Sunday, June 22News That You Want to Read

Gujarat

વલસાડ LCB એ દમણથી વેસ્ટેજ યાર્નની આડમાં સુરત તરફ લઇ જવાતા 17.73 લાખના દારૂના જથ્થા સાથે આઇશર ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો

વલસાડ LCB એ દમણથી વેસ્ટેજ યાર્નની આડમાં સુરત તરફ લઇ જવાતા 17.73 લાખના દારૂના જથ્થા સાથે આઇશર ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો

Gujarat, National
વલસાડ LCB ની ટીમે બાતમી આધારે ધમડાચી ગામ તરફ જતા ત્રણ રસ્તા પાસે શ્રી ગીરીરાજ ગૌ સેવા કેન્દ્રની સામે મુંબઈ-અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 પર એક ટેમ્પો ચાલકને અટકાવી ટેમ્પોમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. LCB ની ટીમે અટકાવેલ મરુન કલરના આઈસર ટેમ્પો નંબર GJ15-AV-5312માં તપાસ કરી હતી. ટેમ્પોમાં વેસ્ટેજ યાર્નના 200 નંગ બોક્ષ હતાં. જેની આડમાંથી વિદેશી દારૂ વ્હીસ્કી/બીયરના 197 નંગ બોક્ષ હતાં. જેમાં કુલ 17,73,600 રૂપિયાની કિંમતની 4956 નંગ દારૂ-બિયરની બોટલ હતી. LCB ની ટીમે દારૂ-બિયર અને ટેમ્પો મળી કુલ 22,77,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક શાહ નવાઝ શહનુદ્દીન શેખને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહ...
વાપીના ભડકમોરા સ્થિત આંબેડકર નગરની જમીન હડપવા સ્થાનિકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ સાથે સ્થાનિક રહીશોએ વાપી મનપા અને વલસાડ કલેકટરને રજુઆત કરી

વાપીના ભડકમોરા સ્થિત આંબેડકર નગરની જમીન હડપવા સ્થાનિકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ સાથે સ્થાનિક રહીશોએ વાપી મનપા અને વલસાડ કલેકટરને રજુઆત કરી

Gujarat, National
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ભડકમોરાના આંબેડકર નગરમાં રહેતા રહેવાસીઓને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી આ જમીન હડપવાનું કાવતરું થઇ રહ્યું હોવાની અને હાલમાં માટીના ઢગ ખડકી, લાઈટ, પીવાનું પાણી, રસ્તાની સુવિધાથી વંચિત રાખવામાં આવતા હોવાની રાવ સાથે સ્થાનિક લોકોએ વાપી મહાનગરપાલિકા અને વલસાડ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. સ્થાનિકોની માંગ છે કે, 1990થી તેઓ અહીં વસવાટ કરે છે. મોટાભાગના તમામ અનુસૂચિત જનજાતિ પરિવારો છે. જેમને અહીંથી હટાવી આ જમીન પચાવી પાડવાનું કાવતરું થઈ રહ્યું છે. એટલે એવા તત્વો સામે અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 હેઠળ કાર્યવાહી કરવી જોઈએ અને જમીન રહેવાસીઓના નામે કરવામાં આવે. પૂર્વ નગરપાલિકા સભ્ય લોચનાબેન ભીમરાવ કટકે સહિતના આગેવાનોની આગેવાનીમાં વાપી મહાનગરપાલિકા ખાતે અપાયેલ આવેદનપત્ર અંગે તેઓએ જણાવ્યું હતું કે, અમે, આંબેડકર નગર ભડકમોરાના રહેવાસીઓ છેલ્લા પચાસ વર્ષથી અહ...
વાપીમાં યોગીગ્રામના નિર્માણ માટે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ સાથે યોજાશે શ્રીમદ્દ ભાગવત કથા

વાપીમાં યોગીગ્રામના નિર્માણ માટે વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમ સાથે યોજાશે શ્રીમદ્દ ભાગવત કથા

