જેમાં ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ટ્રીએ જીવ ગુમાવ્યો હતો, હવે આ સ્થળે સલામતી માટે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. એક્ટિવિસ્ટોના દબાણ બાદ ₹600 કરોડના ખર્ચે રોડનું ટોપ-અપ કામ થયું, પરંતુ શું આ પગલાં પૂરતાં છે? તેવો પ્રશ્ન ઉઠ્યો છે.
આ ઘટના બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સલામતી પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. જો આવા પગલાં પહેલાં લેવાયા હોત, તો કદાચ આવી દુર્ઘટનાઓ ટળી શકી હોત. પરંતુ, આ ઘટનામાંથી વલસાડ જિલ્લામાં બની રહેલા અને બનેલા સર્પાકાર રેલવે ઓવરબ્રિજ તેમજ હાલમાં જ નેશનલ હાઇવે 48 પર બલિઠા, પારડીમાં બનેલા હાઇવે ક્રોસિંગના ફૂટ ઓવર બ્રિજ માટે બોધપાઠ છે.
વલસાડ જિલ્લામાં હાલમાં બની ચૂકેલા અને બની રહેલા મોટાભાગના રેલવે ઓવરબ્રિજ કે હાઇવે પરના બ્રિજ સિંગલ-લેન અને વાંકાચુંકા (સર્પાકાર) છે. તો, નેશનલ હાઇવે નંબર 48...