Gujarat, News
વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 નજીક આવેલ પુરુષ અધ્યાપન મંદિર (PTC) કોલેજ ખાતે આગામી 13મી મેં થી 19મી દરમ્યાન શ્રીમદ્દ ભાગવત સાપ્તાહિક કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનથી વાપીની જનતાને માહિતગાર કરવા આયોજકો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં વિશેષ ઉપસ્થિત રહેલા આનંદા યોગાશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષ અને યોગગુરુ સ્વામી ગણેશાનન્દજીએ જણાવ્યું હતું કે, તેમના ટ્રસ્ટ દ્વારા આ શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ઉદેશ્ય વાપીમાં યોગગ્રામ નિર્માણ કરવાનો છે. આ શ્રીમદ્દ ભાગવત કથા 13મી મેં થી 19મી મેં સુધી ચાલશે. કથામાં જીગ્નેશ દાદા રાધેરાધે કથાનું રસપાન કરાવશે. વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો પણ કથા સાથે આયોજિત કરવામાં આવ્યાં છે. કથા માટે તેમજ યોગગ્રામ નિર્માણ માટે વાપીના અનેક દાતાઓનો સહકાર મળી રહ્યો હોવાનું જણાવી યોગગુરુએ આ કથામાં મોટી સ...
વાપીમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી : અંબામાતા મંદિર નજીક ઓટો રિક્ષા પર પડતા રિક્ષાનો કચ્ચરઘાણ, ચાલક-મુસાફરોનો ચમત્કારિક બચાવ

વાપીમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી : અંબામાતા મંદિર નજીક ઓટો રિક્ષા પર પડતા રિક્ષાનો કચ્ચરઘાણ, ચાલક-મુસાફરોનો ચમત્કારિક બચાવ

Gujarat, National
વલસાડ જિલ્લામાં મંગળવારે વલસાડ જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો આવ્યા બાદ, કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેને કારણે ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. પવનદેવે વાપીમાં પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. ગુંજન અંબામાતા મંદિર સામે આવેલ જીઆઇડીસી ગાર્ડન વિસ્તારમાં ભારે પવનના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યવશ આ વૃક્ષ ચાલતી ઓટો રિક્ષા પર પડતા અકસ્માત સર્જાયો હતો. તો, નોટિફાઇડ ફાયર યુનિટ વન ખાતે પણ એક જૂનું ઝાડ ધરાશાયી થયું હતું. અંબામાતા મંદિર નજીક બનેલ ઝાડ પડવાની ઘટનામાં ઓટોચાલક અને તેમાં બેસેલા મુસાફરોને નાનીમોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો એક તરફી બંધ થઇ જતાં વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ વાપી જીઆઇડીસી નોટિફાઇડ એરિયા ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધ...
रक्तदान महादान – स्व. लीलाबेन गुर्जर की पुण्यस्मृति में मानवता की सेवा

रक्तदान महादान – स्व. लीलाबेन गुर्जर की पुण्यस्मृति में मानवता की सेवा

Gujarat, National
पुरुष अध्यापन मंदिर (PTC कॉलेज), बलिठा, वापी-वलसाड नेशनल हाईवे नं. 48 पर आज आयोजित रक्तदान शिविर में समाजसेवा की सच्ची मिसाल देखने को मिली। सुबह 9:00 बजे से दोपहर 3:00 बजे तक चले इस शिविर में कुल 12 यूनिट रक्त एकत्रित किया गया। यह रक्तदान शिविर नानजीभाई गुर्जर, अध्यक्ष एवं संस्थापक – आशापुरा मानव कल्याण ट्रस्ट, वापी द्वारा, उनकी स्वर्गीय पत्नी श्रीमती लीलाबेन गुर्जर की दूसरी पुण्यतिथि के पावन उपलक्ष्य में आयोजित किया गया था। यह आयोजन दिवंगत आत्मा को श्रद्धांजलि अर्पित करने के साथ-साथ मानव सेवा का भी माध्यम बना। शिविर में लायंस श्रीमती पुरीबेन पोपट लाखा बल्ड बैंक का सहयोग सराहनीय रहा। इसके अलावा आयोजन को सफल बनाने में हार्दिक भाई (कथा आयोजक एवं कथा समिति, वापी), हंसा चौहान (ट्रस्ट अध्यक्ष, वलसाड जिला), संजय सोनालकर (लाइफ कोच गुरु), सबीर भाई लाखानी (New A to Z Bag House) और लीना बोरसे ...
વલસાડ SOG ની ટીમે MISSION “MILAAP” અંતર્ગત રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

વલસાડ SOG ની ટીમે MISSION “MILAAP” અંતર્ગત રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી એક વર્ષ પહેલા ગુમ થયેલ યુવકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

Gujarat, National
વલસાડ SOG ના વાપી બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બામણપુજા ચેક પોસ્ટ પાસેથી એક 35 વર્ષીય ભિક્ષુક જેવા લઘર-વઘર હાલત ફરતા યુવક અંગે માહિતી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિનું નામ અબ્દુલ લતીફ અબ્દુલ હક્ક છે. તે મૂળ રાજસ્થાનના બુંદીનો રહેવાસી છે. યુવક માનસિક અસ્વસ્થ હોવાનું પણ જણાતા તેની સારસંભાળ માટે વાપીમાં સહયોગ હેલ્પીંગ હેન્ડ સંસ્થાનો સંપર્ક કરી ત્યાં તેની રહેવાની વ્યવસ્થા કરી હતી. જે બાદ તેમના પરિવારની ભાળ મેળવી તેમની સાથે સુખદ મિલન કરાવ્યું હતું.SOG ની ટીમે યુવકને સુરક્ષિત સ્થળે આશરો અપાવ્યા બાદ રાજસ્થાન પોલીસ મારફતે તેમના પરીવારનો સંપર્ક કર્યો હતો. પરિવારને અબ્દુલ લતીફ અબ્દુલ હક્કના ફોટો મોકલી ઓળખ કરાવી હતી. પરિવાર જોડે મોબાઇલ ફોનથી વિડીયોકોલ દ્રારા વાતચીત કરાવી હતી. જે બાદ યુવકના કાકા, કાકી, ભત્રીજા પરિવાર સાથે લેવા આવ્યાં હતાં. જેઓને અબ્દુલ લતીફ અબ્...
सिलवासा में प्रशासक द्वारा पुस्तक मेले का शुभारंभ, प्रसिद्ध गुजराती लेखक एवं वक्ता जय वसावडा उपस्थित रहे।

सिलवासा में प्रशासक द्वारा पुस्तक मेले का शुभारंभ, प्रसिद्ध गुजराती लेखक एवं वक्ता जय वसावडा उपस्थित रहे।

Gujarat, National
केंद्रशासित प्रदेश दादरा नगर हवेली के सिलवासा मैं प्रशासक प्रफुल पटेल ने भव्य पुस्तक मेले का विधिवत प्रारंभ किया। इस अवसर पे प्रसिद्ध गुजराती लेखक एवं वक्ता जय वसावडा उपस्थित रहे। पुस्तक का जीवन की सकारात्मकता में महत्वपूर्ण योगदान है। संघ प्रदेश में शिक्षा के सकारात्मक माहौल के निर्माण में प्रशासक प्रफुल पटेल का भगीरथ प्रयास रहा हैं l उन्होंने अपनी कार्य कुशलता एवं दीर्घदृष्टि से इस प्रदेश में शैक्षणिक क्रांति लाने का कार्य किया है। स्थानीय जनता में शिक्षा के प्रति रुचि जागृत करने एवं सामाजिक रूप से पुस्तकों की महत्वता का प्रचार-प्रसार करने के उद्देश्य से यह आयोजन किया गया है। इस पुस्तक मेले के अंतर्गत विभिन्न साहित्य क्षेत्र की प्रसिद्ध व्यक्तियों को भी ज्ञान एवं साहित्य के प्रचार प्रसार हेतु आमंत्रित किया गया है। इसी श्रेणी में पुस्तक मेले के उद्घाटन समारोह में प्रसिद्ध गुजराती...
આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સંસ્થાપક નાનજી ગુર્જરના ધર્મપત્ની સ્વ. લીલાબેન ગુર્જરની 2જી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા રક્તદાન કેમ્પ યોજાશે

આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સંસ્થાપક નાનજી ગુર્જરના ધર્મપત્ની સ્વ. લીલાબેન ગુર્જરની 2જી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મેગા રક્તદાન કેમ્પ યોજાશે

Gujarat, National
પર્યાવરણ પ્રેમી અને આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના સંસ્થાપક નાનજીભાઈ ગુર્જર દ્વારા તેમના ધર્મપત્ની સ્વર્ગીય લીલાબેન ગુર્જરની 2જી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ 5મી મેં 2025ના વાપીમાં નેશનલ હાઇવે સ્થિત PTC કોલેજ ખાતે યોજાશે. જેમાં વધુમાં વધુ રક્તદાતાઓ રક્તદાન કરે એ માટે અપીલ કરવામાં આવી છે. આ રક્તદાન કેમ્પ અંગે નાનજીભાઈ ગુર્જરે જણાવ્યું હતું કે, તેમના પત્નીના અવસાન બાદ 5મી મેં 2025ના 2 વર્ષ પૂર્ણ થશે. જેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ આ બીજી પુણ્યતિથિ નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે તમામ આયોજકોના સહયોગથી વાપીમાં પુરુષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ આ રક્તદાન કેમ્પ યોજાશે. આ સ્થળે જ આગામી 13મી મેં થી 19મી મેં દરમ્યાન વાપી કથા સમિતિ...
IPS અંકિતા મિશ્રાની અનોખી પહેલ, ડુંગરા વિસ્તારમાં બાળકોના સુરક્ષિત ભવિષ્યની ચિંતા કરી માત્ર 7 દિવસમાં તૈયાર કર્યો ચિલ્ડ્રન ટ્રાફીક પાર્ક…!

IPS અંકિતા મિશ્રાની અનોખી પહેલ, ડુંગરા વિસ્તારમાં બાળકોના સુરક્ષિત ભવિષ્યની ચિંતા કરી માત્ર 7 દિવસમાં તૈયાર કર્યો ચિલ્ડ્રન ટ્રાફીક પાર્ક…!

Gujarat, National
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા, પ્રો. IPS અંકિતા મિશ્રા દ્વારા વાપીના ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે બાળકો અને મોટેરાઓ માટે બનાવેલ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કનું બાળકોના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અટકાવવા તેમજ બાળકોના સર્વાગી વિકાસ અને જાગૃતિ લાવવા પોલીસ અધિક્ષક વલસાડની અધ્યક્ષતામાં “ચિલ્ડ્રન ટ્રાફીક પાર્ક”નુ આયોજન કરવામાં આવ્યું છે. આ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કમાં બોક્ષ ક્રીકેટ, વોલીબોલ, ઓપન જીમ, સ્લાડીંગ, સ્વીંગ, જીગ જેગ, રનીંગ ટ્રેક, સી શો, ટ્રાફીક, સાયબર અવરનેસ લોગો વિગેરે બનાવવામાં આવેલ છે. શુક્રવાર 2જી મેં 2025ના આ ચિલ્ડ્રન ટ્રાફીક પાર્કનું ઉદ્ઘાટન કરી જાહેર જનતાના બાળકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસ મથકનો વિસ્તાર ક્રાઈમ મામલે અતિસંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તા...
વાપીના ચણોદમાંથી વલસાડ SOGએ 4.42 લાખના 44 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, આરોપી પાસેથી કુલ 13.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાપીના ચણોદમાંથી વલસાડ SOGએ 4.42 લાખના 44 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી, આરોપી પાસેથી કુલ 13.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીના ચણોદ વિસ્તારમાંથી SOGની ટીમે મોટી માત્રામાં ગાંજા નો જથ્થો જપ્ત કર્યો. કુલ 44.222 કિલોગ્રામ ગાંજાની કિંમત 4,42,220 રૂપિયા છે. જે 7 લાખની કારમાં સંતાડયો હતો. પોલીસની આ રેઇડમાં આરોપી પાસેથી 1,14,900 રૂપિયા રોકડા પણ મળ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત 13,47,620 રૂપિયા છે. ચણોદમાં શ્રી બાલ કૃષ્ણ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા ફ્લેટમાંથી મળી આવેલ ગાંજા ના જથ્થા સાથે પોલીસે રામઅવતાર અંતુભાવ ગુપ્તા નામના ઇસમની ધરપકડ કરી છે. વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ. યુ. રોઝની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી રામઅવતાર અંતુભાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઇન પાસેથી આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી આ નશીલા પદાર્થોની હેરફેર કરતો હતો. જે વાપી, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો....